SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • નયલતાકારની હૃદયોર્મિ • 63 અભ્યાસ કરનારા અને ઈતિહાસવિદોને સંતોષ થાય તે માટે આવા સ્થાનો પણ નયલતામાં નોંધેલા છે. (જુઓ પૃ.૩૧૧, ૧૮૬૦ વગેરે) જૈન દર્શનના પણ અનેક ગ્રંથોમાં એક/બે અક્ષરના ફેરફાર સાથે પૂર્વાચાર્યોની ગાથા/શ્લોકો પોતાના મૂળ ગ્રંથમાં ઉત્તરકાલીન જૈનાચાર્યોએ ગ્રહણ કરેલા છે. જેમ કે- પ્રીતિઅનુષ્ઠાન બાબતમાં સંબોધપ્રકરણ, ચૈત્યવંદનમહાભાષ્ય, શ્રાદ્ધવિધિ ગ્રંથની ગાથા (જુઓ પૃ.૧૯૧૧) વગેરે. દ્વાત્રિંશિકા પ્રકરણના પદાર્થોનો આગમ કે આગમેત૨ જૈન ગ્રંથો સાથે ઉપલક દૃષ્ટિએ વિરોધાભાસ જેવું જણાય ત્યાં વિરોધાભાસને હટાવી સમાધાનનો પ્રયાસ નયલતા વ્યાખ્યામાં કરવામાં આવેલ છે. જેમ કે · ષોડશક ગ્રંથના વિરોધનો પરિહાર (પૃ.૨૩) યોગવિંશિકાવૃત્તિ અને યોગદૃષ્ટિસમુચ્ચયવૃત્તિ - આ બન્ને ગ્રંથના વિરોધનો પરિહાર (પૃ.૧૩૧૨) ઓનિર્યુક્તિ સાથે ભગવતીસૂત્રના વિરોધનો નયલતામાં પરિહાર કરેલ છે.(જુઓ પૃ.૧૯૪૬) યોગબિન્દુ અને યોગવિંશિકાવૃત્તિના વિરોધનું નિરાકરણ નયલતામાં મળશે. (જુઓ પૃ.૧૩૫૨) યોગસૂત્રવિવરણ સાથે દ્વાત્રિંશિકાવિવરણના વિરોધનું શમન. (જુઓ પૃ.૧૩૫૩) ધર્મમેઘસમાધિ અંગે યોગસૂત્રવાર્તિક - રાજમાર્તણ્ડવૃત્તિ આદિ સાથે દ્વાત્રિંશિકા સ્વોપક્ષવૃત્તિના વિરોધનું શમન. (પૃ.૧૩૭૦-૭૧) ઉપદેશપદ ગ્રંથ સાથે બત્રીસી ગ્રંથના સંભવિત વિરોધનો પરિહાર પંચાશકજી તથા ઉપદેશ૨હસ્ય ગ્રન્થ દ્વારા કરેલ છે. (જુઓ પૃ.૧૨૧૪) બત્રીસીનો યોગબિંદુ, યોગશતક, ઉપદેશપદ, ધર્મરત્નપ્રકરણ ગ્રંથ સાથે ચારિત્રલિંગ બાબતમાં જે વિરોધ આવે છે તેનો પરિહાર. (પૃ.૧૨૧૭) યોગશાસ્ત્ર સાથે આવતા વિરોધનું નિરાકરણ. (પૃ.૧૨૫૩) હરિભદ્રસૂરિજી રચિત બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચય અને યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થના વિરોધને નયલતામાં દૂર કરેલ છે. (જુઓ પૃ.૧૫૦૨) યોગબિંદુ ગ્રન્થ સાથે આવતા વિરોધને નયલતા વ્યાખ્યામાં હટાવવામાં આવેલ છે. (પૃ.૯૫૪) પન્નવણાસૂત્રવૃત્તિ સાથે બત્રીસીનો વિરોધ સ્પષ્ટપણે આવે છે તેનો અનેક રીતે પરિહાર નયલતામાં કરેલ છે. (જુઓ પૃ.૮૯૫) યોગશતક, ઉપદેશરહસ્ય અને જ્ઞાનસાર સાથે બત્રીસીનો વિરોધ આવે છે તેનું નિરાકરણ કરેલ છે. (પૃ.૭૨૨) મહોપાધ્યાયરચિત અધ્યાત્મસાર સાથે બત્રીસીનો વિરોધ જણાય છે તેનો પરિહાર નયલતામાં જોવા મળશે. (પૃ.૮૩૦) બત્રીસીના જ આગળ-પાછળના વચનો સાથે આવતા વિરોધનો પરિહાર. (પૃ.૧૬૧૦ વગેરે) બત્રીસી ગ્રંથના વચનોનો અન્ય ગ્રંથ સાથે આવતા વિરોધનો જ માત્ર પરિહાર નયલતામાં નથી કરેલો. પરંતુ બત્રીસી સ્વોપજ્ઞવૃત્તિમાં ઉદ્ધૃત પાઠ અન્ય ગ્રંથોમાં જુદા-જુદા મળતા હોય તો તેની પણ સંગતિ કરવાનો પ્રયત્ન નયલતામાં કરેલ છે. (જુઓ પૃ.૭૭૩- ૭૭૪ વગેરે) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy