SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ૧૬ : અપરકા નગરી પાપનું જ ફળ છે અને તારે વગર ખેદે ભેગવવું જ જોઈએ. માટે કાંઈ પણ શોકચિંતા કર્યા વિના હવેથી તું આપણે ત્યાં આવતા શ્રમણ, બ્રાહ્મણ કે દુ:ખી માણસોને ખાનપાન આપતી અને દાનધર્મ આચરતી સુખેથી રહે.” વખત જતાં એક દિવસ તે ગામમાં બ્રહ્મચારિણું, બહુશ્રુત અને બહુપરિવારવાળી ગોપાલિકા નામની આર્યા ગામેગામ ફરતી ફરતી આવી પહોંચી તથા સંયમ અને તપથી આત્માને વાસિત કરતી શેડે વખત ત્યાં રહી. તે આર્યોને એક સંઘાટક ભિક્ષા સમયે સાગરદત્તના ઘરમાં આવ્યું. સુકુમાલિકાએ તેને ઘણા આદરથી ભિક્ષા આપ્યા બાદ વિનંતિ કરી કે, “હે આર્યાએ ! પહેલાં હું સાગરને અત્યંત ઈષ્ટ હતી પણ હવે તેને ગમતી નથી, એટલું જ નહિ પણ બીજા જે કોઈને હું વરું છું તેને પણ ગમતી નથી. તે હું સાગરને ફરી ધષ્ટ થાઉં એ કોઈ મંત્ર, ચૂર્ણ કે ઔષધિ મને બતાવે તે ઘણુ કૃપા થશે. તમે બહુશ્રુત છે અને અનેક પ્રયોગોનાં જાણકાર છે.” આર્યાએ આ વાત સાંભળતાં જ પોતાના કાન ઢાંક્યા અને કહ્યું – “હે દેવાનુપ્રિયે ! અમે તે બ્રહ્મચારિણી તપરિવનીએ છીએ. તારું આ વાક્ય અમારે સાંભળવું પણ ન જોઈ એ. અમારું કામ તે સંયમ અને શીલને પ્રચાર કરવાનું છે. જે તે ઈ છે તે સંયમ અને શીલને આચારમાં આણવાની પદ્ધતિ તને બતાવીએ.” - પછી આર્યાઓના ઉપદેશથી સુકુમાલિકા શ્રાવિકા થઈ અને પિતાની સંમતિ લઈને ગપાલિકા આ પાસે પ્રવજિત થઈ. હવે સુકુમાલિકા આર્યા ખાવામાં, પીવામાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy