________________
ધર્મ કથાઓ
એક વાર તે પાટ્ટિલા પેાતાના આવાસની અગાસી ઉપર પેાતાની સખીએ સાથે સાનાના દડાથી રમતી હતી. તે વખતે અશ્વારૂઢ થઈ, મેાટા પિરવાર સાથે અશ્વવાહનિકા માટે નીકળેલા તૈલિપુત્રે તેને દૂરથી જોઈ. તેના રૂપ ઉપર મુગ્ધ થઈને તેણે તેને લગતી ખાસ હકીકત પેાતાનાં માણસાને પૂછી લીધી, અને ઘેર પાછા ગયા બાદ તે સેાનીને ત્યાં તેની કન્યાનું માગું કરવા પેાતાનાં માણસો માકલ્યાં; તથા કહેવરાવ્યું કે જે શુલ્ક જોઈએ તે લઈને પણ તારી કન્યા મને પરણાવ.
૧૦૨
તે સેનીએ ઘણી ખુશીથી આવેલા માણસેાના સ્વાગત સાથે મંત્રીનું કહેવું સ્વીકાર્યુ અને પોતે જાતે મંત્રીને ઘેર તે વાત કહેવા ગયેા. પછી વિવાહાથી તૈલિપુત્ર પેટ્ટિલા સાથે એક પાટ ઉપર બેઠે. અનેએ સ્નાન કર્યું તથા હામ કર્યાં. ત્યારબાદ કુટુંબીઓને જમાડીને વિદાય કર્યા પછી અમાત્ય તૈયલિપુત્ર પેટ્ટિલા સાથે સુખે સુખે રહેવા લાગ્યા.
રાજા કનરથ રાજ્ય તેમ જ અંતઃપુરમાં અત્યંત આસક્ત હતા. તેની એ આસક્તિ એટલી બધી હતી કે પેાતાના એક પશુ પુત્ર રાજ્યને લાયક ન રહે તે માટે તે પેાતાને થતા દરેક પુત્રનાં અંગપ્રત્યગા છેદી નાખતા. તેની રાણીએ વિચાર કર્યો કે આ રાજા એવા દુષ્ટ છે કે તે મારા એક પણ દીકરાને ગાદીના વારસ નહિ થવા દે. તેથી તેણે અમાત્ય સાથે મળીને પેાતાના હવે થનારા એક પુત્રને અચાવી લેવાની ગેાઠવણ કરી.
ચેાગ્ય વખતે રાણીને પુત્ર થયા. અગાઉથી ગેાઠવ્યા મુજબ તેણે તે પુત્રને પેાતાની ધાત્રીદ્વારા અમાત્યને ત્યાં છૂપી રીતે મેકલી આપ્યા, તે જ વખતે પેટ્ટિલાએ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org