SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 69 द्वात्रिंशिका • નલતાકારની હૃદયોર્મિ • તે જ રીતે પ.પૂ. આગમોદ્ધારક સાગરાનન્દસૂરિજી મ.સા. દ્વારા સંપાદિત આચારાંગસૂત્રમાં “નમમાTI વેશે’ સૂત્રનો ક્રમાંક ૬/૪/૧૯૧ છે. જ્યારે રતલામપ્રકાશિત “અંગાકારાદિક્રમ” ગ્રંથમાં તે જ સૂત્રનો ક્રમાંક ૧૮૮ છાપેલ છે. અમે પૂ. શ્રી આગમોદ્ધારકસંપાદિત પ્રતનો સૂત્રક્રમાંક લીધેલ છે. (જુઓ પૃ.૧૬૯). તે જ રીતે પૂ.પુણ્યવિજયજી મ.દ્વારા સંપાદિત તંદુલવૈચારિકપ્રકીર્ણકમાં “Tomર્દિ હાથમાર્દિ ગાથાનો નંબર ૬૩ છે. જ્યારે દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર-સંસ્થા દ્વારા પ્રકાશિત સટીક પ્રતમાં તે જ ગાથાનો નંબર ૪૯ છે. અમે પૂ. પુણ્યવિજયજી મ.ના પ્રકાશન મુજબ ગાથા નંબર લીધેલ છે. (જુઓ પૃ.૧૨૦૦). તથા ૧૦ ભાગમાં પ્રતાકારે છપાયેલ “વ્યવહારસૂત્રભાષ્ય-સટીક' ગ્રંથના આધારે પૂર્વે અમુક શ્લોકો અમે નયેલતામાં નોંધેલ છે. ત્યાર બાદ કુસુમુપ્રજ્ઞાસમણીસંપાદિત “વ્યવહારસૂત્રભાષ્ય' પુસ્તક મંગાવીને તેમાં દર્શાવેલ શ્લોકક્રમાંક મુજબ નંબર લીધેલ છે. પ્રતાકારમાં દરેક ઉદ્દેશાના શ્લોકના નવેસરથી ૧-૨-૩ આ રીતે નંબર છપાયેલ છે. જ્યારે પુસ્તકાકાર વ્યવહારસૂત્રભાષ્યમાં (૧ થી ૧૦ ઉદેશાના) આખા ગ્રંથમાં સળંગ નંબર જ છે. દા.ત. “વંગ-સવારી” ગાથાનો પ્રતાકારમાં નંબર ૧૦/૨૦ છે. જ્યારે પુસ્તકાકાર વ્યવહારભાષ્યમાં સળંગ નંબર હોવાથી તે ગાથાનો નંબર ૩૮૫૦ છે. અમારી પાસે જે સમયે, જે ક્ષેત્રમાં વ્યવહારસૂત્રભાષ્યની પ્રત કે પુસ્તક જે પ્રકાશન ઉપલબ્ધ હતું તેના આધારે અમે નયેલતામાં તે તે ઉદ્ધરણોના શ્લોકક્રમાંક લીધેલા છે. સાધુજીવનની મર્યાદાને લક્ષમાં રાખી ચાર/પાંચ વર્ષ સુધી હજાર પુસ્તકોને સાથે લઈને ફેરવવાનું મને ઉચિત જણાયું ન હતું. તેથી ઉપરોક્ત પદ્ધતિએ કાર્ય કરેલ છે. તે જ રીતે “તિન્ને તારું વિU' ગાથાનો દશવૈકાલિક નિર્યુક્તિમાં હારિભદ્રીયવૃત્તિ મુજબ ૧૦/૩૪૫ નંબર આવે છે. તથા તે જ ગાથાનો અગસ્યસિંહસૂરિકૃત ચૂર્ણિ મુજબ ૧૦/૩૪૪ નંબર આવે છે. તે-તે સ્થળે ઉપલબ્ધ થયેલ તે-તે પ્રકાશનો મુજબ શ્લોક નંબર પ્રસ્તુત પ્રકાશનમાં લીધેલ છે. આ તો એક દિગ્દર્શનમાત્ર કરેલ છે. હજુ આવા શ્લોક-ક્રમાંકના ભેદની યાદી ખૂબ લાંબી થાય તેમ છે. પણ “અહીં કરેલા ઉલ્લેખો દ્વારા બાકીના તે-તે સંદર્ભશ્લોકો અંગે પણ વિદ્વાનોને સહેલાઈથી ખ્યાલ આવી જશે એવી અમારી ધારણા છે. તેથી વિજ્ઞવાચકવર્ગ સંદર્ભગ્રંથોને સાક્ષીપાઠોને જુએ તપાસે ત્યારે ઉપરોક્ત બાબતને ખાસ ધ્યાનમાં રાખે તેવી વિનંતિ. ક્યારેક એવું પણ જોવા મળેલ છે કે એક જ ગ્રંથ ઉપર અનેક વ્યક્તિઓએ વ્યાખ્યા લખેલી હોય તેમાંથી એક વ્યાખ્યાકારે જે શ્લોકની વ્યાખ્યા કરી હોય તે શ્લોક અન્ય વ્યાખ્યાકારે ગણતરીમાં જ લીધો ન હોય. જેમ કે દિગંબરીય પ્રવચનસાર ગ્રંથની ‘પણું જ સામેણુ તથા “નો પવપવ' આ બે ગાથા ઉપર જયસેનાચાર્યકૃત વ્યાખ્યા મળે છે. પરંતુ અમૃતચન્દ્રાચાર્યકૃત વ્યાખ્યામાં ઉપરોક્ત બન્ને ગાથાનો ઉલ્લેખ જ મળતો નથી. મતલબ કે ઉપરોક્ત બન્ને ગાથા ઉપર દિગંબર અમૃતચન્દ્રાચાર્યજીએ વ્યાખ્યા કરેલ નથી. પરંતુ આ બન્ને ગાથા ઉપયોગી હોવાથી અમે તેને નયેલતામાં જયસેનીયવૃત્તિ મુજબ “પ્રવચનસાર' ગ્રન્થના નામોલ્લેખપૂર્વક જ ગ્રહણ કરેલ છે. (જુઓ પૃ.૪૫૪) • અન્યદર્શનના ગ્રંથોમાં પણ આ રીતે એક જ ગાથાના જુદા-જુદા નંબરો જોવા મળેલ છે. દા.ત. “તપો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy