SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • નયલતાકારની હૃદયોર્મિ • નિખાલસતા આદિ ગુણોને આત્મસાત્ કરનારા આ મહાપુરુષે સાંખ્યદર્શનની પ્રશાંતવાહિતા, બૌદ્ધદર્શનસંમત વિસભાગપરિક્ષય, શૈવસંમત શિવવર્ત્ય (યોગદૃષ્ટિસમુચ્ચય-૧૭૬) વગેરે પદાર્થોને પણ જૈન વાયમાં યોગ્ય સ્થાન આપેલ છે. માત્ર ખંડન નહિ પણ મંડન-સમન્વય-સમવતાર વગેરેની આ ઉમદા અને ઉત્તમ પદ્ધતિને વિદ્વાનોએ ખરેખર સ્યાદ્વાદની મર્યાદામાં રહીને અપનાવવા જેવી છે. આવું અવારનવાર અંતરમાં ઉગ્યા કરતું હતું. તેથી તે અભિગમને નયલતામાં અનેકત્ર અપનાવેલ છે. દા.ત. • • 67 • ઝિનિકાય અને દીઘનિકાય વગેરે બૌદ્ધદર્શનના ત્રિપિટક ગ્રંથોમાં ‘સમ્માવિટ્ટી, સન્માતો, સમ્માવાવા, સમ્મામ્મન્તો...' વગેરે અષ્ટાંગિક આર્ય યોગ-માર્ગની વાત આવે છે. તેનો યોગની આઠ દૃષ્ટિમાં નયલતા વ્યાખ્યામાં સમવતાર કર્યો છે. (જુઓ ભાગ-૫, બત્રીસી ૨૦+૨૧+૨૨+૨૪) તે જ રીતે બૌદ્ધદર્શનમાં વિભાવનભાવના અને સંવરભાવનાની વાત આવે છે. તેનો જૈનદર્શન મુજબ યથાક્રમ જ્ઞપરિક્ષા અને પ્રત્યાખ્યાનપરિક્ષામાં સમવતાર કરેલ છે. (પૃ.૧૨૩૪) મહોપનિષદ્, વરાહોપનિષદ્, સંન્યાસગીતા અને રામગીતા વગેરે ગ્રંથોમાં ‘શુભેચ્છા, વિદ્યારળા, તનુમાનસી, સત્ત્વાપત્તિ' વગેરે સાત કર્મયોગભૂમિકા જ્ઞાનયોગભૂમિકા બતાવેલ છે. તેનો જૈનદર્શનાનુસાર આઠ યોગદૃષ્ટિમાં નયલતા વ્યાખ્યામાં સમવતાર કર્યો છે. (ભાગ-૫) તે જ રીતે શાસ્ત્રાધારે નૈરાત્મ્યદર્શન (પૃ.૧૭૨૫), અદ્વૈતદર્શન (પૃ.૧૬૦૦-૦૨), જ્ઞાનાદ્વૈતવાદ (પૃ.૧૫૯૯), શૂન્યવાદનો (પૃ.૧૫૯૯) પણ જૈનદર્શનમાં કઈ રીતે સમવતા૨ થાય ? નૈરાત્મ્યદર્શન વગેરેની દેશનાનું પ્રયોજન શું ? તેનું નયલતા વ્યાખ્યામાં દિશાસૂચન કરાવેલ છે. (૧૪) છેદગ્રન્થોના ઉદ્ધરણો વિશે અનેક ગંભીર બાબતોની, પ્રાયશ્ચિત્તોની જેમાં વિસ્તારથી છણાવટ મળે છે તેવા નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહારસૂત્ર વગેરે છેદગ્રંથોને વાંચવાનું સૌભાગ્ય સાધ્વીજી ભગવંતોને, શ્રાવકોને કે પંડિતોને મળતું નથી. સાધુ ભગવંતો પણ બધા કાંઈ તેને વાંચવાના અધિકારી હોતા નથી. બીજી બાજુ છેદગ્રંથોમાં બધી જ બાબતો કાંઈ બીજા ન વાંચી શકે તેવી હોતી નથી. તદુપરાંત અનેક જાણવા યોગ્ય મહત્ત્વની બાબતો પણ એમાં એવી રહેલી છે કે તેના માધ્યમથી અરિહંત પરમાત્માનો માર્ગ વધુ સારી રીતે સમજી શકાય.પરંતુ છેદગ્રંથવાંચનના અનધિકારી જીવો તેવી મહત્ત્વપૂર્ણ-વૈરાગ્યપૂર્ણ બાબતોથી પણ વંચિત રહી જાય છે. તેથી પ્રાયશ્ચિત્ત આદિ અતિગંભીર બાબતો સિવાયની અનેક અગત્યની બાબતોને દર્શાવનારી ગાથાઓને નયલતામાં ઉદ્ધૃત કરવાનો પ્રયત્ન કરેલ છે, જેથી આંતરિક મોક્ષમાર્ગની ઝંખના રાખતા જીવોને છેદગ્રંથના અનેક પદાર્થોનો પરિચય સહેલાઈથી મળી શકે. નયલતામાં કુલ ૩૩૮ પૃષ્ઠમાં છ છેદગ્રંથોના ૫૦૦ કરતાં વધુ શ્લોકો/ગાથા/વૃત્તિપાઠો ઉદ્ધૃત કરેલા છે. જેમ કે વિનય અંગે ૪૫ જેટલી વ્યવહારસૂત્રભાષ્યની અદ્ભુત ગાથાઓ ૨૯ મી બત્રીસીની નયલતામાં (પૃ.૧૯૬૭-૬૯ + ૧૯૯૯ + ૨૦૦૩) વાચકવર્ગને નિહાળવા મળશે. દા.ત. ‘નવા મહેમાન સાધુ પધારે તો આચાર્ય ભગવંત પણ આદરથી ઉભા થાય' ઈત્યાદિ બાબતો વ્યવહારભાષ્યવૃત્તિના આધારે નયલતામાં (પૃ.૧૯૬૫) વર્ણવેલી જોવા મળશે. બૃહત્કલ્પભાષ્યના આધારે નયલતામાં (પૃ.૨૦૦૫) જણાવેલ છે કે ‘સામાન્યકેવલી પણ સમવસરણમાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy