SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 42 • નલતાકારની હૃદયોર્મિ • द्वात्रिंशिका મંગલાચરણ કર્યું. દેવ-ગુરુની કૃપાના ક્ષીરસમુદ્રમાં આ સર્જન કાર્યની નૌકા વહેતી મૂકી. મુંબઈથી વેરાવળ, વેરાવળથી બરોડા, બરોડાથી જુનાગઢ, જુનાગઢથી અમદાવાદ, અમદાવાદથી આબુ આબુથી બરોડા, બરોડાથી પાલિતાણા... ઈત્યાદિ પાંચ વર્ષની વિહારયાત્રાની વચ્ચે ત્રિશિકાની નયેલતા વ્યાખ્યા અને ધાર્નિંશિકા પ્રકાશ વિવરણના સર્જનનું કાર્ય થયું. પાંચેક વર્ષના ગાળા બાદ અમદાવાદ-પંકજ સંઘ-ભુવનભાનુસૂરિ સ્મૃતિમંદિર મધ્યે વિ.સં. ૨૦૫૮ અક્ષયતૃતીયાના દિવસે નયલતા વ્યાખ્યા પૂર્ણ થઈ. તેના ૧૦ માસ બાદ દ્વાáિશિકાપ્રકાશ-ગુજરાતી વિવરણનું કાર્ય પૂર્ણ થયું. ત્યાર બાદ બે વર્ષ જેટલો સમય કમ્પોઝીંગ-પ્રિન્ટીંગ-બાઈન્ડીંગમાં લાગ્યો અને પ્રસ્તુત ગ્રંથનું આઠ ભાગમાં પ્રકાશન કરવાનું સોનેરી સ્વપ્ર સાંપ્રત કાળે દેવ-ગુરુકૃપાથી સાકાર થયું. (૫ : નાયલતા (નવ્ય ટીક) રચના પૂર્વે કંઈક મંથન અભ્યાસકાળ દરમ્યાન સ્વ-પરદર્શનના વિવિધ ગ્રંથોનું પરિશીલન-પરિપ્રેક્ષણ કરતી વખતે (૧) અન્યદર્શનીઓના ઘણા શ્લોકો એવા વાંચવામાં આવ્યા કે જેનો જૈનદર્શન સાથે અક્ષરશઃ તાલમેળ પડે તેમ હોય. (૨) પરદર્શનના ગ્રન્થોમાં એવા પણ ઘણા શ્લોકો વાંચવામાં આવ્યા જેનો અમુક નયની સીમામાં રહીને સ્વીકાર કરવામાં અનેકાન્તવાદીને કોઈ જ તકલીફ ન અનુભવાય. (૩) ઘણીવાર આપણે જેની એકાંતવાદી તરીકે ખતવણી કરીએ છીએ તેવા અદ્વૈતવાદીઓના ગ્રંથોમાં અદ્વૈતતત્ત્વના સ્વીકારની પાછળ રહેલું ઉમદા આધ્યાત્મિક પ્રયોજન વાંચીએ અને (૪) દૈતતત્ત્વનો તેમણે કરેલો સ્વીકાર જાણીએ ત્યારે આપણે “એકાંતવાદી' કહીને તેમને અન્યાય તો નથી કરતા ને? આવા વિચારો મનમાં ઉદ્ભવતા હતા. તે જ રીતે બૌદ્ધધર્મના મક્ઝિમનિકાય, દીઘનિકાય, અંગુત્તરનિકાય વગેરે ત્રિપિટક ગ્રંથોમાં આધ્યાત્મિક પદાર્થોની છણાવટ દષ્ટિગોચર થતાં “પૈતૃછી નહ્નિવી ?” આ પંક્તિ અનાયાસે સ્મૃતિગોચર બની જતી હતી. ઉપનિષદ્ ગ્રન્થો, શતપથબ્રાહ્મણ વગેરે બ્રાહ્મણ ગ્રન્થો, ઐતરેય-આરણ્યક વગેરે આરણ્યક સાહિત્ય તથા અષ્ટાવક્રગીતા-રમણગીતા-અવધૂતગીતા વગેરે ૨૫ જેટલી ગીતામાં પીરસાયેલ આધ્યાત્મિક પદાર્થોને વાગોળતી વખતે મનમાં થતું હતું કે આ પદાર્થો મોક્ષમાર્ગે આગળ વધવા માટે કેટલા બધા આવકાર્ય અને આવશ્યક છે ? ઘણા શ્લોકો તો તેમાં એવા આવે કે ગ્રંથનું અથવા ગ્રંથકારનું નામ જણાવ્યા વિના જો તે-તે શ્લોકો ગમે તે જૈન વિદ્વાનને વંચાવો તો તેનો વિના ખચકાટે સ્વીકાર કરી જ લે. તેથી તે સમયે ઘણીવાર મનમાં થતું કે આવા શ્લોકો અને આવા ઉમદા આધ્યાત્મિક પદાર્થોનો જૈન વાડ્મયમાં અવતાર-સમવતાર થાય તો કેવું સારું ? એના વિના કાંક ઓછાશ-ઉણપ જેવું પણ ક્યારેક જણાતું હતું. બીજી બાજુ આ વિચારને મજબૂત ટેકો આપે તેવા શાસ્ત્રપાઠો આપણા પ્રાચીન ગ્રંથોમાં અનેક સ્થળે વાંચવામાં આવ્યા. જેમ કે સમ્મતિતર્ક ગ્રંથમાં મહાવાદી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે કહેલ છે કે- “મદ્ મિચ્છાવંસનસમૂદમયસ સમયસારસ | जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।।३/६९ ।।' અહીં જણાવેલ છે કે કલ્યાણકારી જિનવચન મિથ્યાદર્શનોના સમૂહમય છે. તથા સંવિગ્ન ઉપાસકો જ તેને સુખેથી સમજી શકે છે, સ્વીકારી શકે છે. આમ અહીં સ્પષ્ટપણે શ્રીસિદ્ધસેનદિવાકરજીએ જણાવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy