SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ • માયા:સિદ્ધિ-વાધાપવિનમ્ • २२३ वीतरागस्यैवाऽसिद्धौ परस्याऽऽश्रयाऽसिद्धिश्च, तत्सिद्धौ वा धर्मिग्राहकमानेन तन्महत्त्वसिद्धौ बाधश्चेति द्रष्टव्यम्' ।।७।। किञ्चोक्तनैयायिकप्रयोगे पक्षत्वेनाभिमतस्य वीतरागस्यैव नैयायिकदर्शने असिद्धौ = अप्रसिद्धौ परस्य = नैयायिकस्य आश्रयाऽसिद्धिश्च = पक्षाऽसिद्धिर्हि दुर्वारा, पक्षतावच्छेदकविशिष्टस्याऽसिद्धावाश्रयाऽसिद्धिव्यवहारात् । न च नैयायिकस्य स्वतन्त्रोक्ताऽऽगमप्रमाणतो वीतरागाऽप्रसिद्धावपि जैनतन्त्रोक्ताऽऽगमप्रमाणेन तत्प्रसिद्धिरिति नाश्रयाऽसिद्धिप्रसङ्ग इति वक्तव्यम्, तत्सिद्धौ वा = जैनागमादिलक्षणेन वीतरागप्रसिद्धौ तु धर्मिग्राहकमानेन = वीतरागसाधकप्रमाणेनैव वीतरागस्य महत्त्वं सिध्यति । जैनागमादिसिद्धवीतरागा गीकारेऽपि तत एव सिद्धस्य महत्त्वस्याऽपलापे त्वर्धजरतीयन्यायापातात् । इत्थं तन्महत्त्वसिद्धौ = वीतरागस्य महत्त्वप्रसिद्धौ बाधश्च, महत्वाभावलक्षणस्य साध्यस्य पक्षे विरहात्, साध्याभाववत्पक्षकत्वस्यैव बाधलक्षणत्वात् इति द्रष्टव्यम् ।।४/७।। વ્યાપ્તિધટિત અનુમાનપ્રયોગમાં ઉદાહરણ તરીકે નૈયાયિક તેમના ઈશ્વર = મહેશ્વર સિવાય બીજા કોઈને રજૂ કરી શકે તેમ નથી. નૈયાયિકમતે જગકર્તા ઈશ્વરમાં મહત્ત્વાભાવ નથી અને નિત્યનિર્દોષત્વાભાવ પણ નથી. પરંતુ આવા જગત્કર્તા ઈશ્વર જૈન વિદ્વાનોને માન્ય નથી. ઉદાહરણ તો એવું જ લઈ શકાય કે જે વાદી, પ્રતિવાદી બન્નેને સંમત હોય, કારણ કે ઉદાહરણની આવશ્યક્તા વ્યાપ્તિના નિર્ણય માટે છે. જો ઉદાહરણ જ બન્નેને માન્ય ન હોય તો તેના ઉદાહરણના બળથી વ્યાપ્તિનો નિર્ણય કઈ રીતે થઈ શકે ? તથા વ્યાપ્તિનો જ નિર્ણય ન થાય તો અનુમિતિ કેવી રીતે ઉત્પન્ન થાય ? માટે વ્યતિરેકી પ્રયોગ પણ દોષગ્રસ્ત છે. વીતરી.' | વળી, મહત્ત્વની વાત તો એ છે કે વીતરાગ મહાન નથી, કારણ કે તે નિત્યનિર્દોષ નથી' - આવો જે અન્વયી અનુમાનપ્રયોગ નૈયાયિક વિદ્વાન દ્વારા જૈનો સામે રજૂ કરવામાં આવે છે તે વ્યાજબી ન હોવાનું બીજું એક કારણ એ છે કે જૈનદર્શનમાન્ય વીતરાગ પરમાત્મા નૈયાયિકને માન્ય જ નથી. જેને પોતે માનતા જ ન હોય તેની ચર્ચા કરવી તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? દાર્શનિક પરિભાષા મુજબ કહેવું હોય તો એમ કહી શકાય કે ઉપરોક્ત અનુમાનપ્રયોગમાં પક્ષ છે વીતરાગ. તથા તે અનુમાનકર્તાને જ માન્ય નથી. માટે આશ્રયઅસિદ્ધિ નામનો દોષ નૈયાયિકને લાગુ પડશે. જેને પક્ષની, પક્ષતાઅવચ્છદકની જ જાણકારી ન હોય છતાં શબ્દથી તેવા અજ્ઞાત પક્ષનો નિર્દેશ કરે તેને આશ્રયાસિદ્ધિ = પક્ષ-અપ્રસિદ્ધિ દોષ લાગુ પડે. જો નૈયાયિક એમ કહે કે “વીતરાગની અમને જાણકારી છે? તો જૈનોનો તેને પ્રશ્ન એ છે કે “વીતરાગને પ્રમાણ દ્વારા જાણો છો કે પ્રમાણ વિના ?' જો પ્રમાણ વગર વીતરાગ પરમાત્માને તૈયાયિક સ્વીકારે-માને તો તેનો કોઈ અર્થ નથી. અને જો નૈયાયિક વિદ્વાન પ્રમાણ દ્વારા વીતરાગ પરમાત્માને જાણશે, માનશે, સ્વીકારશે તો જૈનોનું નૈયાયિકને એમ કહેવું છે કે “જે પ્રમાણ દ્વારા વીતરાગનું તૈયાયિકને જ્ઞાન થયું છે તે જ પ્રમાણ દ્વારા વિતરાગમાં મહત્ત્વનું પણ જ્ઞાન = નિશ્ચય થઈ જ જશે. (એક વાર પ્રમાણ દ્વારા પદાર્થનો અને તદ્ગત ગુણધર્મોનો નિર્ણય થયો હોય તેનો અપલાપ તો કોઈ પણ બુદ્ધિમાન માણસ કરી ન શકે. જેમ કે જે ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રમાણ દંડને સિદ્ધ કરે છે તેના દ્વારા જ દંડમાં દંડત્વ, દ્રવ્યત્વ, ઘટકારણત્વ, કાષ્ઠત્વ, પ્રમેયત્વ, પટભેદ, મઠભેદ વગેરે અનેક ગુણધર્મો સિદ્ધ થાય છે. દંડનો નિશ્ચય કરાવનાર પ્રત્યક્ષ દ્વારા નિશ્ચિત થઈ ચૂકેલા તે ગુણધર્મોનો અપલાપ કરી ન શકાય. દંડને માનવો અને દંડત્વ, ઘટકારત્વ ૨. દસ્તાળું ‘’ તિ વ8. / ૨. દસ્તાવ ‘ગેરે ફત્રશુદ્ધ: Ta. I For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy