SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 44 • નયલતાકારની હૃદયોર્મિ • द्वात्रिंशिका માટે ઈર્ષ્યાથી તેવી પ્રવૃત્તિ થતી હોય તો તેનો ત્યાગ કરવાની શાસ્ત્રકારોએ ભલામણ કરેલી છે. તેથી ષોડશક પ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિવરે પણ જણાવેલ છે કે तत्रापि च न द्वेषः कार्यः विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्वं यत् प्रवचनादन्यत् ।।१६/१३।। આશય એ છે કે જિનાગમથી અવિરુદ્ધ તત્ત્વ બતાવનારા જૈનેતર ગ્રંથો પણ મૂળ આગમનો જ એક ભાગ છે. માટે તેના ઉપર દ્વેષ-તિરસ્કાર ન કરાય. પણ તેના વિષયની-તાત્પર્યની મધ્યસ્થભાવે ગવેષણા કરવી. કારણ કે તેના પણ સારા બધા વચનો મૂળ જિનાગમથી = દ્વાદશાંગીથી ભિન્ન નથી. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે * 'तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।। १३९ ।।' આવું કહેવા દ્વારા અન્યદર્શનીના ભવભીરુ ઋષિ-મુનિઓના અભિપ્રાયને જાણ્યા વિના તેનો અપલાપ કરવાની સાંપ્રતકાલીન સજ્જનોને મનાઈ કરેલી છે. કારણ કે તેનો અપલાપ-અનાદર ભયંકર અનર્થને કરનાર છે. વાસ્તવમાં તો સમકિતી જીવ ગુણાનુરાગી જ હોય, ગુણને જ પકડવામાં રસ ધરાવતો હોય. તેથી અન્યદર્શનીના વચનમાં અસંગતિ જેવું જણાય તો સમકિતી જીવ યોગ્ય નયનું આલંબન લઈને તે અસંગતિનું નિવારણ કરવાનું ચૂકે નહિ. કારણ કે સમકિતી જીવનો સ્વભાવ તેવું જ કરવાનો હોય. આ પ્રમાણે મહોપાધ્યાયજી મહારાજ ષોડશક-યોગદીપિકાવૃત્તિમાં જણાવે છે. તે શબ્દો આ મુજબ છે‘તથાળુળપ્રદરસિાનાં પરવવનાનુપપત્તિરિહારપ્રવળસ્વમાવત્ચાત્' (પોક.૧૬/૧રૂ વૃત્તિ) જો સભ્યષ્ટિ જીવનો સ્વભાવ આવો હોય તો જ મિથ્યાશ્રુતને સમ્યક્ શ્રુતરૂપે તે પરિણમાવી શકે. અને તો જ ‘મારä, રામાય.... अहवा बावत्तरिकलाओ चत्तारि यं वेदा संगोवंगा इच्चेताई सम्मद्दिट्ठिस्स सम्मत्तपरिग्गहियाई सम्मसुयं' (નં.મૂ.૭૦) આ પ્રમાણે નંદિસૂત્રનું વચન પણ સંગત થઈ શકે. અહીં નોંધપાત્ર ઉલ્લેખ એ છે કે સમકિતી “અન્યદર્શનના શાસ્ત્રો મિથ્યા છે” એમ માને/બોલે/સિદ્ધ કરે તો તેને તે સમ્યક્ શ્રુત બને- એવું નંદિસૂત્રમાં જણાવેલ નથી. પણ ‘સમકિતીએ સમ્યક્ સ્વરૂપે સર્વતઃ ગૃહીત કરેલ/યોગ્યદૃષ્ટિકોણથી સ્વીકારેલપરિણમાવેલા અન્યદર્શનશાસ્ત્રો તેના માટે સમ્યક્ શ્રુત બને છે’- આવું નંદિસૂત્રમાં સૂચિત કરેલ છે. કહેવાનો આશય એટલો જ છે કે સમ્યગ્દષ્ટિ જીવનું સમીકરણ છે ‘સારું તે મારું'. તેથી જ સ્વદર્શન પ્રત્યે દૃષ્ટિરાગ કે પરદર્શન-અન્યધર્મ પ્રત્યે દૈદ્વેિષ સમકિતીના જીવનમાં હોતો નથી. યુક્તિસંગત અને આત્મકલ્યાણકારી એવું જે શાસ્ત્રવચન હોય તેને ગુણાનુરાગી પ્રાજ્ઞ સમકિતી જીવ, વિના ખચકાટે, અપનાવી લે છે. તે સમયે આ શાસ્ત્ર મારું છે, સંપ્રદાયથી અને પરંપરાથી મને મળેલ છે. માટે તેને સ્વીકારું. પેલું શાસ્ત્ર તો અન્ય ધર્મનું છે. માટે તેને વખોડી કાઢું.' આવી ક્ષુલ્લક દૃષ્ટિરાગ-દ્વેષજન્ય વિચારધારામાં સમકિતી જીવો તણાતા નથી. માટે જ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે યોગબિંદુ ગ્રન્થમાં જણાવેલ છે કે - आत्मीयः परकीयो वा कः सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाऽबाधितो यस्तु युक्तः तस्य परिग्रहः ।।५२५।। લોકતત્ત્તનિર્ણય ગ્રંથમાં પણ આવા જ પ્રકારના આશયથી શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy