SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 75 द्वात्रिंशिका • નલતાકારની હૃદયોર્મિ • સંદર્ભોની સંસ્કૃત છાયા (અક્ષરયોજના) નયેલતા ટીકામાં ઘણા સ્થળે આપેલ છે. (જુઓ પૃ.૪૫૧, ૬૦૪, ૧૩૦પ વગેરે) ક્યાંક ન લતામાં મક્ઝિમનિકાયના અઘરા શબ્દોના અર્થને પણ દર્શાવેલ છે. (જુઓ પૃ.૩૭૯, ૪૬૫, ૪૩૬, ૪૫૧, ૧૨૩૦, ૧૪૩૭, ૧૪૫૧, ૧૭૦૪, ૧૭૨૪, ૧૮૫૭ વગેરે) • તે જ રીતે ન લતામાં બૌદ્ધના પાલીભાષાનિબદ્ધ દીઘનિકાયગ્રન્થના સંદર્ભોના ઉદ્ધરણો જ્યાં આવે છે ત્યાં અઘરા શબ્દના અર્થ નયેલતામાં જણાવેલ છે. (જુઓ પૃ.૧૮૯, ૪૯૨, ૧૦૮૪, ૧૩૧૦, ૧૩૧૨, ૧૩૫૪, ૧૬૪૪, ૧૬૫૧, ૧૮૦પ વગેરે) તે જ રીતે બૌદ્ધદર્શનના પાલીભાષાનિબદ્ધ સંયુત્તનિકાય ગ્રન્થના નયલતામાં આવતા સંદર્ભોના દુર્ગમ અર્થની છાયા ન લતામાં ઘણા સ્થળે દર્શાવેલ છે. (જુઓ પૃ.૧૩૯૧, ૧૮૬૧, ૧૮૬૯ વગેરે) આજ રીતે પાલીભાષાનિબદ્ધ અંગુત્તરનિકાય, ધમપદ, થેરીગાહા, ઈતિવૃત્તક, ઉદાન વગેરે બૌદ્ધદર્શનના જે સંદર્ભો નયક્ષતામાં લીધા છે, ત્યાં દુર્વ્યય લાગતા પદોના અર્થ વાચકવર્ગની સુગમતાસુકરતા માટે નયેલતામાં કે ક્યાંક ટિપ્પણમાં પણ દર્શાવવાનું ઉચિત સમજેલ છે. (જુઓ પૃ.૧૨૦૬ વગેરે). નયલતામાં ઉદ્ધત કરેલ અન્ય ગ્રંથની એક જ ગાથા/શ્લોક/પંક્તિ તે ગ્રંથમાં અનેક વાર આવતી હોય તો () માં તે તે ગાથા/શ્લોક વગેરેના અનેક ક્રમાંક દર્શાવવાનું અમે ઉચિત સમજેલ છે. જુઓ પૃ.૩૮૩ વગેરે) (૧૯) મારા વિસ્તાર નથી) પ્રસ્તુત ગ્રન્થરત્નના દળદાર આઠ ભાગોને જોઈને કોઈને એમ થાય કે “અહીં કેવળ વિસ્તાર જ કરવામાં આવેલ છે. પરંતુ હકીકત તેવી નથી. • જ્યાં વિવરણની વિશેષ આવશ્યકતા ન હોય ત્યાં સંક્ષેપ પણ કરેલ છે. એક જ પૃષ્ઠમાં બેત્રણ શ્લોક પણ ટીકા અને અનુવાદ સાથે સમાવેલ છે. (પૃ.૪૬૯ વગેરે) સ્વોપલ્લવૃત્તિ જ્યાં અત્યંત સ્પષ્ટ હોય ત્યાં અમે નયલતામાં જરાય પિષ્ટપેષણ કરેલ નથી. (જુઓ પૃ.૧૪૬ વગેરે) ((૨૦) દ્વાચિંશિક પ્રક્રશ' અંગે નંઇક) કાત્રિશત્ દ્વાર્નાિશિકા ગ્રન્થ મૂળ અને ટીકાના અર્થને ગુજરાતી ભાષામાં સમજાવવા માટે “દ્વત્રિશિકાપ્રકાશ' નામની ગુજરાતી વ્યાખ્યા બનાવેલ છે. તેમાં ગાથાર્થ, ટીકાર્ય અને વિશેષાર્થ - આ ક્રમથી વિવરણ કરેલ છે. વિશેષાર્થમાં “નયેલતા' ટીકાનો અનુવાદ નથી પરંતુ ટીકાર્યમાં જે બાબતનો વિસ્તાર ન કરેલ હોય પણ સમજાવવી જરૂરી હોય તેવી બાબતની છણાવટ વિશેષાર્થમાં કરેલ છે. ઘણીવાર તો નયક્ષતામાં જેની વિસ્તારથી વિવેચના ન કરી હોય તેવી બાબતોની પણ ધાર્નિંશિકા પ્રકાશ' માં વિસ્તારથી મીમાંસા કરેલી છે. જેમ કે સંવિગ્નપાક્ષિક, શ્રાવક કરતાં આગળ કે પાછળ ? તેની મીમાંસા (પૃ. ૧૯૪, ૧૯૬ વગેરે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy