SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 26 • પ્રસ્તાવના : द्वात्रिंशिका મહારાજ જ્ઞાનગર્ભિત વૈરાગ્યની ખામી જણાવે છે. અધ્યાત્મસારમાં વૈરાગ્યભેદાધિકારમાં કહ્યું કે स्वागमेऽन्यागमार्थानां शतस्येव परार्धके । नाऽवतारबुधत्वं चेद् न तदा ज्ञानगर्भता ।।३६।। યોગીઓનું ચિંતન - આ બત્રીસીમાં તે તે સ્થિરાદિ દૃષ્ટિમાં રહેલ યોગીનું ભવસ્વરૂપાદિ સંબંધી ચિંતન તથા તેનું વર્તન કેવું હોય ? આ દૃષ્ટિમાં તેઓ શું શું મેળવે છે ? શું સાધે છે ? ક્યા ગુણનું બીજ પાડે અથવા દઢ કરે ? ઈત્યાદિ નિરૂપણ “નયલતામાં અત્યંત અદ્દભુત રીતે કરેલું છે. આનાથી અભ્યાસીના બોધનો વિકાસ, વૈરાગ્ય આદિની પુષ્ટિ જરૂર થશે. - તુલના :- નજીકની બે દૃષ્ટિ વચ્ચે તુલના પણ અભુત કરી છે. વસ્તુતઃ ગ્રન્થકારે જ કરી હોવા છતાં ય “નયેલતામાં તેને અનેક સંદર્ભો દ્વારા ખૂબ વિશદ રીતે કરેલી છે. દા.ત. આઠમા શ્લોકની નયલતામાં કહ્યું છે પાંચમી સ્થિરા દૃષ્ટિમાં ભોગની અસારતાથી આત્માને ભાવિત કરવા વડે ભોગેચ્છાની વિરતિ થાય છે. જ્યારે છઠ્ઠી દષ્ટિમાં આત્મતત્ત્વના સ્પષ્ટતરસંવેદનથી ભોગેચ્છાથી વિરામની પ્રાપ્તિ થાય છે. સ્થિરાદષ્ટિની અપેક્ષાએ- યથા યથા ન રોન્ત વિષય: સુનમ | તથા તથા સમયતિ સવિત્તી તત્ત્વગુત્તમમ્ ! એવું ઈષ્ટોપદેશ ગ્રન્થનું વચન શુદ્ધ વ્યવહારનયથી ઘટે છે. જ્યારે કાંતા દષ્ટિને આશ્રયીને- યથા યથા સમાતિ વિત્તી તસ્વમુત્તમમ્ | તથા તથા રોવત્તે વિષયા: સુત્તમ પિ || એવું વિધાન શુદ્ધનિશ્ચયનયથી સંગત થાય છે... ઈત્યાદિ. આ તમામ બાબત નૂતન “નયેલતા કારના અસાધારણ બોધ અને સર્જનશક્તિનો ખ્યાલ આપે છે. આ પ્રમાણે કાંતા-પ્રભા, પ્રભા-પરા દૃષ્ટિની તુલના બાબતમાં પણ જોવા મળે છે.. આવા ગ્રન્થોનો અભ્યાસ આધ્યાત્મિકતાની અભિમુખતા-રસ પેદા કરી આપે છે. ૨૫મી ફ્લેશતાનોપાચ’ બત્રીસી • આગમપ્રજ્ઞ મહાપુરુષોની દષ્ટિ અલૌકિક હોય છે. કારણ કે આગમાનુસારી પરિશીલન દ્વારા એ પરિકર્ષિત થયેલી હોય છે. વળી, યોગાભ્યાસજન્ય સ્વાનુભવથી તેઓને આત્મામાં રહેલ અદ્ભુત જ્ઞાનનો ઉઘાડ થયો હોય છે. સ્યાદ્વાદુગર્ભિત, પ્રમાણ-નય-નિપાદિથી પરિપક્વ બોધ હોય ત્યારે “કેલીડે સ્કોપ જેવો લાગે છે. એક પદાર્થને જુદાં જુદાં એંગલથી નિહાળીએ ત્યારે જાણે નવો જ પ્રકાશ- નવો જ પદાર્થ હોય તેમ ભાસે છે. આમ તેઓ કયારેક સંગ્રહ નયને આગળ કરીને સર્વદર્શનનો સમન્વય કરતાં હોય છે તો ક્વચિત્ વ્યવહારનયની અપેક્ષાએ અન્યના અપસિદ્ધાંતોનું ખંડન પણ કરે છે. બેશક! અસંગત અર્થનું ખંડન થાય, ત્યારે પણ સંગત પદાર્થના સ્વીકારની તૈયારી હોય જ... તેમાં શબ્દભેદ આડે ન આવે. આર્ય-સંસ્કૃતિ એ મોક્ષલક્ષી સંસ્કૃતિ છે. આથી તેમાં ઘટક રૂપે રહેલાં જુદાં જુદાં દર્શનો મોક્ષના ઉપાયની વિચારણા કરવાના જ. અને કોઈ પણ મુમુક્ષુને તે જાણવાની જિજ્ઞાસા રહેવાની જ. પૂર્વની બત્રીસીમાં મોક્ષ કારણભૂત યોગદષ્ટિઓ કેવા સ્વરૂપે હોય તો વસ્તુતઃ સર્વક્લેશના નાશ રૂપ મોક્ષનો ઉપાય બને ? એની વિચારણા આ બત્રીસીમાં કરાઈ છે. જુદાં જુદાં દર્શનોએ માનેલાં ઉપાયોનું નિરૂપણ કરીને તેના અસંગત અંશનું નિરાકરણ કરીને અંતે જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત હોવાથી જ યોગદષ્ટિઓ મોક્ષ આપી શકે, બીજી રીતે નહીં- એમ અહીં પ્રસ્થાપિત કરેલું છે. અન્ય મતના નિરૂપણ વખતે કદાચ તે સાચો જ લાગે. પણ જ્યારે તેની અસંગતતાનું નિરાકરણ કરાય ત્યારે એમ જ લાગે કે અન્ય મતમાં સંમત ક્લેશનાશનો ઉપાય નયસાપેક્ષ રીતે અસ્વીકાર્ય ન હોવા છતાં ય પ્રમાણભૂત www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004943
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 6
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages354
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy