SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ १९४ • संविग्नपाक्षिकस्वरूपमीमांसा • द्वात्रिंशिका-३/३२ યશોવિજયજી મહારાજ વગેરે શ્રાવકોના વંદન કઈ રીતે સ્વીકારે? સુસાધુની જેમ શ્રાવક જો સંવિગ્નપાક્ષિક કરતાં ઊંચી ભૂમિકાએ હોય તો સંવિગ્નપાક્ષિક જેમ સુસાધુના વંદન ન સ્વીકારે અને સુસાધુની પાસે પોતાની સેવા ન કરાવે તેમ તે શ્રાવકના વંદન પણ ન સ્વીકારે તથા શ્રાવકની પાસે વૈયાવચ્ચ પણ ન જ કરાવે. પરંતુ હકીકત આવી નથી. એનાથી ફલિત થાય છે કે શ્રાવક કરતાં સંવિગ્નપાક્ષિક કર્મનિર્જરામોક્ષમાર્ગપ્રગતિ વગેરે અપેક્ષાએ આગળ છે. માટે આ જ ગ્રંથમાં ૧૯મી બત્રીસીના ૨૬મા શ્લોકમાં (પૃ. ૧૩૧૪) એક મત મુજબ સંવિગ્નપાક્ષિકને પ્રવૃત્તચક્રયોગી તરીકે બતાવેલ છે. વળી, પ્રસ્તુત ત્રીજી બત્રીસીના ૨૧મા શ્લોકમાં સંવિગ્ન પાક્ષિકને વીર્યાન્તરાય કર્મના ઉદયથી આચારમાં ઢીલાશ જણાવી છે; નહિ કે ચારિત્રમોહનીય કર્મના ઉદયથી. જો સમકિતી ફક્ત ચોથા ગુણઠાણે જ હોય તો તેની ચારિત્રાચારસંબંધી શિથિલતાને ગ્રંથકારશ્રીએ ચારિત્રમોહનીયના વિપાકોદયથી બતાવેલ હોત. વળી, છઠ્ઠી બત્રીસીના બારમા શ્લોકમાં (પૃ.૪૦૭) ભવભીરુ સંવિગ્નપાક્ષિક સાધુની ભિક્ષા સર્વસંપન્કરી બતાવેલ છે. તેનાથી પણ સિદ્ધ થાય છે કે સંવિગ્નપાક્ષિક છકે ગુણઠાણે હોય છે. શ્રાવકને કે શ્રાવક કરતાં નીચી ભૂમિકાવાળા જીવોને સર્વસંપન્કરી ભિક્ષા શાસ્ત્રકારોને માન્ય નથી. વળી, પ્રભુ મહાવીરનું શાસન તો વર્તમાનકાળમાં ફકત બકુશ અને કુશીલ ચારિત્રથી જ ચાલવાનું છે. વ્યવહારસૂત્ર, દર્શનશુદ્ધિપ્રકરણ, તીર્થોદ્ગાલીપયન્ના, ગુરુતત્ત્વવિનિશ્ચય વગેરે ગ્રંથોમાં જણાવેલ છે કે “પાંચમા આરાના છેડા સુધી ફકત બકુશ અને કુશીલ ચારિત્ર જ રહેવાનું છે.” મોક્ષમાર્ગનો ઊંડો બોધ હોય, ચારિત્રનો તીવ્ર પક્ષપાત હોય, સુસાધુ પ્રત્યે આદર હોય તેમ છતાં પણ વિર્યાન્તરાયકર્મના ઉદયથી ચારિત્રાચારમાં ઢીલાશ હોવા માત્રથી જો સંવિઝપાક્ષિક શ્રાવક કરતાં નીચે ઉતરી જાય તો વર્તમાનકાળમાં બકુશ-કુશીલ ચારિત્રને પાળનારા સાધુઓને કઈ રીતે છઠ્ઠા ગુણઠાણે બતાવી શકાય ? જો શ્રાવક કરતાં તેની ભૂમિકા નીચી જ હોય તો તે શા માટે બ્રહ્મચર્યપાલન, લોચ, વિહાર, ભિક્ષાચર્યા આદિ સંયમકષ્ટને સહન કરે ? પૂર્ણબ્રહ્મચર્ય, લોચ, વિહાર, ભિક્ષાટન વગેરે વિના ય શ્રાવકપણાને પાળીને જ જો આગળ વધી શકાતું હોય તો શા માટે તેટલું સહન કરીને પણ મોક્ષમાર્ગે નીચેની ભૂમિકાએ રહેવું? તેવું કોણ કરે? માટે શ્રાવક કરતાં સંવિગ્નપાક્ષિક ચઢિયાતા સિદ્ધ થાય છે. તે આપવાદિક માર્ગ હોવાથી તેનો નંબર ભલે ત્રીજો હોય, પરંતુ મોક્ષે જવા માટે શ્રાવકમાર્ગ કરતાં સંવિગ્નપાક્ષિકમાર્ગ લાંબો નથી, ટૂંકો છે. શ્રાવક કરતાં સંવિપાક્ષિકને નિર્જરા વધુ હોય. (૧) રાજમાર્ગ કરતાં કેડી ટૂંકી નીકળે ને ! રાજમાર્ગ શ્રેષ્ઠ જરૂર કહેવાય, પણ કેડી શોર્ટકટ કહેવાય. (૨) બાહ્ય વૈભવ આદિની દૃષ્ટિએ પાંચમા દેવલોક કરતાં ૧૨ મો દેવલોક શ્રેષ્ઠ જરૂર છે. પણ પાંચમા દેવલોકમાં ખૂણે રહેતા નવલોકાંતિક દેવો એકાવતારી હોવાથી ૧૨ મા દેવલોક કરતાં મોક્ષે જવા માટે નવ લોકાંતિક દેવ થવાનો માર્ગ શોર્ટકટ છે. (૩) સ્થવિર કલ્પી કરતાં જિનકલ્પી આચારસાધના-નિરતિચાર ચારિત્ર આદિ દૃષ્ટિથી જરૂર ચઢિયાતા કહેવાય. પરંતુ સાધુ-સાધ્વીના સમુદાયને સંભાળનાર ગીતાર્થ આચાર્ય સ્થવિર કલ્પી હોવા છતાં જિનકલ્પી કરતાં અપેક્ષાએ ચઢિયાતા છે. કારણ કે તે તે જ ભવમાં મોક્ષે જઈ શકે છે. જિનકલ્પી તે જ ભવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy