SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • નલતાકારની હૃદયોર્મિ • 81 છે. પાંચમાં ભાગની પ્રસ્તાવના લખવાનો તથા ૧૧ મી બત્રીસીની ટીકા-અનુવાદને તપાસી આપવાનો મહોપકાર પણ તેઓશ્રીએ ઉદારદિલે કરેલ છે. પરમપૂજ્ય પદ્મમણિતીર્થોદ્ધારક ભવોદધિતારક ગુરુદેવશ્રી વિશ્વકલ્યાણ વિજયજી મહારાજે હાથ ઝાલ્યો ન હોત તો આજે હું ભવસાગરમાં ક્યાં ભટકતો હોત ? તેની કલ્પના કરતાં પણ ધ્રૂજારી આવે છે. પરમપૂજ્ય શ્રુતસંરક્ષક રાષ્ટ્રસંત આચાર્યદેવશ્રી પાસાગરસૂરીશ્વરજી મહારાજાને તો આ મંગલ અવસરે કેમ વિસરાય? શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનભંડાર - કોબામાંથી એકી સાથે મહિનાઓ સુધી ૪૦૦/૫૦૦ કિંમતી પુસ્તકો અપાવવામાં તથા મારા માટે અનેક કિંમતી પુસ્તકો મંગાવી આપવા તેઓશ્રીએ દાખવેલી ઉદારતા વિના “નયેલતા ટીકાની રચના ખૂબ વામણી બની જાત. એમાં કોઈ સંદેહ નથી ૧ થી ૪ બત્રીસી સટીક-સાનુવાદ વાંચન- સંશોધન કરી પ્રથમ ભાગની પ્રસ્તાવના લખી આપવાની ઉદારતા અને આત્મીયતા દર્શાવનાર શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજા પણ અવશ્ય સ્મર્તવ્ય છે. પ્રથમ ભાગની બીજી પ્રસ્તાવનાના આલેખક મધુરભાષી શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજા પણ આ અવસરે સ્મૃતિપટ ઉપર ઉપસ્થિત થાય છે. પરમપૂજ્ય અધ્યાપનરસિક, સંસ્કૃત-ગુજરાતી સાહિત્યસર્જક આચાર્યદેવશ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ૧ થી ૧૪ બત્રીસીનું સંશોધન કરી આપવાની ઉદારતા કરી આપીને પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતામાં જબ્બર વધારો કરેલ છે. પરમપૂજ્ય પ્રાચીન સાહિત્યસંશોધક-સંપાદક મૃદુ-મિતભાષી આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ૪ થી ૧૧ બત્રીસીઓ વાંચી, કિંમતી સૂચનો આપી, બીજા ભાગની પ્રસ્તાવના લખી આપવાની પરિશ્રમસાધ્ય ઉદારતા કરી છે, તે ચિરસ્મરણીય રહેશે. પરમપૂજ્ય સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન તપસ્વી પંન્યાસપ્રવરશ્રી પુણ્યરત્નવિજયજી ગણિવરે આઠેય ભાગનું સંપૂર્ણ સંશોધન કરીને ઉપકારશૃંખલાને અવિસ્મરણીય બનાવી છે. • પરમપૂજ્ય વિદ્વત્સભાશૃંગાર પંન્યાસપ્રવરશ્રી યશોરત્નવિજયજી ગણિવરે પણ અનેક સ્થળે સંશોધનાદિ કાર્યમાં ઉદારતાપૂર્વક સામે ચાલીને સહાય કરી છે તે પણ ભૂલાશે નહિ. પરમપૂજ્ય અધ્યાત્મસાધનાનિરત પંન્યાસપ્રવરશ્રી મુક્તિદર્શનવિજયજી ગણિવરશ્રીએ ચોથા ભાગની પ્રસ્તાવના લખી આપવા દ્વારા મહત્ત્વનો ઉપકાર કર્યો છે. પૂજ્ય ગણિવર શ્રી ભાગ્યેશવિજયજી મહારાજે ૯ થી ૧૩ તથા ૧૯ થી ૨૪ બત્રીસીનું મેટર વાંચી, કિંમતી માર્ગદર્શન આપી, ત્રીજા ભાગની પ્રસ્તાવના લખવાની ઉદારતા કરી છે. • વિદ્વાન મુનિરાજશ્રી ગુણવંતવિજયજી મ.તથા પરમહંસવિજયજી મહારાજે પણ પ્રારંભની અમુક બત્રીસીનું મેટર જોઈ આપેલ છે. તે ઉપકાર પણ કેમ ભૂલાય ? • વિદ્વાન મુનિરાજ શ્રી યોગીરત્નવિજયજી મહારાજે પણ આઠેય ભાગનું સંપૂર્ણ મેટર ચીવટપૂર્વક વાંચી યોગ્ય સૂચનો આપ્યા તથા સાતમા ભાગની પ્રસ્તાવના લખી આપીને આત્મીયતાનો સંબંધ વધાર્યો તે પણ કે વિસરાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy