SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 70 · • નયલતાકારની હૃદયોર્મિ द्वात्रिंशिका હિ તય્યતઃ' આ ગાથાનો નંબર ગીતાપ્રેસ, ગોરખપુરથી પ્રકાશિત ‘મહાભારત’માં ૧૨/૩૪૪/૪ છે. શ્રીસદ્ગુરુપબ્લીકેશન, દિલ્હી તરફથી પ્રકાશિત ‘મહાભારત'માં તે જ ગાથાનો નંબર ૧૨/૩૫૪/૪ છે. તથા પુના-ભાંડારકર તરફથી પ્રકાશિત ‘મહાભારત’માં તે જ ગાથાનો નંબર ૧૨/૩૩૨/૪ છે. તે જ રીતે અમુક શ્લોક અમુક સંસ્થાથી પ્રકાશિત ગ્રંથમાં હોય, અન્ય સંસ્થાથી પ્રકાશિત થયેલ તે જ ગ્રંથમાં ન હોય તેવું પણ જોવા મળેલ છે. જેમ કે પુના ભાંડારકર તરફથી કુલ ૨૨ ભાગમાં પ્રકાશિત ‘મહાભારત’ ગ્રંથમાં ‘વૈવર્તી ર્મસભૂતો વુાર: નર: શ્વિત્' વગેરે શ્લોકો જોવા મળે છે. પરંતુ ગીતાપ્રેસ (ગોરખપુર) તરફથી કુલ ચાર ભાગમાં પ્રકાશિત સંપૂર્ણ મહાભારતમાં તે શ્લોકો જોવા નથી મળેલ. વધુ એક આશ્ચર્યની ઘટના એવી જોવામાં આવી કે શ્રીસદ્ગુરુ પબ્લીકેશનદિલ્હીથી પ્રકાશિત ‘મહાભારત’ ગ્રંથમાં શાંતિપર્વના કુલ ૩૭૫ અધ્યાય ઉપલબ્ધ છે. ગીતાપ્રેસગોરખપુર તરફથી પ્રકાશિત ‘મહાભારત’ શાંતિપર્વમાં કુલ ૩૬૫ અધ્યાય છે. તથા પુના-ભાંડારકર તરફથી પ્રકાશિત ‘મહાભારત' ના શાંતિપર્વમાં કુલ ૩૫૩ અધ્યાય છે. વળી, અધ્યાયના શ્લોકોની સંખ્યામાં પણ વધ-ઘટ જોવા મળે છે. • તે જ રીતે વિશ્વેશ્વરસરસ્વતીકૃત ‘યતિધર્મસંગ્રહ’ ગ્રંથમાં ‘નપત્તુ સર્વધર્મમ્યઃ’ શ્લોક મનુસ્મૃતિમાંથી ઉદ્ધૃતરૂપે નોંધેલ છે. પણ વર્તમાનમાં મુદ્રિત ‘મનુસ્મૃતિ’ ગ્રંથમાં તે બ્લોક મળતો નથી. પરંતુ યતિધર્મસંગ્રહ ગ્રંથને જોતાં વિશ્વેશ્વ૨સરસ્વતીના સમયમાં ઉપલબ્ધ મનુસ્મૃતિ ગ્રન્થમાં તે બ્લોક હોવો જોઈએ- એમ સમજીને અમે તે શ્લોક મનુસ્મૃતિના શ્લોક તરીકે દર્શાવેલ છે. પરંતુ ( ) માં તેનો નંબર લખેલ નથી. • બીજી એક નોંધપાત્ર વિગત એ છે કે અંચલગચ્છાધિપતિ શ્રી જયશેખરસૂરિજી મહારાજે ધાર્મિક દૃષ્ટિએ મહાભારતના ખૂબ સુંદર શ્લોકોના સંગ્રહ સ્વરૂપ ધર્મસર્વસ્વાધિકાર' નામનો ગ્રંથ તૈયાર કરેલ છે. શ્રાવક ભીમસિંહ માણેકજીએ તેને પ્રકાશિત કરેલ છે. તેમાં આવેલા મોટા ભાગના શ્લોકો મહાભારતમાં મળે છે. પરંતુ યજ્ઞીયહિંસાસંબંધી પૂર્વ ત્વા પશુન્ હત્યા', ‘શ્રૃવતાં ધર્મસર્વસ્વં’ વગેરે અમુક પ્રસિદ્ધ શ્લોકો વિવિધ સંસ્થાઓ તરફથી પ્રકાશિત ‘મહાભારત' ગ્રંથોમાંથી એકેયમાં ઉપલબ્ધ થયેલ નથી. તેમ છતાં અમે શ્રીજયશેખરસૂરિજી મહારાજના વચનને લક્ષમાં રાખીને ‘મહાભારત' ગ્રંથના શ્લોક તરીકે નયલતામાં ઉપરોક્ત શ્લોકોનો ઉલ્લેખ કરેલ છે. જ તે જ પ્રકારે કિરણાવલીરહસ્યમાં નવ્યનૈયાયિક મથુરાનાથે ‘વૃતવેવ સ્વાતન્ત્ર થવતિદુર્ઘટારિત્વમ્' આ શ્લોક ‘ઈશ્વરપ્રત્યભિજ્ઞાન' ગ્રન્થના નામે ટાંકેલ છે. પણ તે શ્લોક તે ગ્રંથમાં જોવામાં નથી આવ્યો. પણ અમે કિરણાવલીરહસ્યકાર મથુરાનાથના ઉલ્લેખને ધ્યાનમાં રાખી તે પ્રમાણે નયલતામાં દર્શાવેલ છે. (જુઓ પૃ.૨૧૧૩) તે જ રીતે મહોપાધ્યાયજી મહારાજે અષ્ટસહસ્રીતાત્પર્ય-વિવરણમાં (પૃ.૧૧૪) ‘તપુનસ્ય યથા ધર્મ' શ્લોક વાશિષ ગ્રંથનો છે- એવો ઉલ્લેખ કરેલ છે. પરંતુ યોગવાશિષ્ઠમાં ક્યાંય એ શ્લોક મળેલ નથી. તથા એ જ શ્લોક અધ્યાત્મોપનિષમાં (૩/૨૦-૨૧) મહોપાધ્યાયજી મહારાજે આસુરકર્તૃક હોવાનો ઉલ્લેખ કરેલ છે. તપાસ કરવા છતાં આસુરકૃત કોઈ ગ્રન્થ અમારી નજરમાં આવેલ નથી. પરંતુ ‘મહોપનિષદ્'માં એ શ્લોક દૃષ્ટિગોચર થયેલ છે. તેથી નયલતામાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy