SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ वसन्तनृपचेष्टातुल्याऽसद्दीक्षाविडम्बनम् द्वात्रिंशिका -२८/१३ नैहिकाऽर्थाऽनुरागेण यस्यां पापविषव्ययः । वसन्तनृपचेष्टेव सा दीक्षाऽनर्थकारिणी ।। १३ ।। चारित्रगुणविघातहेतु-फले दर्शयति- 'ने'ति । ऐहिकार्थाऽनुरागेण ऐहिक- पारलौकिकप्रयोजनाऽभिष्वङ्गेण यस्यां दीक्षायां पापविषव्ययो न जायते सा हि दीक्षा अयोग्यगृहीता वसन्तनृपचेष्टा इव = फाल्गुनिकाराकाऽनन्तरागामिशास्त्रीयचैत्रमासोपहसित- वसन्तर्तुकालीन- होलिकापर्वसम्बन्धिनृपतिसत्कगर्दभारोपणशूर्पकच्छ्त्रधारण-मषिविलेपनादिप्रवृत्तितुल्या अनर्थकारिणी = दुर्गत्यारोपण - मोहाऽनुशासनच्छत्रधारण-कषायमषिविलेपनाद्यपायनिबन्धना विडम्बनप्रायत्वेन ज्ञातव्या । तदुक्तं षोडशके इतरस्य पुनर्दीक्षा वसन्तनृપશિમા યા - (છો.૧૨/૧) વૃત્તિ । તરસ્ય = दीक्षानधिकारिणः । तदुक्तं संविग्नसाधुनियमकुलके अपि → निअउअरपूरणफला आजीविअमित्तं होइ पवज्जा धूलिहडीरायतणज्जासरिसा सव्वेसिं हसનિષ્ના || ć (સં.સા.નિ.૨) કૃતિ | પૃઢિજાડíડનુરાચાઽન્ત:રદૂષત્વન તસ્મિન્ તિ નાડવઘविषापहारः सम्भवति । तदुक्तं पञ्चवस्तुके → जम्हा उ अभिस्संगो जीवं दूसेइ नियमओ चेव । તદ્દસિયસ્સ નોનો વિસરિઝનોનતુલ્લો ત્તિઓ|| - (પં.વ.૧૧૨) ત્તિ ।।૨૮/૧૩|| १९२० = જેટલી ક્ષણો પસાર કરે તે અહીં તેજોલેશ્યાવૃદ્ધિમાં નિમિત્ત બને તેવો સંયમપર્યાય ગણવો. આવી ક્ષણોનો સમૂહ ૧ વર્ષની ક્ષણ જેટલો થાય ત્યારે સાધુ અનુત્તર-વિમાનવાસી દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય. અર્થાત્ સંયમના મૂળ અને ઉત્તર ગુણમાં સ્ખલના ન પહોંચાડે તેવો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનક ઉપર રહેવાનો સમય ૧ વર્ષ જેટલો થાય ત્યારે સાધુ સર્વ દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. માત્ર દીક્ષા લીધી કે વડી દીક્ષા થઈ ત્યાર પછી કેલેન્ડર-પંચાંગ મુજબ ૧ વર્ષ પસાર થઈ જાય એટલે અનુત્તરદેવની તેજોલેશ્યાને સાધુ ઓળંગી જાય- તેવો અર્થ કરવો નહિ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.(૨૮/૧૨) તો દીક્ષા પણ દુ:ખદાયી ગાથાર્થ :- આ લોકના પ્રયોજનોના રાગથી જે દીક્ષામાં પાપસ્વરૂપ ઝેરનો નાશ થતો નથી તે દીક્ષા તો હોળીના રાજાની પ્રવૃત્તિની જેમ અનર્થને કરનારી છે. (૨૮/૧૩) વિશેષાર્થ :- દીક્ષાના માધ્યમથી પાપ અને પાપના અનુબંધો તૂટે તો તેજોલેશ્યા વધે. પરંતુ દીક્ષા લીધા પછી વર્તમાન ભવની જરૂરીયાતમાં જ, ભોગતૃષ્ણામાં જ મન સતત ખેંચાયેલું રહે તો તેવી દીક્ષા લેનારો શ્રી સંઘને ભાર બોજરૂપ બને છે. તેવી દીક્ષા મોહનીયકર્મનો ક્ષયોપશમ થવાથી નથી મળેલી પરંતુ ભોગાંતરાયના ઉદયથી મળેલી છે - એમ સમજવું રહ્યું. તેવી દીક્ષા લેનાર હોળીના રાજા જેવી વિડંબનાને પામે છે. હોળીના રાજાનું દૃષ્ટાંત આ મુજબ સમજવું - ફાગણ ચૈત્ર માસ વસંત ઋતુમાં આવે છે. ફાગણ પૂર્ણિમાના દિવસે જૈનેતર લોકો એક વ્યક્તિને હોળીનો રાજા બનાવી તેને ગધેડા ઉપર બેસાડે છે. તથા કાળા રંગથી તેનું મોઢું કપડાં વગેરે રંગી નાખી તેની વિડંબણા કરતા કરતા ‘હોળીના રાજાની જય હો' ઈત્યાદિ બોલે છે. ફાગણ પુનમ પછીના દિવસે ફાગણ વદ-૧ તિથિ આવે છે. તે શાસ્ત્રીય ભાષામાં ચૈત્ર-વદ એકમ કહેવાય છે. તેથી ચૈત્ર માસ જાણે કે હોળીના રાજાની – વસંત રાજાની મશ્કરી કરી રહ્યો છે - એવી ઉત્પ્રેક્ષા ષોડશકવૃત્તિમાં (૧૨/૧) શ્રીમદ્ભુએ કરી છે. અહીં કહેવાનો ભાવ એ છે કે નામ વસંતરાજા = હોળીનો રાજા છતાં વિડંબના પામવાની. તેમ અનધિકારી વ્યક્તિ દીક્ષા સ્વીકારે માટે અનધિકારી વ્યક્તિને દીક્ષા ન આપવી. - આવો ભાવ -- છતાં તેને માટે એ વિડંબના રૂપ બને છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy