SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 19. द्वात्रिंशिका • ૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર • નથી પણ પોતાનો સંક્લિષ્ટ પરિણામ તેનું કારણ છે.” એમ વિચારી બાહ્ય શુભાશુભ વસ્તુ પ્રત્યે ઉપેક્ષા. (ગા.૬) આ ચારે ભાવનાના અવાંતર ભેદો ઉત્તરોત્તર ચઢિયાતા છે. તેથી ચારે ભાવના અધ્યાત્મમાં ઉપયોગી છે. પાતંજલયોગદર્શનના મંતવ્ય પ્રમાણે આગળ ગ્રંથકારશ્રીમદ્જી ચારેય ભાવનાનું ક્રમશઃ ફળ દર્શાવતા કહે છે કે મૈત્રી ભાવના સુખી લોકો ઉપરના ઈષ્યભાવથી બચાવે છે. કરુણા ભાવના દુઃખી જીવોની ઉપેક્ષા કરવા નથી દેતી પ્રમોદ ભાવનાથી સુકૃત કરનારના પુણ્ય ઉપર દ્વેષ નથી થતો. મધ્યસ્થતા પાપી જીવો ઉપર રાગ-દ્વેષ ઊભા થવા દેતી નથી. (ગા.૭) ગ્રંથકારશ્રી કહે છે કે અધ્યાત્મથી પાપનો ક્ષય, સત્ત્વ, શીલ = ચિત્તની સમાધિ અને શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થાય છે. અધ્યાત્મ જ મોહરૂપી ઝેરનો નાશ કરનાર અમૃત છે. (ગા.૮) તત્ત્વજ્ઞાનગર્ભિત અને વર્ધમાન એવો અધ્યાત્મ વિષયક અભ્યાસ ભાવના કહેવાય. તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યસ્વરૂપ છે. ભાવનાથી સંસ્કાર પડે અને તે સંસ્કારથી બીજી નવી ભાવના પ્રગટે. આ રીતે જીવ મોક્ષમાર્ગે આગળ વધે છે. (ગા.૯-૧૦). આગળ ગ્રંથકારશ્રી યોગબિંદુ ગ્રંથ મુજબ ધ્યાનની સુંદર વ્યાખ્યા દેખાડે છે કે સ્થિર, અખંડ, એકવિષયક, પ્રશસ્ત બોધ ધ્યાન કહેવાય. તે ઉત્પાદ, વ્યય વગેરે સૂક્ષ્મ વિચારણાથી યુક્ત હોય. ખેદ, ઉગ, લેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુદ્, રોગ અને આસંગ-આ આઠ ભોગીના મનના દોષો છોડવાથી યોગીનું ધ્યાન વૃદ્ધિ પામે છે. (૧) ખેદ = ક્રિયાથી ઉત્પન્ન થતો થાક. (૨) ઉગ = પ્રવૃત્તિ શરૂ કર્યા વિના જ થાક લાગે છે. (૩) ભ્રમ = યોગસાધના કરી કે નહિ ? તેના સંસ્કારનો અભાવ. (૪) ઉત્થાન = પ્રશાંતવાહિતાનો અભાવ (૫) ક્ષેપ = યોગસાધના વખતે મન બીજે જાય. (૬) અન્યમુદ્દ = ચાલતી આરાધનાને છોડીને અન્ય કામમાં પ્રીતિ કરવી. (૭) રોગ = માનસિક પીડા. (૮) આસંગ = આસક્તિ. “આ જ અનુષ્ઠાન સુંદર છે.” એ પ્રમાણે આસક્તિ. આ આઠ ચિત્તદોષો છોડીને ક્રોધાદિ વિકારથી રહિત અને ઉદાર આશયવાળા યોગી પુરુષ દ્વારા થતું ધ્યાન કુશલાનુબંધી જાણવું. આવું ધ્યાન યોગીને હિતકારી બને છે. (ગા.૧૧ થી ૨૦) તમામ કાર્યમાં સ્વાધીનતા, ભાવની સ્થિરતા અને અનુબંધનો વિચ્છેદ ધ્યાનનું ફળ છે. (ગા.ર૧) યોગના ત્રીજા ભેદ ધ્યાનનું નિરૂપણ કર્યા બાદ ગ્રંથકારશ્રી યોગના ચોથા ભેદનું નિરૂપણ કરતા જણાવે છે કે ઈષ્ટ-અનિષ્ટ રૂપે કલ્પાયેલ વિષયોમાં વિવેકદષ્ટિથી તુલ્યતાબુદ્ધિ લાવવી તે સમતા કહેવાય. પરંતુ એ.સી.માં રહીને, સેન્ટ-પર્યુમ લગાવીને, ડનલોપની ગાદીમાં બેસીને, પાન-મસાલા ચાવતાચાવતા, સ્વપ્રશંસા સાંભળીને કેળવેલી સમતાને મિથ્યા સમતા જાણવી. ધ્યાન વિના સમતા નથી અને સમતા વિના ધ્યાન નથી. બન્ને પરસ્પર પૂરક છે. લબ્ધિઓનો ઉપયોગ ન કરવો, કેવળજ્ઞાન વગેરેને ઢાંકનારા સૂક્ષ્મ કર્મનો ક્ષય કરવો, અપેક્ષા-રૂપ બંધનનો ઉચ્છેદ કરવો તે સમતાનું ફળ છે. (ગા.૨૨ થી ૨૪) સ્વભાવથી જ નિસ્તરંગ એવા આત્મામાં વિકલ્પ અને પરિસ્પદ સ્વરૂપ તરંગો ઉભા થાય છે. તે વૃત્તિ કહેવાય છે. તે ફરીથી ઉત્પન્ન ન થાય તે રીતે તેનો ત્યાગ કરવો તે વૃત્તિસંક્ષય કહેવાય. કેવલજ્ઞાનની પ્રાપ્તિના સમયે વિકલ્પવૃત્તિક્ષય તથા અયોગીકેવલિદશામાં પરિસ્પંદ-વૃત્તિસંક્ષય હોય છે. તેના ફળ રૂપે કેવળજ્ઞાન, શૈલેશીપણાનો સ્વીકાર અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. (ગા.૨૫-૨૬) જેમ સિદ્ધો સમાન હોવા છતાં તેના પંદર ભેદ પાડેલ છે તેમ વૃત્તિરોધને યોગ માનીએ તો તેના પણ પાંચ ભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy