SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ટિપણે ૧૪: કૌટુંબિક પુરુષે “ખાસ તહેનાતના નેકરે.”: જૈનસૂત્રોમાં નોકર અર્થમાં “કૌટુંબિક પુરુષ” તેમજ “દાસચેટ” એમ બે શબ્દોને પ્રાગ આવે છે. કૌટુંબિક શબ્દને અર્થ “કુટુંબને માણસ” થાય. તે ઉપરથી એમ માલૂમ પડે છે કે રાજાએ પોતાના રાજવંશીઓમાંથી કેટલાકને ખાસ તહેનાતના નેકર તરીકે રાખતા. પરંતુ જે લોકે દાસ જાતિના જ એટલે કે ગુલામ વંશના હતા તેમને માટે દાસચેટ શબ્દ વપરાતો હશે. જેમને અત્યારે આપણે ગેલા કહીએ છીએ તેવા પ્રકારના જ આ લેકે હતા. આ લેને એ રીતે જન્મથી મરણ સુધી દાસનું જ કામ કરવાનું રહેતું, જ્યારે કૌટુંબિક પુરુષને તેવું બંધન નહોતું. કેટલાંક વર્ણને ઉપરથી એવું લાગે છે કે આ દાસચેટે ઘણું કરીને પરદેશીઓ જ હતા. (જુઓ ટિપ્પણુ નં. ૨૬) કેટલાકને સાન એટલે કે અત્યારે આપણે તે જ ૧૫ઃ જવનિકા (ગળિયા) યવન શબ્દ સાથે આ શબ્દનો સંબંધ છે. કેશકારોએ આ શબ્દની વ્યુત્પત્તિ નુ ધાતુ ઉપરથી બતાવી છે. પણ ઈતિહાસની દૃષ્ટિથી વિચાર કરતાં લાગે છે કે આ શબ્દ યવન શબ્દમાંથી જ નીકળે છે. કારણ કે ચનિ–પડદો રાખવાની પ્રથા યવને માં જ હતી તેમ ઈતિહાસ પરથી માલૂમ પડે છે. અમરકોશમાં ગવનિ અને ચમનિશ એમ બે શબ્દ મૂકેલા છે. અને હેમચંદ્ર રાવની અને એમની આપેલા છે. પરદેશીઓના સહવાસથી આપણે ત્યાં પણ યવનિકા-પડદાને રિવાજ તેમજ તે શબ્દ દાખલ થયા લાગે છે. આ સૂત્રમાં આવેલ યવનિકાનો ઉલ્લેખ અને વર્ણને બરાબર હેય તે એમ કલ્પી શકાય કે બિંબિસારના સમયમાં રાજકુટુંબમાં તેની પ્રથા તથા યવનેને પગપેસારે આપણું દેશમાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy