SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 45 द्वात्रिंशिका • નલતાકારની હૃદયોર્મિ • पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । યુમિદ્ વેવ યસ્થ, તી ચાઈ: પરિષદ 19 રૂ૮TI મધ્યસ્થતાને છોડી માત્ર સમ્પ્રદાયના સ્તરે મળેલા પોતાના શાસ્ત્રને જ સત્ય માની, બીજા ધર્મના સારા પણ વચનને એકાંતે મિથ્યા દર્શાવવા, પોતાને તાત્ત્વિક ગણાવી બીજાને અતાત્ત્વિક અને ભ્રાન્ત ઠરાવવા એ તો માત્ર દૃષ્ટિરાગ અને દૃષ્ટિઢષનો જ વિલાસ છે. તેવા હઠાગ્રહી-કદાગ્રહી જીવો પારમાર્થિક મોક્ષમાર્ગથી દૂર ફેંકાઈ જાય છે. આવા આશયથી યોગસાર ગ્રન્થમાં જણાવેલ છે કે मदीयं दर्शनं मुख्यं पाखण्डान्यपराणि तु । मदीय आगमः सारः परकीयास्त्वसारकाः ।। तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः । इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ।।२।९-१०।। જૈનદર્શનના ઉપરોક્ત શાસ્ત્રવચનો અને તેના જેવા અન્ય શાસ્ત્રવચનો વાંચતા-વિચારતા-વાગોળતા પૂર્વે જણાવ્યા મુજબ મનમાં એવા ભાવો જાગતા કે વેદ, ઉપનિષદ્ર, બ્રાહ્મણગ્રંથો, આરણ્યક સાહિત્ય, ગીતા, સ્મૃતિ, પુરાણ, બૌદ્ધના ત્રિપિટક ગ્રંથો વગેરેમાં રહેલા આધ્યાત્મિકચેતનાપ્રેરક ઉમદા વચનો અને પદાર્થનો અવતાર-સમવતાર આપણા જૈન વામયમાં થાય તો (૧) વર્તમાન જૈન સાહિત્યમાં નવા આધ્યાત્મિક પ્રમેયોનો ઉમેરો થાય, (૨) પરદર્શનના ઢગલાબંધ સર્વચનોનો સમ્યફ સ્વીકાર | સમન્વય | સમવતાર કરવાથી તે વચનો સ્વદર્શનસ્વરૂપ બને, (૩) આપણા વર્તમાન ઉપલબ્ધ સાહિત્યમાં અનુપલબ્ધ ઉદાત્ત દૃષ્ટિબિંદુઓનો સમાવેશ થવા દ્વારા તેના વાચકવર્ગમાં | શ્રોતાવર્ગમાં પણ યથાર્થ સમ્યત્વનો રણકાર પ્રગટે, (૪) અન્યદર્શની પ્રત્યે સર્વથા હીન તરીકે જોવાની વૃત્તિ, કદાચ હોય તો, આપણામાંથી રવાના થાય, (૫) અન્યદર્શનીના સવચનના અપલાપ દ્વારા થનારા દ્વાદશાંગીના અપલાપ-આશાતનાઅરુચિ વગેરે દોષોમાંથી છૂટકારો મળે, (૬) પૂ.હરિભદ્રસૂરિજી મ. અને મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ વગેરેએ ભગવાન, મહર્ષિ, મહાત્મા, મહામુનિ, દિવ્યમુનિ, દિવ્યજ્ઞાની વગેરે વિશેષણોથી જેમને બિરદાવેલા છે તેવા પતંજલિ, કપિલ, ગૌતમબુદ્ધ વગેરે મહર્ષિઓને તેમજ તથાવિધ અન્ય જૈનેતર ઋષિમુનિઓને આપણા દ્વારા અજાણતા પણ અન્યાય થઈ ન જાય, તથા (૭) મધ્યસ્થતા-ભાવનાજ્ઞાન-વૈચારિક ઉદારતા-ગુણાનુરાગ, યોગ્ય વસ્તુનું યોગ્ય મૂલ્યાંકન કરવાની વિવેકદૃષ્ટિ વગેરે ગુણોને કેળવવાનોઆત્મસાત્ કરવાનો પ્રામાણિક પ્રયત્ન થાય. આ સાત આશયને લક્ષમાં રાખીને દ્વાત્રિશિકા પ્રકરણની “નયલતા' વ્યાખ્યામાં સંદર્ભરૂપે સ્વદર્શનના ગ્રંથના ઉદ્ધરણોની સાથે અવસરોચિત રીતે વિવિધ-નયાવલંબી અન્યદર્શનના ગ્રન્થોના ઉદ્ધરણોને પણ પૂરતા પ્રમાણમાં લેવાનો સંકલ્પ કર્યો. જેના ફળ સ્વરૂપે નયલતા વ્યાખ્યામાં જૈન-જૈનેતરધર્મના ૧૧૫૦ જેટલા ગ્રંથોના ઉદ્ધરણ શ્લોક | સૂત્ર વગેરેની સંખ્યા ૧૧,૫૦૦ કરતાં પણ વધુ થઈ. (: દ્વાબિંશિકમુદ્રિત પ્રતની પરિસ્થિતિ) હસ્તપ્રતના આધારે પ્રેસકોપી બનાવી ૩/૪ પૃફ તપાસીને શુદ્ધ રીતે ગ્રંથને મુદ્રિત કરવો એ ભગીરથ કાર્ય છે. કંટાળાજનક આ પરિશ્રમમાં ઉત્સાહથી જોડાયેલા રહીને કાત્રિશિકા ગ્રંથને પ્રતાકારે મુદ્રિત કરનાર પૂર્વના સંપાદકો | પ્રકાશકો ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. હસ્તપ્રતની હાલત ઘણીવાર વિચિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy