SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 68 • નયલતાકારની હૃદયોર્મિ द्वात्रिंशिका તીર્થંકરને ત્રણ પ્રદક્ષિણા આપી, નમો તિત્વ' કહેવા દ્વારા તીર્થનમસ્કાર કરીને પોતાના સ્થાને બેસે છે.’ આવી અનેક અજ્ઞાત બાબતોનું છેદગ્રંથના સંદર્ભો દ્વારા નયલતાના પ્રકાશમાં વાચકવર્ગ અવલોકન કરી શકશે. • (૧૫) નયલતામાં સંદર્ભપાઠોના સ્થળ વિશે મહત્ત્વનો ખુલાસો દ્વાત્રિંશિકાપ્રકરણની નયલતાવ્યાખ્યા અને દ્વાત્રિંશિકાપ્રકાશ (ગુજરાતી વિવરણ) પાંચેક વર્ષના સમયગાળા દરમ્યાન તૈયાર થયેલ છે. સાધુજીવનની મર્યાદા મુજબ અલગ-અલગ ક્ષેત્રમાં ચાતુર્માસ હોય તથા શેષકાળમાં પણ ગુજરાતના વિવિધ સ્થળોમાં વિહારો પણ ઘણા થયા. આ સમયગાળા દરમ્યાન જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ઉપરોક્ત બન્ને સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યાનું કામ ચાલતું હતું. જે સ્થળે રોકાયેલા હોઈએ ત્યાં જે પુસ્તક-પ્રત આદિ સામગ્રી ઉપલબ્ધ હોય તેના આધારે સાક્ષીપાઠો નયલતા વ્યાખ્યામાં લીધેલા છે. તેથી ઘણી વાર બને એવું કે એક જ ગ્રંથના જુદા-જુદા પ્રકાશનો અને જુદીજુદી ટીકા-વ્યાખ્યાવાળા પુસ્તકો/પ્રતો મળે. તથા એક જ ગાથાનો ક્રમાંક બે જુદી-જુદી સંસ્થાથી પ્રકાશિત પુસ્તક/પ્રતમાં જુદા જુદા પ્રકારનો જોવા મળેલ છે. જુદી-જુદી વ્યાખ્યાઓમાં પણ એક જ ગાથાના અલગઅલગ ક્રમાંક જોવા મળેલ છે. જેમ કે • • (૧) ‘૩મ્માય વ હિપ્ન' આ ગાથા હારિભદ્રીય આવશ્યકવૃત્તિ મુજબ ૧૪૧૪ નંબરની છે. તથા નિર્યુક્તિસંગ્રહમાં આ જ ગાથાનો નંબર ૧૪૨૮ છે. (૨) નન્દા વિળયરૂ વામાં' આ ગાથા હારિભદ્રીયવૃત્તિ મુજબ આવશ્યકનિર્યુક્તિમાં ૧૨૧૭ નંબરની છે. તથા મલયગિરિસૂરિવૃત્તિ અનુસાર આ જ ગાથાનો નંબર ૧૨૩૧ છે. તે જ રીતે વિશેષાવશ્યકભાષ્યની ‘માવં વિય સદ્દનયા...' ગાથાનો મલધારવૃત્તિ મુજબ ક્રમાંક ૨૮૪૭ છે. તથા કોટ્યાચાર્યવૃત્તિ મુજબ તે જ ગાથાનો ક્રમાંક ૩૩૯૭ છે. મતલબ કે ૫૫૦ જેટલા ગાથાક્રમાંક આગળ પાછળ છે. આવા સ્થળે ગાથા નંબર કયો લેવો? તે એક પ્રશ્ન ઊભો થતો હતો. સાધુજીવનની મર્યાદાને ધ્યાનમાં રાખીને સમાધાનરૂપે નક્કી કર્યું કે જે સમયે જે સંસ્થાનું પ્રકાશન હાથમાં ઉપસ્થિત હોય તે પ્રકાશન મુજબ નંબર નયલતામાં લખવો. મૂળ આગમસાહિત્યમાં પણ સૂત્રના ક્રમાંક અંગે તદૃન વિલક્ષણ પ્રકારોને જુદા-જુદા સંપાદકોએ અપનાવેલ છે. જેમ કે આગમોદયસમિતિ તરફથી પ્રકાશિત થયેલ ભગવતીસૂત્ર-સટીક પ્રતમાં ‘રેવતીપુ નાહાતિની' ઇત્યાદિ પાઠ ૧૫ મા શતકમાં ૫૫૭ મા સૂત્રમાં આવે છે. જ્યારે પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી મ. દ્વારા સંપાદિત ભગવતીસૂત્ર સટીક પુસ્તકમાં ઉપરોક્ત પાઠ ૧૫ મા શતકમાં ૬૫૫ મા સૂત્રમાં મળે છે. મતલબ કે સો નંબર જેટલો સૂત્રક્રમાંકમાં તફાવત પડી ગયેલ છે. તથા પંડિત ભગવાનદાસ હરખચંદ દોશી તરફથી સંશોધિત થઇને ગુજરાતવિદ્યાપીઠ તરફથી પ્રકાશિત ભગવતીસૂત્ર (સાનુવાદ) પુસ્તકમાં ઉપરોક્ત પાઠને ૧૫ મા શતકના ૩૫ મા સૂત્રમાં સ્થાન મળેલ છે. કારણ કે શ્રીભગવાનદાસભાઈ પંડિતે દરેક શતકના પ્રત્યેક ઉદ્દેશાના સૂત્રક્રમાંક એકડે એકથી ગણતરીમાં લીધેલ છે. આમ મૂળ આગમના અધ્યન/શતક/ઉદેશા વગેરેનો ક્રમાંક સમાન હોવા છતાં સૂત્રક્રમાંકમાં ઘણો તફાવત વિવિધ પ્રકાશનોમાં જોવા મળે છે. જુદા-જુદા ગામમાં જે જે પ્રકાશનો ઉપલબ્ધ હતા તે મુજબ અમે સૂત્રક્રમાંક દર્શાવેલ છે. આથી વાચકવર્ગે તે-તે મૂળસ્થળને શોધતી વખતે આ બાબતને લક્ષમાં રાખવી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy