SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નયલતાકારની હૃદયોર્મિ • द्वात्रिंशिका પરિશિષ્ટ ૧૦ :- ‘ઉપાયે સતિ વર્તવ્ય સર્વેષાં વિત્તરષ્નનમ્' (પૃ.૪) આવી ઉપમિતિ ભવપ્રપંચા કથા-ગ્રંથની ઉક્તિને ધ્યાનમાં રાખીને દ્વાત્રિંશિકા પ્રકરણની નૂતન નયલતા વ્યાખ્યામાં જેનો ઉલ્લેખ મળે છે તેવા દેશ, ગામ, નગ૨, બગીચા, નદી, તીર્થ, ચૈત્ય, તપોવન વગેરેનો નિર્દેશ દશમા પરિશિષ્ટમાં કરેલ છે. તેનાથી ઇતિહાસવિદોને પણ વિશેષ લાભ થશે. એવી અમારી ધારણા છે. જુઓ પૃ.૨૨૬૫ 80 પરિશિષ્ટ ૧૧ :- બત્રીસી પ્રકરણના પદાર્થની સ્પષ્ટતા માટે નયલતા વ્યાખ્યામાં સ્વ-પરદર્શનના જે જે સાક્ષીપાઠો ઉદ્ધૃત કરવામાં આવેલ છે તેનો અકારાદિ વર્ણાનુક્રમથી નિર્દેશ પરિશિષ્ટ ૧૧ માં કરેલ છે. નયલતામાં ૧૧૫૦૦ જેટલા સાક્ષીપાઠો ઉદ્ધૃત કરેલ હોવાથી આ પરિશિષ્ટ સૌથી વધુ વિસ્તૃત (પૃ.૨૨૬૬ થી ૨૪૧૪) બનેલ છે. તે સાક્ષીપાઠના ( ) માં આપેલા સંકેતો તેની બાજુમાં આપેલ પૃષ્ઠ ક્રમાંક ઉપર જોવાથી વાચકવર્ગને ખ્યાલમાં આવી જશે. પરિશિષ્ટ ૧૨ :- દ્વાત્રિંશિકાપ્રકરણ, સ્વોપજ્ઞવૃત્તિ અને નયલતા વ્યાખ્યામાં આવતા પદાર્થોનો ઉલ્લેખ દરેક પૃષ્ઠની ઉપર બોર્ડરની બહાર કરેલ છે. તેનો અકારાદિ ક્રમથી બારમા પરિશિષ્ટમાં ઉલ્લેખ કરેલ છે. આખો ગ્રંથ વાંચવાની અનુકૂળતા ન હોય પણ અમુક વિષયોને જ જોવા હોય તો તેવા જિજ્ઞાસુવર્ગને તે તે વિષયો શોધવામાં સરળતા રહે તે આશયથી આ પરિશિષ્ટ બનાવેલ છે. જુઓ પૃ.૨૪૧૫ થી ૨૪૪૨. પરિશિષ્ટ ૧૩ :- ગ્રંથના પદાર્થોનું પુનરાવર્તન-સ્પષ્ટીકરણ-દઢીકરણ થાય તથા ધારણાશક્તિ તીવ્ર બને તે માટે અભ્યાસ બાદ પરીક્ષાપદ્ધતિ યોજવાથી સારા પરિણામ જોવા મળે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને દરેક બત્રીસીના છેડે બે/બે પ્રશ્નપત્રો મૂકેલ છે. પ્રથમ પ્રશ્નપત્ર બત્રીસી મૂળ + સ્વોપન્નવૃત્તિના પદાર્થની પરીક્ષા લેવા માટે હોવાથી તેનું હેડીંગ ‘બત્રીસીનો સ્વાધ્યાય' રાખેલ છે. તથા બીજું પ્રશ્નપત્ર નયલતા વ્યાખ્યામાં આવતી વિશેષ બાબતોની પરીક્ષા માટે હોવાથી તેનું હેડીંગ ‘નયલતાની અનુપ્રેક્ષા' રાખેલ છે. ભણનારના વડીલો ભણનારને પરીક્ષાપત્ર ભરવાની પ્રેરણા આપે, પરીક્ષા ગોઠવે તો ૬૪ પ્રશ્નપત્રો તૈયાર કરવાની મહેનત સફળ/સાર્થક થાય. વિદ્યાર્થીએ લખેલ જવાબો સાચા છે કે ખોટા ? તેના માર્ગદર્શન માટે તે તમામ પ્રશ્નપત્રોના ઉત્તરપત્રો તેરમા પરિશિષ્ટમાં મૂકેલ છે. જુઓ પૃ.૨૪૪૩ થી ૨૪૫૩. (૨૧) મીઠા ઉપાર સંસ્મરણો પરમપૂજ્ય વિપુલકર્મસાહિત્યસર્જક સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની દિવ્ય કૃપા લેખન-સંશોધન-સંપાદન કાળમાં સતત વરસી રહી હતી. • પરમપૂજ્ય ન્યાયવિશારદ સંઘહિતચિંતક વર્ધમાનતપોનિધિ. સ્વ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની દિવ્ય આશિષવૃષ્ટિ વિના પ્રસ્તુત પ્રકાશન કઈ રીતે સંભવે ? પૂજ્યપાદ ગીતાર્થચૂડામણિ સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષ તથા મંગલકામનાઓનો સાથ-સહકાર સદૈવ પ્રાપ્ત થતો રહ્યો છે. તેમને શી રીતે વિસરાય ? પરમપૂજ્ય સર્વતોમુખીપ્રતિભાસંપન્ન વિદ્યાગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજના શુભાશિષ-મૂલ્યવાન માર્ગદર્શન-સૂચનો પ્રસ્તુત કાર્યમાં અવાર-નવાર પ્રાપ્ત થતા રહ્યાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy