SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 66 • નયલતાકારની હ્રદયોર્મિ • द्वात्रिंशिका ગ્રંથકારો પ્રત્યેની ભક્તિ પણ ઉત્તરકાલીન ગ્રન્થકારોમાં આવી પ્રવૃત્તિ દ્વારા સૂચિત થાય છે. ઉપરોક્ત ટૂંકી યાદી દ્વારા વાસ્તવમાં તે શ્લોક કયા ગ્રંથનો છે ? તથા ક્યા સંપ્રદાયમાંથી, કયા ગ્રંથમાંથી ક્યારે કેવી રીતે તે શ્લોકો/સંદર્ભો અન્ય ગ્રંથમાં મૂળ ગ્રંથરૂપે પ્રતિક્તિ થયા ? તે વિશે ઈતિહાસવેત્તાઓ પણ આના માધ્યમથી માર્ગદર્શન મેળવી એ દિશામાં પ્રામાણિક પ્રયત્નો કરી શકશે- એવી આશા રાખું છું. સ્વયં મહોપાધ્યાયજી મહારાજે પણ ઉપરોક્ત પરંપરાને અનુસરીને દ્વાત્રિંશિકા જૈનદર્શનના ગ્રંથમાં અષ્ટકપ્રકરણ, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિંદુ, યોગશાસ્ત્ર, ન્યાયાવતાર વગેરે ગ્રંથોના શ્લોકોને તથા જૈનેતર દર્શનના મનુસ્મૃતિ, પતંજલિગ્રન્થ, ગોપેન્દ્રાચાર્યગ્રંથ વગેરે ગ્રન્થોના શ્લોકોને મૂળ ગ્રંથના જ શ્લોક તરીકે બત્રીસીમાં વણી લીધેલા છે. આ વાતની જાણકારી નયલતા વ્યાખ્યાના માધ્યમથી વાચકવર્ગને સરળતાથી મળી શકશે. g ઘણીવાર એક જ ગ્રંથકાર એક જ ગાથાને/બ્લોકને પોતાના અનેક ગ્રંથોમાં મૂળગ્રંથરૂપે જ ગોઠવતા હોય છે. તેવી બાબતો પણ નયલતામાં નિરખવા મળશે. જેમ કે.. હરિભદ્રસૂરિજીએ ‘મTMનુસરો...' આ એક જ ગાથા યોગશતક અને પંચાશકમાં લીધી છે. (પૃ.૧૨૧૬) મહોપાધ્યાયજીએ પણ બત્રીસ-બત્રીસી મૂળ ગ્રંથમાં રચેલા શ્લોકો અન્યત્ર સ્વરચિત ગ્રંથોમાં દર્શાવેલ છે. તેનો નિર્દેશ નયલતામાં યથામતિ કરેલ છે. જેમ કે. આઠમી બત્રીસીના ૧૫ થી ૨૯ કુલ પંદર શ્લોક તેમણે જ રચેલ અધ્યાત્મસાર ગ્રંથમાં ૧૨/૨૪ થી ૪૪ સુધીમાં મળે છે. આ જ ગ્રંથમાં આવતા પદાર્થોને આગળ-પાછળની બત્રીસીના પદાર્થની સાથે સાંકળી લઈને સમગ્ર ગ્રન્થને અખંડપણે વણી લેવાનો પ્રયત્ન નયલતામાં કરેલ છે. દા.ત. પ્રથમ બત્રીસીનો પદાર્થ ૨૪ મી બત્રીસીમાં ક્યાં આવે છે ? ૨૪ મી બત્રીસીનો પદાર્થ ત્રીજી બત્રીસીમાં ક્યાં આવે છે ? ત્રીજી બત્રીસીનો પદાર્થ ૨૭ મી બત્રીસીમાં ક્યાં આવે છે ? આવી બાબતોને નયલતામાં ( ) માં પૃષ્ઠ નંબર લખીને બતાવેલ છે. (જુઓ પૃ.૧૬૧૯, ૧૬૩૫, ૧૬૪૩, ૧૬૪૫, ૧૬૫૦ વગેરે) (૧૩) નયલતામાં સમવતાર અંગે કંઇક અંતસ્તલમાં પરમતત્ત્વને પામવાની/પરિણમાવવાની નિર્દભ અને નિર્ભેળ ઝંખના જ્યારે પ્રબળ બને છે ત્યારે અન્ય દર્શનમાં રહેલા ઋષિ-મુનિઓના પણ અંતઃકરણમાં મોક્ષમાર્ગને અનુસરનારો માર્ગસ્થ ક્ષયોપશમ જાગ્રત થાય છે. આ આંતિરક જ્ઞાનપ્રકાશમાં આલોકિત સ્વકલ્યાણકારી પાવન તત્ત્વોને વિશ્વકલ્યાણની મંગલકામનાથી તેઓ સહજપણે શબ્દદેહ આપી તેવા કલ્યાણકારી પાવન તત્ત્વોને ગ્રંથસ્થ કરતા હોય છે. કદાગ્રહમુક્ત નિખાલસ અંતઃકરણમાં મોક્ષમાર્ગાનુસારી ક્ષયોપશમથી પ્રસ્ફુરિત થતા આવા નિર્મળ તત્ત્વોને યોગ્ય દૃષ્ટિકોણથી જૈનદર્શનના પૂર્વાચાર્યોએ આવકાર્યા છે, યોગ્ય રીતે તેને ગ્રન્થસ્થ પણ કરેલા છે. જૈન આમ્નાયમાં આ રીતે અન્ય દર્શનના પદાર્થોનો સમવતાર કરનારા મહાપુરુષોની હારમાળામાં સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ મુખ્યરૂપે ગણી શકાય. તેઓશ્રીએ મહર્ષિ પતંજલિના યમ, નિયમ, આસન આદિ અષ્ટાંગ યોગનો આઠ યોગ દૃષ્ટિમાં ક્રમશઃ સમવતાર કર્યો છે. ‘સારું તે મારું' આ ન્યાયથી ગુણગ્રાહિતા રાખી ‘બ્રાહ્યં હિતપિ વાતાત્' આ ઉક્તિ મુજબ નમ્રતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy