SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • નયલતાકારની હૃદયોર્મિ • સભા- અમદાવાદ તરફથી પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ. તેમાં કુલ ૧૨૨ પૃષ્ઠ છે. (૪) તે પછી વિ.સં.૨૦૫૧માં ‘યશોવાણી’ નામની એક નાનકડી પુસ્તિકા પ્રકાશિત થઈ હતી, જેમાં પ્રથમ-દ્વિતીય અને અડધી ત્રીજી બત્રીસી- એમ કુલ અઢી બત્રીસી ગુજરાતી વિવેચન સાથે પ્રકાશિત થઈ હતી. શ્રી ભુવન-ભદ્રંકર સાહિત્યપ્રચાર કેન્દ્ર- મદ્રાસ તરફથી પ્રકાશિત તે લઘુપુસ્તિકામાં પ.પૂ.આચાર્ય શ્રી ભદ્રંકરસૂરિજી (છાણીવાળા) મહારાજે પ્રથમ અઢી બત્રીસીનો ગુજરાતી અનુવાદ કરેલ હતો. પ૯ પૃષ્ઠની તે પુસ્તિકા હતી. (૫) તે જ રીતે પ.પૂ.અભયશેખરવિજયજી ગણીવર (હાલ આચાર્ય) દ્વારા પ્રથમ આઠ બત્રીસીનો અનુવાદ વિ.સં.૨૦૫૧માં દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા તરફથી પ્રકાશિત થયેલ. તેમાં કુલ પૃષ્ઠ ૨૪૦ છે. 41 (૬) ત્યાર બાદ અનેકાન્તપ્રકાશન જૈન રિલિજીયસ ટ્રસ્ટ તરફથી વિ.સં.૨૦૫૮માં જુદી-જુદી બત્રીસીઓ સ્વતંત્ર નાનકડી પુસ્તિકારૂપે જુદા-જુદા સમયે પ્રકાશિત થઈ. તેમાં બત્રીસીની મૂળ ગાથા તથા તેના ઉપર પૂ.આ.શ્રી ચન્દ્રગુપ્તસૂરિજી મ.સા.ના ગુજરાતી વિવરણનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ આપણે જોઈ ગયા કે ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા' પ્રકરણ (સ્વોપજ્ઞ ટીકા સહિત) સંપૂર્ણ ગ્રંથ ઉપર નવી સંસ્કૃત ટીકા અથવા સંપૂર્ણ ગ્રંથનું ગુજરાતી વિવેચન હજુ સુધી પ્રકાશિત થયું ન હતું. બીજી બાજુ નવ્યન્યાયની જટિલ પરિભાષા દ્વાત્રિંશિકાના સાંગોપાંગ અભ્યાસ કરવામાં વાચકવર્ગને થોડી ખૂંચતી હતી. તથા દ્વાત્રિંશિકા ગ્રંથ પોતાના મૌલિક સ્વરૂપે અતિભવ્ય હોવાથી આમને આમ તેને છોડી પણ શકાય તેમ નથી. કેમ કે તેનો સારી રીતે અભ્યાસ કરવામાં ન આવે તો યોગવામયના ઘણા પદાર્થો વાચકવર્ગના મનમાં અધૂરા-સંદિગ્ધ-અજ્ઞાત કે વિપર્યસ્ત રહી જાય તેવી સંભાવનાને કોઈ પણ વિદ્વાન નકારી શકે તેમ નથી. આવું તે કેમ ચલાવી શકાય ? વાચકવર્ગની આ સમસ્યાનું સમાધાન થાય તો કેવું સારું ! એવા ભાવ મારા અંતરમાં જાગ્યા. ૪ : નૂતન પ્રકાશનની પાર્શ્વભૂમિ આ બાજુ સંયમજીવનના ચોથા વર્ષે, દશમા વર્ષે અને બારમા વર્ષે અલગ-અલગ મહાત્માઓને પ્રસ્તુત ‘દ્વાત્રિંશિકા’ પ્રકરણ વંચાવવાનો સુયોગ સાંપડ્યો. તે સમયે મુદ્રિતપ્રતમાં અનેક અશુદ્ધિઓના લીધે વિશ્વસનીય હસ્તપ્રત દ્વારા આ ગ્રન્થનું એક ઉમદા શુદ્ધ સંસ્કરણ તૈયાર કરવાની ભાવના જાગેલી. સાથો સાથ તેમાં આવતા નવ્ય ન્યાયના ક્લિષ્ટ સ્થળો વિશે એક સુંદર ટિપ્પણ પણ તૈયાર કરવાની ભાવના જાગી હતી. તેની એક કાચી નોંધ અધ્યાપન સમયે તૈયાર કરતો હતો. ત્યાર બાદ શ્રુતોપાસક હર્ષદભાઈ મણિલાલ સંઘવીએ દીક્ષાના ૧૩મા વર્ષે મારી પાસે પ્રસ્તાવ મૂક્યો કે ‘બત્રીસી’ ગ્રંથ ઉપર એક વિસ્તૃત-વિશદ સંસ્કૃત ટીકા અને ગુજરાતી વિવેચન તૈયાર થાય તો શ્રીસંઘમાં આ ગ્રંથ અધ્યયનઅધ્યાપનક્ષેત્રે વ્યાપક રીતે વિના ખચકાટે પ્રસાર પામે. તે સમયે મહોપાધ્યાયજી મહારાજને મનોમન ઉપસ્થિત કરીને, એમનો અનુગ્રહ યાચવા પૂર્વક નયલતા ટીકા અને દ્વાત્રિંશિકાપ્રકાશ-વિવરણની રચના માટેનું પ્રણિધાન દૃઢપણે થયું. ચિરકાલીન આવશ્યકતાની પરિપૂર્તિ કરવા અને શ્રુતસેવાનો યત્કિંચિત્ લાભ ઉઠાવવા માટે ગુરુદેવશ્રીના આશીર્વાદ લઈને ‘નયલતા’ સંસ્કૃત વ્યાખ્યા અને ‘દ્વાત્રિંશિકા પ્રકાશ' ગુજરાતી વિવરણનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy