SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 76 • નયલતાકારની હૃદયોર્મિ · લેવી. द्वात्रिंशिका દીક્ષાના સ્વરૂપની વિસ્તૃત વિચારણા (પૃ.૧૯૫૫) ભાગ્ય અને ઉદ્યમની વિચારણા લૌકિકદષ્ટાંતો દ્વારા જુદી જ રીતે ૧૭ મી બત્રીસીના વિશેષાર્થમાં કરેલ છે. • મિત્રા, તારા, બલા વગેરે યોગદૃષ્ટિઓની સંકલનાત્મક છણાવટ ૨૧ મી અને ૨૨ મી બત્રીસી પૂર્ણ થયા બાદ કરવામાં આવેલ છે કે જે નયલતામાં ઉપલબ્ધ નથી. કોલસાના ઉદાહરણથી શરીરને સાચવવાનું પણ તેની મમતા નહિ કરવાની વાત. (પૃ.૧૯૨૯) પવનંજયના ઉદાહરણથી ક્લેશની વિચ્છિન્ન-તનુ વગેરે અવસ્થાની સ્પષ્ટતા. (પૃ.૧૭૩૩-૩૪) આવી અનેક બાબતો છે કે જે માત્ર ‘નયલતા' ટીકા વાંચવાથી વાચકવર્ગને નહિ જાણવા મળે પણ ‘દ્વાત્રિંશિકાપ્રકાશ'ના માધ્યમથી જ જાણવા મળશે. તેથી માત્ર સંસ્કૃત વાંચવાથી પ્રસ્તુત ગ્રન્થના પદાર્થો સંબંધી મારી તમામ વિચારણાઓ વાચકવર્ગ જાણી નહિ શકે. તે માટે ગુજરાતી વિવરણમાંથી વિશેષાર્થ વિભાગ પણ જાણવો જરૂરી બનશે. જુદા જુદા સમયે વિભિન્ન વિશેષ બાબતો સ્ફુરે. તેથી ક્યારેક તેનું સંકલન ‘નયલતા’ વ્યાખ્યામાં કરેલ હોય, ક્યારેક તેનું નિરૂપણ ગુજરાતી વ્યાખ્યામાં કરેલું હોય. તેથી ‘નયલતા' ના વાચકોને એટલી જ વિનંતી કરીશ કે ‘દ્વાત્રિંશિકા પ્રકાશ' માં વિશેષાર્થનું પણ અવલોકન અવશ્ય કરે. જેથી પદાર્થની સ્પષ્ટતા વધુ સારી રીતે થઈ જાય. · તે તે બત્રીસીના પદાર્થો આગળ-પાછળ કઈ બત્રીસીમાં આવે છે ? તે ( ) માં પૃષ્ઠ ક્રમાંક લખીને ‘દ્વાત્રિંશિકાપ્રકાશ'માં પણ દર્શાવેલ છે. જુઓ પૃ. ૧૬૧૯, ૧૬૭૮, ૧૮૭૭ વગેરે. ગુજરાતી ભાષાના વિવિધ શબ્દકોશ-જોડણીકોશ વગેરેમાં તથા ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી જુદા-જુદા સ્વરૂપે જોવા મળતી હોય છે. જેમ કે પ્રમાણિક-પ્રામાણિક, નુકશાન-નુકસાન, ઊલટુ-ઉલટુ, વાજબી-વ્યાજબી, બત્રીસી-બત્રીશી... વગેરે. તેથી અહીં દ્વાત્રિંશિકાપ્રકાશ-ગુજરાતી વિવરણમાં બન્ને પ્રકારની જોડણી જોવા મળશે. તેની વાચકવર્ગે નોંધ (૨૧) પરિશિષ્ટો અંગેની સમજ ગ્રન્થ/ટીકા/વિવરણો સ્વયં સમૃદ્ધ હોય તો પણ પરિશિષ્ટો દ્વારા તેની વિશિષ્ટતાઓ/વિવિધતાઓ દર્શાવવા ગ્રંથના પ્રારંભે કે અંતે પરિશિષ્ટો દર્શાવવાની આધુનિક પદ્ધતિ અધ્યેતાવર્ગ માટે ખૂબ લાભદાયી નીવડેલ છે. પરિશિષ્ટો દ્વારા ગ્રંથના આંતરિક સ્વરૂપનો જુદા જ સ્વરૂપે ઉઘાડ થવાથી ખાસ કરીને જુદા-જુદા ચોક્કસ વિષયોની અભિરુચિ ધરાવનારા અધ્યેતાઓને પોતાના મનગમતા વિષયોને માણવા તે-તે પૃષ્ઠો ઉપર ઝડપથી સરકવાની સુંદર તક સરળતાથી મળે છે. તેમજ રુચિના વિષયોનું અવગાહન થતાં સંપૂર્ણ ગ્રન્થના અધ્યયનની પણ જિજ્ઞાસા-અભિરુચિ-તાલાવેલી પ્રગટ થાય છે. તેમ જ અવસરે સિંહાવલોકન/વિહંગાવલોકન માટે પણ ઉપયોગી વિષય સુધી પહોંચવામાં જટિલતા અનુભવાતી નથી. નવા સંશોધકો, અભિનવ સંપાદકો, આધુનિક ઈતિહાસવિદો, નૂતન સંકલનકારો, નવ્ય સંગ્રહકારો, અઘતન પી.એચ.ડી. કરનારાઓ તેમજ અનેક ગ્રન્થોનું તુલનાત્મક અધ્યયન કરનારા વાચકો માટે તો ગ્રન્થની વિશિષ્ટ વિગત દર્શાવનારા પરિશિષ્ટો ખૂબ જ ઉપયોગી-આદરણીય -આવશ્યક અને અનિવાર્ય બની જાય છે. આવી અનેક બાબતોને લક્ષમાં રાખીને પ્રસ્તુત ગ્રન્થરત્નના કુલ ૧૪ પરિશિષ્ટો બનાવવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy