SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ • સધનવૈચાવિવિવાર. • - ત્રિશિ-૪૭ इत्थं च 'वीतरागो न महान, नित्यनिर्दोषत्वाभावादि'त्यन्वयिनि घटादौ दृष्टान्ते साधनवैकल्यमुपदर्शितं भवति, व्यतिरेकिणि चेश्वरदृष्टान्ते नोभयवादिसम्मतत्वम् । इत्थञ्च ‘वीतरागो न महान् नित्यनिर्दोषत्वाभावात्' इति नैयायिकप्रयोगे अन्वयिनि महत्त्वाभावलक्षणसाध्यशालिनि घटादौ घट-गगनादौ दृष्टान्ते साधनवैकल्यं = नित्यनिर्दोषत्वाभावलक्षणहेतोः शून्यत्वं उपदर्शितं भवति । न हि महत्त्वशून्ये घटाकाशादौ नित्यनिर्दोषत्वाभावो वर्तते । ततश्चान्वयोदाहरणे साधनवैकल्याभिधानदोषाऽऽपातः । न च रथ्यापुरुषादेरुदाहरणविधयोपादान्नान्वयिनि दृष्टान्ते साधनवैकल्यसम्भव इति वाच्यम्, तथापि घटाकाशादौ व्यभिचाराद् वीतरागे साध्यसिद्ध्यसम्भवात् । व्यतिरेकिणि च 'यत्र न महत्त्वाभावस्तत्र न नित्यनिर्दोषत्वाभाव' इति व्यतिरेकिप्रयोगे तु महत्त्वाभावलक्षणसाध्यशून्ये हि ईश्वरदृष्टान्ते = महेश्वरात्मके उदाहरणे यद्यपि नैयायिकमते न साधनवैकल्यादिदोषस्तथापि तत्र नोभयवादिसम्मतत्वं = नैव जैन-नैयायिकोभयसम्मतत्वम् । वादि-प्रतिवाद्युभयसम्मतस्यैवोदाहरणत्वसम्भवान्न व्यतिरेक्युदाहरणतयेश्वरग्रहणमत्रोचितमिति भावः । ત્યષ્ય' આ રીતે કહેવાની પાછળ આશય એ રહેલો છે કે જો “વીતરાગ અરિહંત મહાન નથી, કારણ કે તેમાં નિત્યનિર્દોષતા નથી.” આ અનુમાનપ્રયોગને અન્વયથી પ્રયોગરૂપે તૈયાયિક વિદ્વાનો રજુ કરે તો સાધનવૈકલ્પ દોષ લાગુ પડશે. કારણ કે ઉપરોક્ત અન્વયી અનુમાનપ્રયોગમાં હેતુ છે નિત્યનિર્દોષતાનો અભાવ.” અન્વય દૃષ્ટાન્ન નૈયાયિક આ રીતે બતાવશે કે જ્યાં જ્યાં નિત્યનિર્દોષતા ન હોય ત્યાં ત્યાં મહાનતા ન હોય, જેમ કે ઘટ, આકાશ વગેરે.” પરંતુ આવા અન્વયીપ્રયોગમાં ઉદાહરણ તરીકે પ્રદર્શિત ઘટ, આકાશ વગેરેમાં હેતુ જ રહેતો નથી. ઘડામાં દોષઅત્યન્તાભાવ સ્વરૂપ નિત્યનિર્દોષતા રહે છે. નિત્યત્વવિશિષ્ટ = નિત્ય–સમાનાધિકરણ દોષાત્યન્તાભાવરૂપ નિત્યનિર્દોષતા આકાશમાં રહે છે. કોઈ પણ વાદીએ અન્વયી અનુમાનપ્રયોગ એવી જ રીતે રજૂ કરવો જોઈએ કે જેમાં હેતુ ઉદાહરણમાં રહેતો હોય. તો જ તે ઉદાહરણના બળથી હેતુમાં વ્યાપ્તિનો નિર્ણય થવાથી તે હેતુ દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ થઈ શકે. પ્રસ્તુતમાં ઘડા, આકાશ વગેરે ઉદાહરણમાં મહત્ત્વાભાવ સાધ્ય હોવા છતાં હેતુ = નિત્યનિર્દોષતાનો અભાવ ન હોવાથી ઉદાહરણમાં હેતુવૈકલ્પ દોષ લાગુ પડે છે. (જો ઉદાહરણ તરીકે ઘડો, આકાશ વગેરેના બદલે અશિષ્ટ જુગારી વગેરે વ્યક્તિને નૈયાયિક રજુ કરે તો પણ ઘડા, આકાશ વગેરેમાં હેતુ વ્યભિચાર દોષગ્રસ્ત તો અવશ્ય થશે જ. આ વાત ન્યાયના અધ્યેતાએ ખ્યાલમાં રાખવી. જે અનુમાનપ્રયોગ દ્વારા જ્યાં હેતુ હોય ત્યાં સાધ્ય હોય- આ રીતે ઉદાહરણમાં અન્વય બતાવવો અભિપ્રેત હોય તે અનુમાનપ્રયોગ અન્વયી કહેવાય. તથા જે અનુમાનપ્રયોગ દ્વારા જ્યાં સાધ્ય ન હોય ત્યાં હેતુ પણ ન હોય. આ રીતે ઉદાહરણમાં વ્યતિરેક બતાવવો અભિપ્રેત હોય તે અનુમાનપ્રયોગ વ્યતિરેકી કહેવાય. અથવા તો અન્વય વ્યાપ્તિને મુખ્ય કરીને જે અનુમાન પ્રયુક્ત હોય તે અન્વયી કહેવાય તથા વ્યતિરેક વ્યક્તિને આગળ કરીને જે અનુમાનપ્રયોગ કરવામાં આવેલ હોય તે વ્યતિરેકી કહેવાય. નૈયાયિક વિદ્વાનો “વીતરાગ મહાન નથી, કારણ કે તેમાં નિત્યનિર્દોષતા નથી.” આ અનુમાનપ્રયોગને જો વ્યતિરેકી રૂપે રજુ કરે તો પણ તૈયાયિક ફાવી નહિ શકે. આનું કારણ એ છે કે, જ્યાં મહત્ત્વાભાવ ન હોય ત્યાં નિત્યનિર્દોષત્વાભાવ ન હોય” - આવા વ્યતિરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy