SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 4 ।। ઈમિંડનશ્રી આદિનાથાય નમઃ ।। પ્રકાશકીય સ્ફુરણા નવનિર્માણ, પુનર્નિમાણ અને જીર્ણોદ્ધાર- આ ત્રણેય લાભ એકીસાથે અમને પ્રાપ્ત થયેલ છે તેનો આનંદ અમારા હૃદયમાં કોઈ અનેરો જ છે. આથી નવા જ ઉલ્લાસથી અને ઉમંગથી અમે નૂતન સંસ્કૃતવ્યાખ્યા અને ગુજરાતી વિવેચનથી સુશોભિત સ્વોપન્નવૃત્તિસહિત ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશકા પ્રકરણ’’ નામના ગ્રન્થરત્નને ચતુર્વિધશ્રીસંઘના કરકમલમાં સમર્પિત કરી રહ્યા છીએ. ૨૮૦૦ કરતાં વધુ પાનાનો આ મહાગ્રંથ એકી સાથે આઠ ભાગમાં પ્રકાશન કરવાનું સૌભાગ્ય-સદ્ભાગ્ય અમને સંપ્રાપ્ત થયું છે તે બદલ. અમારું હૃદય પરમાનંદથી પ્રફુલ્લિત બનેલ છે. द्वात्रिंशिका આપણે સહુ જાણીએ છીએ કે “દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા પ્રકરણ” અથવા “દ્વાત્રિંશિકા પ્રકરણ” નામથી પણ આ ગ્રંથ પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષામાં “બત્રીસ-બત્રીસી”, “બત્રીસી પ્રકરણ” નામથી પણ આ ગ્રંથનો ઉલ્લેખ થાય છે. આ ગ્રંથમાં કુલ બત્રીસ પ્રકરણ છે. તથા દરેક પ્રકરણની ગાથા બત્રીસ છે. તેથી આ મહાગ્રન્થનું નામ છે. બત્રીસ-બત્રીસી ગ્રંથ અથવા દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા પ્રકરણ, સંક્ષેપમાં બત્રીસી ગ્રંથ અથવા દ્વાત્રિંશિકા પ્રકરણ તરીકે પણ આ ગ્રંથ ઓળખાય છે. મુખ્યતયા યોગ અને અધ્યાત્મનું આ ગ્રંથમાં નિરૂપણ છે. યોગ અધ્યાત્મ વિષય જ ગહન છે. તેમાં વળી નવ્યન્યાયની પરિભાષામાં તેની છણાવટ ઉપાધ્યાયજી મહારાજ કરે પછી તો પૂછવાનું જ શું હોય ? કહેવાની જરૂર નથી કે આ ગ્રંથ ઉપર એક સરળ-સુબોધ-સ્પષ્ટ વિવેચનની આવશ્યકતા વર્ષોથી હતી. કારણ કે અઘરા અને ઊંચા પદાર્થોને અઘરી અને ઊંચી ભાષામાં લખવાનું કાર્ય બહુશ્રુતો માટે ખૂબ સરળ હોય છે. પરંતુ અઘરા અને ઊંચા પદાર્થો આજની સરળ અને સાદી ભાષામાં સમજાવવાનું અધ્યાપકો માટે ખૂબ જ અઘરું અને કપરું કાર્ય છે. તેવા કુશળ અધ્યાપકની ગરજ સારે તે રીતે સરળ-સુબોધ-સ્પષ્ટ વિવેચન/વ્યાખ્યાવિવરણથી અલંકૃત કરીને પ્રસ્તુત ગ્રંથરત્નને શ્રીસંઘ સમક્ષ મૂકવાની અમારી ભાવના પરમપૂજ્ય ન્યાયવિશારદ ગચ્છાધિપતિશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણીવરના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી મ.સા.ને અમારા સંઘના પ્રમુખશ્રી હર્ષદભાઈ મણિલાલ સંધવીએ જણાવી. મુનિશ્રીએ તે વાતને આનંદ સાથે સ્વીકારી. સોનામાં સુગંધ ભળે તેમ મુનિશ્રીએ ‘દ્વાત્રિંશિકા પ્રકરણ’ ઉપર ગુજરાતી વિવરણની સાથો-સાથ સંસ્કૃતવિવરણ પણ તૈયાર કર્યું. સંસ્કૃતવિવરણ ‘નયલતા’ ટીકાસ્વરૂપે તથા ગુજરાતી વિવરણ ‘દ્વાત્રિંશિકા પ્રકાશ' વ્યાખ્યારૂપે પ્રસ્તુત પ્રકાશનમાં સમાવેશ પામેલ છે. પ્રાચીન મુદ્રિત પ્રકાશનોમાં રહેલી અશુદ્ધિઓને ૭ હસ્તલિખિત પ્રતો દ્વારા દૂર કરીને મૂળ ગ્રંથ તથા સ્વોપજ્ઞટીકાને શુદ્ધ કરવાનું તથા અધ્યેતાવર્ગને સહાયક બને તેવી સંસ્કૃતગુજરાતી વ્યાખ્યા લખવાનું એક અત્યંત આવશ્યક અને ઉપયોગી કાર્ય મુનિશ્રીએ કરેલ છે તથા અમારી પ્રબળ લાગણીને ધ્યાનમાં લઈ અમારા શ્રીસંઘને પ્રસ્તુત ગ્રંથ આઠ ભાગમાં એકીસાથે પ્રકાશિત કરવાનો અમૂલ્ય અને અનુપમ લાભ આપેલ છે. તે બદલ અમે મુનિશ્રીનો આભાર માનીએ છીએ. તેમ જ ભવિષ્યમાં પણ આવા અણમોલ સાહિત્યના પ્રકાશનનો અમને લાભ આપવાની તેમને અમે વિનંતી કરીએ છીએ. પ્રાન્તે, પ્રસ્તુત મહાગ્રન્થસ્વરૂપ સ્ટીમરમાં બેસી સહુ મુમુક્ષુઓ ભવસાગરનો ઝડપથી પાર પામી શાશ્વત પરમપદને/પરમાનંદને પ્રાપ્ત કરે એ જ શુભકામના. શ્રાવણ સુદ-૧૦, વિ.સં.૨૦૫૯ Jain Education International લિ. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy