________________
• આવૃત્તિને પણ આવકાર •
१९५९
૨૨૧૬ ૪ ૨૮- નયલતાની અનુપ્રેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. દીક્ષાનો વ્યુત્પત્તિઅર્થ શું થાય? વ્યવહાર ને નિશ્ચયનયથી દીક્ષા કોને હોય ? ૨. દીક્ષાના અધિકારી કોણ ? ૩. દીક્ષાના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવનું ફળ શું ? ૪. ૫ પ્રકારની ક્ષમાનાં નામ તથા સમજૂતિ આપો. ૫. ભોગાંતરાયના ઉદયથી દીક્ષા મળી છે. એવું ક્યારે સમજવું અને તે કેવી વિડંબના પામે છે?
તે દૃષ્ટાન્તથી સમજાવો. ૬. ભાવસાધુને શરીરાદિનો અનુરાગ ન હોય તો ભિક્ષાટન કેવી રીતે સંભવે ? ૭. સદીક્ષા કોને કહેવાય ? ૮. ભાવદીક્ષામાં સાધુ શું કરે ? (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. પ્રીતિ તથા ભક્તિ અનુષ્ઠાનમાં કયું દષ્ટાન્ત ષોડશકમાં આપ્યું છે ? ૨. અસંગ અનુષ્ઠાનની ઓળખાણ કઈ ? ૩. ક્ષમાદિધર્મ શુકલસ્વરૂપ ક્યારે બને ? ૪. અસંગપ્રતિપત્તિ એટલે શું ? ૫. દીક્ષામાં રતિ કે અરતિને ક્યાંય અવકાશ નથી. કેવી રીતે ? તે દાન્ત આપી સમજાવો. ૬. જૈનમતે ધ્યાનનો અર્થ જણાવો. ૭. વર્તમાનમાં પ્રભુવીરનાં શાસનમાં કયા બે પ્રકારના નિગ્રંથો છે. ૮. દીક્ષામાં ક્યા નયથી એકતા છે ? તે દષ્ટાન્ત આપી જણાવો. ૯. દીક્ષાના પ્રારંભથી પરાકાષ્ઠાની ઓળખાણ કરાવો. ૧૦. દ્રવ્યદીક્ષા હોય ત્યારે કેટલી ક્ષમા હોઈ શકે? કઈ કઈ ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. દીક્ષા શબ્દ ....... નો પર્યાયવાયી છે. (પરિવ્રજ્યા, સાધના, તપ) ૨. દીક્ષામાં સૌપ્રથમ ......... ક્ષમા આવે છે. (કાય, વચન, મન) ૩. ......... માસના પર્યાયવાળા સાધુ પ્રથમ ર વૈમાનિક દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે.
(૬, ૯, ૧૦) ૪. જ્યાંથી સંસારમાં પાછુ ફરવાનું નથી તેને ....... પદ કહેવાય છે. (અનાગમ, આગમ, અનિત્ય) ૫. શરીર આત્માનો ......... છે. મિત્ર, શત્રુ, ભાઈ) ૬. પ્રવ્રજ્યા ......... ની સ્વીકૃતિ છે. (જ્ઞાનયોગ, તપયોગ, જાપયોગ) ૭. ........... રૂપે દીક્ષા એક પ્રકારની છે. (સામાયિક, જ્ઞાન, તપ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org