SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ • નલતાકારની હૃદયોર્મિ • द्वात्रिंशिका માત્ર સ્વદર્શનસંબંધી પદાર્થોના ગૌણ-મુખ્ય તમામ ભેદ-પ્રભેદનો વિચાર કરવામાં આવે તો નયના ર૭ ભેદ, સૂત્રના ૯ ભેદ, પરીક્ષાના ૮ ભેદ તથા અર્પણા અને ઉછ(ગૌચરી)ના ચાર ભેદ પડે. તથા કેવળ પરદર્શનસંબંધી પદાર્થોના ગૌણ-મુખ્ય સર્વ પ્રકારોનો વિચાર કરીએ તો યોગાન્તરાયના ૧૯ ભેદ, પરિવ્રાજકના ૭ ભેદ, પ્રવૃત્તિના ૬ ભેદ, આમ્રવના ૩ ભેદ ઈત્યાદિરૂપે વિભાજન થઈ શકે. આ બાબતની વિસ્તૃત જાણકારી પ્રથમ ભાગમાં દર્શાવેલ પ્રસ્તુત નોંધમાંથી (જુઓ પૃ. ૮૭ થી ૧૪૯) વાચકવર્ગને મળી રહેશે. ઘણીવાર એક જ પદાર્થની અલગ-અલગ ધર્મોમાં અને એક જ ધર્મના વિભિન્ન ગ્રંથોમાં વિવિધ વ્યાખ્યાઓ/પ્રકારો દર્શાવેલા જોવા મળતા હોય છે. આવા પ્રકારના સ્વ-પરદર્શનના અલગ-અલગ વિષયના વૈવિધ્યપૂર્ણ પદાર્થો ક્યા-કયા પૃષ્ઠ ઉપર નિહાળવા મળશે? તેની માહિતી દર્શાવતી આ નોંધ વ્યાપક તુલનાત્મક અભ્યાસ કરનારા માટે ખૂબ જ ઉપયોગી બનશે તેવી ધારણા છે. પ.પૂ. અજયસાગરજી મ.સા. ની હાર્દિક સહાયથી આ પદાર્થનોંધ તૈયાર થઈ શકેલ છે. કોમ્યુટર પાસેથી કઈ રીતે કામ લેવું? તે અંગે તેમની કોઠાસૂઝ ખરેખર ઘણી દાદ માગી લે તેવી છે. એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પ્રસ્તુત પદાર્થનોંધ અંગે અગત્યનો ખુલાસો કરી લેવો જરૂરી છે કે કોમ્યુટરના માધ્યમથી પદાર્થોના પૃષ્ઠોની નોંધ જે રીતે મળી તે રીતે રજુ કરેલ નથી પણ તેમાંથી વાચકવર્ગને વિશેષ ઉપયોગી બને તેટલા જ પૃષ્ઠોને આ નોંધમાં દર્શાવેલ છે. કારણ કે “નયેલતા' વ્યાખ્યામાં “યમ” શબ્દનો પ્રયોગ ૮૦૫૫ વખત, “ભાવ” શબ્દનો પ્રયોગ ૭૪૮૭ વખત, “યોગ' શબ્દનો પ્રયોગ ૬૯૩૪ વખત, “જ્ઞાન” શબ્દનો પ્રયોગ ૩૫૩૩ વખત, “તીર્થ' શબ્દનો પ્રયોગ ૩૭૫ વખત થયેલ છે. ... ઈત્યાદિ વિગત કોમ્યુટર દ્વારા જાણવા મળી. તે તે બધા જ પૃષ્ઠોને પ્રસ્તુત વિષયનોંધમાં દર્શાવવામાં આવે તો સામાન્ય વાચકવર્ગ મૂંઝવણમાં મૂકાઈ જાય. માટે વાચકવર્ગને ઉપયોગી બને તે રીતે તે તે પદાર્થોના પૃષ્ઠ ક્રમાંક પ્રસ્તુત નોંધમાં દર્શાવેલ છે. પશ્ચિમના દેશોમાં પ્રચલિત પ્રસ્તુત પદ્ધતિનો ઉપયોગ આપણા શ્રીસંઘમાં પ્રાયઃ સૌપ્રથમવાર છે. ગ્રન્થની ઉપયોગિતામાં ગુણાત્મક (Multiple) વધારો કરનાર આ પદાર્થનોંધને વિજ્ઞ વાચકવર્ગ અવશ્ય આવકારશે તેવી આશા રાખવી અસ્થાને નથી જણાતી. અસ્તુ. હવે આઠમા ભાગના ૧૩ પરિશિષ્ટ વિશેની સમજણ મેળવીશું. પરિશિષ્ટ ૧ :- મહોપાધ્યાયજી મહારાજે રચેલ મૂળ ગ્રંથ દ્વાત્રિશત્ દ્વાત્રિશિકાના શ્લોકોનો અકારાદિ ક્રમ આઠમા ભાગના અંતે પરિશિષ્ટ (૧) માં આપેલ છે. જુઓ પૃ. ૨૧૯૫ થી ૨૨૦૮. પરિશિષ્ટ ૨ :- ધાત્રિશત્ દ્વત્રિશિકા મૂળ ગ્રંથ અને સ્વોપજ્ઞવૃત્તિમાં જે ગ્રંથોના આધારે ઉદ્ધરણો લીધા છે તે ગ્રંથોના નામોનો ઉલ્લેખ પરિશિષ્ટ ૨ માં કરેલ છે. જુઓ પૃ.૨૨૦૯ પરિશિષ્ટ- ૩ - દ્વાત્રિશિકા પ્રકરણ અને તેની સ્વોપજ્ઞવૃત્તિમાં મહોપાધ્યાયજી મહારાજે જે ગ્રંથકારોના નામ લીધા છે. તેનો નિર્દેશ પરિશિષ્ટ ૩ માં કરેલ છે. જુઓ પૃ.૨૨૧૦ પરિશિષ્ટ ૪ :- મૂળ ગ્રંથ અને સ્વોપજ્ઞવૃત્તિમાં મહોપાધ્યાયજી મહારાજે ગ્રંથકાર સિવાયના જે જે વ્યક્તિવિશેષના નામોનો ઉલ્લેખ કરેલ છે (દા.ત. યમુનરાજર્ષિ વગેરે) તેનો ઉલ્લેખ પરિશિષ્ટ ૪ માં કરેલ છે. જુઓ પૃ.૨૨૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy