SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 82 • નલતાકારની હૃદયોર્મિ • द्वात्रिंशिका વૈયાકરણ મુનિરાજશ્રી રત્નવલ્લભવિજયજી મહારાજે ૨૩ થી ૨૬ બત્રીસી ઊંડાણપૂર્વક વાંચી છઠ્ઠા ભાગની વિસ્તૃત પ્રસ્તાવનાનું આલેખન કરવા માટે જે જહેમત ઉઠાવી છે તે પણ દાદ માગી લે તેવી છે. પૂજ્યપાદ રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના મુનિરાજશ્રી સંયમપ્રભવિજયજી મહારાજે પ્રથમ ત્રણ બત્રીસી ઝીણવટથી વાંચી/તપાસી અનુપમ આત્મીયતા દર્શાવી છે તે પણ ભૂલાય તેમ નથી. ૩૧ + ૩૨ મી બત્રીસી ધ્યાનપૂર્વક વાંચીને આઠમા ભાગની પ્રસ્તાવના લખવા દ્વારા સુજ્ઞ વાચકવર્ગને ગ્રંથઅભ્યાસની ચાહના/ઝંખના જગાડવાનો ઉદ્યમ કરનાર પંડિતવર્યશ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ પણ અવશ્ય ધન્યવાદને પાત્ર છે. પરમપૂજ્ય વિચક્ષણપ્રજ્ઞાસંપન્ન મુનિરાજશ્રી અજયસાગરજી મહારાજ સાહેબે દ્વાત્રિશલાત્રિશિકાગ્રન્થના આઠેય ભાગમાં આવતા ઉપયોગી પદાર્થનું પરિશિષ્ટ (જુઓ ભાગ-૧, પૃ.૮૭ થી ૧૪૯) તથા આઠમા ભાગના પરિશિષ્ટો વગેરે તૈયાર કરવામાં મહત્ત્વનું માર્ગદર્શન અને વિશિષ્ટ સહયોગ આપી પ્રસ્તુત પ્રકાશનને અનોખી રીતે તૈયાર કરવામાં જરા પણ કસર કે કચાશ રાખી નથી. તેમની ઉદારતા-નિસ્પૃહતા ચિરસ્મરણીય રહેશે. પૂજ્યપાદ અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વિદુષી સાધ્વીશ્રી નંદીયશાશ્રીજી મ.સા. તથા પૂ.બાપજી મહારાજના સમુદાયના વિચક્ષણ સાધ્વીશ્રી રાજયશાશ્રીજી મહારાજે આઠેય ભાગનું સંપૂર્ણ મેટર વાંચી-સુધારીને જે સુંદર શ્રુતસેવા કરી છે તે ખૂબ અનુમોદનીય છે. પૂ. બાપજી મહારાજના સમુદાયના સાધ્વીશ્રી પૂર્ણપ્રભાશ્રીજી મહારાજે તથા સુશ્રાવિકા ઉષાબેન અજીતભાઈ શાહ દ્વારા બત્રીસ-બત્રીસી ગ્રંથની પ્રાચીન હસ્તપ્રતોના પાઠાંતરો નોંધવામાં ઉદારતાપૂર્વક મહત્ત્વનો સહયોગ મળેલ છે. પ્રસ્તુત ગ્રન્થરત્નના મુફરિડીંગ કાર્યમાં મુનિરાજશ્રી જિનપદ્મવિજયજી મ.સા. સાધ્વીશ્રી પૂર્ણપ્રભાશ્રીજી મ.સા. પૂ. રાજેન્દ્રસૂરિજી મ. (કલિકુંડવાળા) ના આજ્ઞાવર્તી સાધ્વીશ્રી વિરાગરસાશ્રીજી મ.સા. સુ.અશોકભાઈ શાહ (અમૂલ સોસા. ઓપેરા) તથા સુ. પ્રવીણભાઈ ચોક્સી, (ઓપેરા, અમદાવાદ) તથા મારા શિષ્યવૃંદે પણ જે સુંદર સહાયક ભાવ દર્શાવેલ છે તેની અનુમોદના પણ અસ્થાને નહિ ગણાય. બત્રીસીનો સ્વાધ્યાય' અને “નયતાની અનુપ્રેક્ષા' શિર્ષકવાળા ૩૨ x ૨ = ૬૪ પ્રશ્નપત્રો તેમજ ઉત્તરપત્રો (પરિશિષ્ટ ૧૩) તૈયાર કરવામાં વિદુષી સાધ્વીશ્રી રાજયશાશ્રીજી મહારાજે મહત્ત્વનો ભાગ ભજવેલ છે. હારિભદ્રીય યોગવાયના ઊંડા અભ્યાસી મુમુક્ષુ ઉમંગભાઈએ (અમૂલ સોસા., ઓપેરા, અમદાવાદ) ૧૯ થી ૨૨ બત્રીસીનું મેટર શાંતિથી અવગાહન કરી પાંચમા ભાગની પ્રસ્તાવના (દ્વિતીય) લખીને અદકેરી શ્રુતભક્તિ કરી છે. તે પણ આ અવસરે અનુમોદનીય છે. દ્વાર્કિંશિક પ્રકરણના આઠેય ભાગની પ્રસ્તાવના અને ટૂંકસારના આધારે “આ અમૃત છે. લો, ચાખો.' | શિર્ષક હેઠળ આઠેય ભાગનો સંક્ષિપ્ત પરિચય લખી આપનાર પંડિતશ્રી ધનંજયભાઈ જૈન પણ ધન્યવાદાઈ છે. • શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા અજયભાઈ શાહ તથા વિમલભાઈ પટેલ દ્વારા ગ્રંથનું કમ્પોઝીંગ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy