________________
• વન્દ્રોપર વિમર્શ •
११३९ = अतीन्द्रियवस्तुनिर्णयोऽपि स्यात्, तथा = वर्धमानत्वादिविशेषेण चन्द्रोपरागवत् = चन्द्रराहुस्पर्शवत् । यथा शास्त्रात् सर्वविशेषाऽनिश्चयेऽपि चन्द्रोपरागः केनाऽपि विशेषेण निश्चीयत एव तथाऽन्यदप्यतीन्द्रियं वस्तु ततश्छद्मस्थेन निश्चीयत इति भावः ।।२६।। इत्थं ह्यस्पष्टता शाब्दे प्रोक्ता तत्र विचारणम् । माध्यस्थ्यनीतितो युक्तं व्यासोऽपि यददो जगौ।।२७।। व्याख्यानयति हस्तस्पर्शसममित्यादि । वर्धमानत्वादिविशेषेण = वर्धमानत्व-हीयमानत्वाऽर्धग्रस्तत्व-पूर्णग्रस्तत्वादिविशेषेण तत्तत्स्थान-कालनियतरूपेण । शिष्टं स्पष्टम् । प्रकृते → शास्त्रेण न स्यात् परमार्थदृष्टिः कार्यक्षमं पश्यति चाऽपरोक्षम् + (वरा.२/६९) इति वराहोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् । → जो वि पगासो बहुसो गुणिओ पच्चक्खओ ण उवलद्धो। जच्चंधस्स व चंदो फुडो वि संतो तहा તે વસ્તુ ના ૯ (ઉ.વ.મ.9રર૪) તિ વૃદન્યમાથાનમ_ત્રાડનુસન્થયન્9૬/રદ્દા
ઉપસંહારમહં- “સ્થમિતિ | શાસ્ત્ર આ હસ્તસ્પર્શતુલ્ય છે કારણ કે શાસ્ત્રથી જ કોઈ પણ રીતે છદ્મસ્થ પ્રાજ્ઞ પુરુષોને અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય પણ થઈ શકે છે. (જેમ કે ચંદ્રગ્રહણ ક્યારે થશે ? કેટલા પ્રમાણમાં થશે ? કેટલો સમય રહેશે ? આ વિષયમાં સાચો નિર્ણય આપમેળે કરવા માટે છદ્મસ્થ જીવો પાંગળા છે. પણ શાસ્ત્રનો આશ્રય કરવામાં આવે તો તેના માધ્યમથી) વર્ધમાનત્વ વગેરે વિશેષ ગુણધર્મો સ્વરૂપે ચન્દ્રને રાહુનું પ્રહણ ક્યારે થશે ? તે જાણી શકાય છે. જેમ જ્યોતિષ શાસ્ત્ર દ્વારા ચન્દ્રગ્રહણની તમામ વિશેષતાઓ (કે જે સર્વજ્ઞ દ્વારા જ જાણી શકાય તેવી હોય છે તે) ન જાણી શકાવા છતાં પણ અમુક ચોક્કસ પ્રકારે ખંડગ્રાસરૂપે કે ખગ્રાસરૂપે કેટલો સમય ચંદ્રનું રાહુ દ્વારા ગ્રહણ થશે ? તેનો યથાર્થ નિર્ણય થઈ શકે છે તેમ બીજી પણ અતીન્દ્રિય આત્માદિ વસ્તુનો શાસ્ત્ર દ્વારા છદ્મસ્થ = અસર્વજ્ઞ જીવ પણ યથાર્થ નિશ્ચય કરી શકે છે. એવું અહીં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે. (૧૬/૨૬).
વિશેષાર્થ :- ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ વગેરેની તમામ વિશેષતાઓ તો ફક્ત સર્વજ્ઞ જાણી શકે છે. તેમ છતાં “ક્યારે ક્યાં કેટલા સમય માટે કેટલા પ્રમાણમાં (આખું કે અડધું વગેરે) ચંદ્ર-સૂર્યગ્રહણ થશે?” આવી વિશેષતાઓ જ્યોતિષ શાસ્ત્ર દ્વારા ઓળખી શકાય છે. તેમ આત્મા વગેરે અતીન્દ્રિય વસ્તુના તમામ ગુણધર્મો તો કેવળ સર્વજ્ઞ ભગવંતો જ જાણી શકે. પરંતુ આગમ-શાસ્ત્ર દ્વારા દેહવ્યાપિત, સુખાદિઆશ્રયત્ન અમૂર્તત્વ વગેરે આત્માગત અમુક વિશિષ્ટ ગુણધર્મોનો નિશ્ચય આપણે પણ કરી શકીએ છીએ. ભલે શાસ્ત્ર દ્વારા અતીન્દ્રિય વસ્તુનો નિશ્ચય અસ્પષ્ટ થતો હોય તો પણ અતીન્દ્રિય વસ્તુ માટે યથાર્થ નિર્ણય કરવો હોય તો તર્ક, દલીલ વગેરેના બદલે આગમ શાસ્ત્રનો આશ્રય લેવો વધુ હિતાવહ છે. આવું ઉપરોક્ત શ્લોક દ્વારા ફલિત થાય છે. આ શ્લોક યોગબિંદુ ગ્રંથમાંથી અહીં ઉદ્ધત કરવામાં આવેલ છે. તેની વાચકવર્ગે નોંધ લેવી. (૧૬/૨૬) -
ગાથાર્થ :- આમ શાસ્ત્રબોધમાં અસ્પષ્ટતા કહેવાયેલ છે. તેથી અસ્પષ્ટ શાસ્ત્રબોધમાં મધ્યસ્થ રીતે વિચારણા કરવી એ પણ યુક્તિસંગત છે. કારણ કે વ્યાસે પણ કહેલ છે કે [..આ વાત આગળના શ્લોકમાં બતાવવામાં આવશે] (૧૬/૨૭) . મુદ્રિત તો ..જિવસ્તુ તિ : / ૨. દસ્તાવ “. નિતિતા' ફુટ્યશુદ્ધ: 10: રૂ. ફ્રસ્તાવ ‘નr:' ત્યg: .
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org