SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • નલતાકારની હૃદયોર્મિ • 61 કયદેવ નિઘંટુ, સોઢલ નિઘંટુ આદિ ૧૬ નિઘંટુ-ગ્રંથોના સંદર્ભો, અમરકોશ, આપે કોશ, ઓગિલ્થી શબ્દકોશ વગેરે કોશોના સાક્ષીપાઠો, તત્ત્વચિંતામણિ, તત્ત્વવૈશારદી, તત્ત્વપ્રદીપિકા આદિ જૈનેતર દાર્શનિક ગ્રંથોનાં અવતરણો, કાવ્યપ્રકાશ, કાવ્યાલંકાર, કાવ્યમીમાંસા આદિ કાવ્યબંધારણ-ગ્રન્થોનાં સંદર્ભો, અભિજ્ઞાન શાકુંતલ, કિરાતાર્જુનીય, નલચંપૂ, ભામિનીવિલાસ, કાદંબરી આદિ કાવ્યગ્રંથોના અવતરણો, વૈરાગ્યશતક, શૃંગારશતક, યોગશતક, અવદાન શતક, ચાણક્ય શતક આદિ શતકગ્રંથોના સંવાદો, અભિષેકનાટક, હનુમન્નાટક, ચિત્રભરતનાટક, નાગાનંદનાટક, પ્રતિમાનાટક આદિ નાટકગ્રંથોના ઉદ્ધરણો દ્વારા મૂળ ગ્રંથ અને સ્વપજ્ઞવૃત્તિના પદાર્થોનું નયેલતામાં વિશદીકરણ થવા દ્વારા જૈનદર્શનના પદાર્થો જૈનેતર દર્શનોમાં પણ કઈ રીતે ગ્રાહ્ય બને છે ? તે હકીકત વાચકવર્ગને જાણવા મળશે. અનેક વિસ્તૃત મીમાંસાઓ નયલતા વ્યાખ્યામાં નિહાળવા મળશે. જેમ કે અરિહંત પરમાત્મામાં કેવા પ્રકારની લોકોત્તર મહાનતા છે ? (પૃ.૨૧૬) ગૌતમ બુદ્ધ કરતાં અરિહંત પરમાત્મા મહાન કઈ રીતે? તે અંગે નવા દશ મુદ્દા. (પૃ.૨૬૧-૨૬૬) શ્રમણ ભગવાન મહાવીર ઉપરના માંસાહારભક્ષણના આરોપનું નિરાકરણ. (પૃ.૪૬૨-૪૬૮) હેતુ-સ્વરૂપ-અનુબંધથી સર્વસંપન્કરી ભિક્ષાની વિચારણા. (પૃ.૩૯૯-૪૦૧) પ્રમાણના ૨૧ લક્ષણો (પૃ.પ૬૯-૫૭૦). સારૂપિક, સિદ્ધપુત્ર, સારૂપિક-સિદ્ધપુત્રના લક્ષણોની વિવિધ ગ્રંથના આધારે મીમાંસા (પૃ.૪૦૬/૦૭) યજ્ઞસ્થલીય હિંસા અંગે વિચારણા (પૃ.૪૮૪-૪૮૯) ભેદનય-અભેદનય દ્વારા સ્વ-પરદર્શનશાસ્ત્ર સંદર્ભોના માધ્યમે યોગસ્વરૂપ મીમાંસા (પૃ.૭૨૯-૭૩૫) ચરમ-યથાપ્રવૃત્તકરણના ઉત્કૃષ્ટ સમયની વિચારણા. (પૃ.૧૪૬૨). અન્યદર્શનમાં માન્ય ભાવપૂજા(ભાવયજ્ઞ)નું સ્વરૂપ (પૃ.૩૫૧) અતદેશના- પ્રયોજન મીમાંસા (પૃ.૧૬૦૧) ગૌતમબુદ્ધદેશના- પ્રયોજન મીમાંસા (પૃ.૧૫૯૯) કપિલદેશના પ્રયોજન મીમાંસા (પૃ.૧૫૯૮) બૌદ્ધમતાનુસાર પરલોકગામી-આત્મસિદ્ધિ (પૃ.૧૬૦૨/૦૩) - ક્યાંક ન લતામાં સ્વતંત્ર વાદસ્થળોની નવી વિસ્તૃત ચર્ચા કરવાનું ઉચિત ન જણાતાં સંક્ષેપમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષના ગ્રંથોના નામમાત્રનો નિર્દેશ કરેલો છે. આનાથી તે તે વિષયોની રુચિવાળા વિદ્વાનોને લાભ થશે એવી મારી ધારણા છે. જેમ કે આત્માની સિદ્ધિ માટે આત્મજ્ઞાનોપદેશવિધિ, અજ્ઞાનબોધિની સર્વવેદાન્તસિદ્ધાન્તસારસંગ્રહ આદિ અન્ય દર્શનોના ગ્રન્થો તથા સમ્મતિતર્ક, સ્યાદ્વાદરત્નાકર, ધર્મસંગ્રહણિ, વિશેષાવશ્યકભાષ્ય આદિ જૈનદર્શનના ગ્રન્થોનો નામોલ્લેખ () માં ગાથા ક્રમાંક લખવા પૂર્વક કરેલ છે. (જુઓ પૃ. ૨૧૨૦) મહાપ્રલયની વાત ભાગવત, બ્રહ્મપુરાણ, કૂર્મપુરાણ, વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, ગરુડપુરાણ, અગ્નિપુરાણ આદિ ગ્રંથોમાં ક્યાં છે? તેનો નિર્દેશ () માં અધ્યાયશ્લોકાદિના ક્રમાંકને દર્શાવવા પૂર્વક કરેલ છે. (જુઓ પૃ.૨૧૦૪/૨૧૦૫) 0 0 0 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy