SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ १९८८ • જ્ઞાનવિમાવસ્ય મવવનદેતુતા • ત્રિશા -૨૬/૧૬ न चैवमस्य भावत्वाद् द्रव्यत्वोक्तिर्विरुध्यते। सद्भावकारणत्वोक्तेर्भावस्याऽप्यागमाऽऽख्यया।।१६।। ___ न चैवमिति । न चैवं ज्ञानार्थं प्रकटप्रतिषेविणोऽपि विनयकरणे अस्य = ज्ञानार्थविनयस्य भावत्वाद् द्रव्यत्वोक्तिः आपवादिकविनयस्योपदेशपदादिप्रसिद्धा, विरुध्यते, भावस्याऽपि आगमाख्यया = आगमनाम्ना सद्भावकारणत्वोक्तेः = पुष्टाऽऽलम्बनत्ववचनाद् । समाधत्ते 'न चेति । ज्ञानार्थविनयस्य भावत्वात् = भाववन्दनत्वात् आपवादिकविनयस्य = प्रकटसेविकर्मकवन्दनात्मकाऽऽपवादिकविनयस्य उपदेशपदादिप्रसिद्धा द्रव्यत्वोक्तिः = द्रव्यवन्दनत्वोक्तिः न विरुध्यते, → परिवार-परिस-पुरिसं खित्तं कालं च आगमं नाउं । कारणजाते जाते जहारिहं जस्स कायव्वं ।। 6 (बृ.क.भा. ४५५०) इत्यत्र बृहत्कल्पभाष्ये आगमनाम्ना = आगमशब्देन भावस्यापि ज्ञान-दर्शनादिलक्षणस्य वन्दनं प्रति पुष्टालम्बनत्ववचनात् । ‘दंसण-नाण-चरित्तं' (बृ.क.भा.४५५३) इति गाथाया अवतरणिकायां बृहत्कल्पवृत्तौ ‘आगमग्रहणेन च द्वारगाथायां दर्शन-ज्ञानादिको भावः सुचितः' (बृ.क.वृत्ति ४५५३) इत्येवमुक्तवात् । अस्वारसिककारणस्थले = मुक्तसंयममर्यादादारुणभाव-क्रूरकर्म-मिथ्याऽहङ्कार-पुरुषाऽधमत्व-संविग्नઊભેલા રાજા અને મંત્રીને જોઈને લોકો તેમને ગાંડા માનીને મારવા દોડે છે. મંત્રીશ્વર રાજાને કહે છે કે “આપણે ગાંડા ન હોવા છતાં પણ ગાંડા લોકોની જેમ નગ્ન થઈ, લવારા કરીએ. નહિતર આ ગાંડા નગરજનો આપણને ગાંડા સમજીને મારશે.” મંત્રીશ્વરની આવી સૂચના સાંભળીને રાજા પણ ગાંડાની જેમ વ્યવહાર કરે છે. પછી તે ગાંડા લોકો રાજા-મંત્રીને ડાહ્યા સમજે છે. તેમ કલિકાલમાં શિથિલાચારી એવા ગાંડા લોકોની વચ્ચે રાજા-મંત્રી સમાન સુસાધુએ રહેવું પડે તો અંદરથી સાવધાન રહેવા છતાં પણ બહારથી તેમના જેવો દેખાવ કરવો. તેમને બહારથી વંદનાદિ જરૂર મુજબ કરવા નહિતર શિથિલાચારી સાધુઓ સુસાધુને પીંખી નાખે. આમ હરિભદ્રસૂરિજી મહારાજે કારણસર વંદન કરવું પડે તો પણ શિથિલને દ્રવ્યથી જ વંદન કરવા- આવું જણાવેલ છે. જ્યારે ઉપાધ્યાયજી મહારાજ તો શિથિલાચારી પાસેથી જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાનગુણથી તેઓ પ્રત્યે બહુમાન ભાવ રાખીને વંદન કરવાની વાત કરે છે. અર્થાત્ ભાવવંદન કરવાની વાત કરે છે. તેથી શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ અને મહોપાધ્યાયજી મહારાજની વાતમાં વિરોધ આવે છે. - આ મુજબ શંકાકારનો અભિપ્રાય છે. આ શંકાને લક્ષમાં રાખીને “શ્રીહરિભદ્રસૂરિજી મહારાજનું કથન પ્રાયિક છે.” એવા અભિપ્રાયથી ગ્રંથકારશ્રી સમાધાન આપતાં કહે છે કે – ગાથાર્થ - “આ રીતે જ્ઞાન નિમિત્તક વંદન ભાવરૂપ બની જવાથી દ્રવ્યવંદન તરીકેના કથનનો વિરોધ આવશે.' - એવી શંકા ન કરવી. કારણ કે આગમ શબ્દથી ભાવ પણ વંદનનું પુષ્ટ આલંબન કહેવાયેલ છે. (૨૯/૧૬) ટીકાર્થ :- “આ રીતે જ્ઞાન માટે શિથિલાચારીને પણ વંદન કરવામાં જ્ઞાનનિમિત્તક વંદન ભાવવંદન બની જવાથી આપવાદિક વંદનને ઉદેશીને દ્રવ્યવંદન તરીકેના ઉપદેશપદપ્રસિદ્ધ કથન સાથે વિરોધ આવશે.' એવી શંકા ન કરવી. કારણ કે “આગમ' શબ્દથી ભાવને પણ વંદનના વાસ્તવિક કારણ તરીકે શાસ્ત્રમાં બતાવેલ છે. માટે જ શિથિલાચારીમાં રહેલ જ્ઞાનાદિ ભાવમાં પુષ્ટાલંબનપણાની વાત વંદનનિમિત્તરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy