SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ • સંવિનપાક્ષિ ભૂમિાવિષાર: • 'સાધુરિત્યાયારમ્ય વતુ:શ્લોકી સુગમાં ।।૨૬।।રૂ૦||૩||૩૨|| // કૃતિ માર્ગદ્વાત્રિંશિા ||ર્|| द्वेधाऽप्ययं त्रिधैव स्यात् ज्ञप्ति-शक्ति-रुचित्रिकात् । सूक्ष्मदृष्ट्या त्वनन्ताः स्युः यद्भेदाः तं स्तुवे मुदा ।। १ ।। ।। इति मुनियशोविजयविरचितायां नयलतायां मार्गद्वात्रिंशिकाविवरणम् ।।३।। १९३ બીજી વાત અહીં એ ધ્યાનમાં રાખવા જેવી છે કે સાધુ, શ્રાવક અને સંવિગ્નપાક્ષિક - આ ક્રમથી ત્રિવિધ મોક્ષમાર્ગ બતાવવાની પાછળ આશય એ રહેલ છે કે શક્તિ હોય તો સમજણપૂર્વક સર્વ પાપનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરીને તે મુજબ જીવવું. અર્થાત્ સુસાધુ બનવું. સકલ પાપના ત્યાગની શક્તિ-સંયોગ ન હોય તો શક્ય પાપનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી તેને પાળવા કટિબદ્ધ બનવું. અર્થાત્ સુશ્રાવક બનવું અને ઉત્સાહ જાગે ત્યારે સુસાધુ બનવું. અતિચાર કે દૂષણ લગાડ્યા વિના વ્રત-પ્રતિજ્ઞાનું પાલન કરવું એ મોક્ષે જવાનો રાજમાર્ગ છે, ઉત્સર્ગમાર્ગ છે, નિર્દોષ સ્વ-પરકલ્યાણકારી મોક્ષમાર્ગ છે. સિંહની જેમ પરાક્રમથી, સમજણપૂર્વક વૈરાગી બની સર્વપાપત્યાગની પ્રતિજ્ઞા કરી, સાધુ બનવા છતાં કદાચ પાછળથી જો પ્રમાદના લીધે આચારમાં શિથિલ બનવાથી વ્રત-પ્રતિજ્ઞામાં અતિચારદૂષણ લાગે તો પ્રાયશ્ચિત્ત-આલોચના દ્વારા શુદ્ધ બની ફરીથી મૂળ પ્રતિજ્ઞાને વફાદારીથી જીવનભર ઉત્સાહથી શક્તિ છૂપાવ્યા વિના સંપૂર્ણપણે પાળવી. આ પણ મોક્ષમાર્ગ છે. પરંતુ વારંવાર અતિચાર લાગવાથી કે પ્રમાદથી કે વીર્યંતરાયકર્મના ઉદયથી પ્રતિજ્ઞા મુજબ નિર્દોષ-નિરતિચાર સંયમચર્યા જીવનભર પાળવાનો ઉત્સાહ ન જ જાગે અને સાધુવેશ અત્યંત ગમતો હોય, સાધુવેશ છોડવાની તૈયારી ન હોય તો શક્ય તેટલી જયણાથી સંયમ પાળવું, સુસાધુને સહાય કરવી અને શુદ્ધ આચારમાર્ગની પ્રરૂપણા કરવી- આ મોક્ષે જવાનો કેડી માર્ગ છે, આપવાદિક મોક્ષમાર્ગ છે, દોષયુક્ત હોવા છતાં ગુણગ્રાહી સ્વપરકલ્યાણકારી મોક્ષમાર્ગ છે. પરંતુ આનો અર્થ એવો ન કરવો કે મોક્ષમાર્ગે આગળ વધવાની અપેક્ષાએ સંવિગ્નપાક્ષિક કરતાં શ્રાવકો ચઢિયાતા છે. કારણ કે ઉત્સર્ગ જેમ માર્ગ છે તેમ અપવાદ પણ માર્ગ છે. પોતપોતાના સ્થાનમાં ઉત્સર્ગ અને અપવાદ બળવાન છે. સંવિગ્નપાક્ષિક એક એવી ભૂમિકાએ છે કે જ્યાંથી તેના માટે શ્રાવક બનવું કે સંવિગ્નઅપ્રમત્ત સાધુ બનવું- બેમાંથી એક પણ શક્ય નથી. તેથી તે જ્યાં છે ત્યાંથી પોતાની શક્તિ મુજબ તે મોક્ષમાર્ગે આગળ વધે છે. ઉદાહરણ તરીકે કહેવું હોય તો એમ કહી શકાય કે સંવિગ્ન સુસાધુ પાયલોટ (Pilot) છે. શ્રાવક C.A. છે. અને સંવિગ્નપાક્ષિક M.B.B.S. છે. તેથી શ્રાવક કરતાં સંવિગ્નપાક્ષિકને હીન કહી ન શકાય. આચારની અપેક્ષાએ કદાચ શ્રાવક કરતાં તે ભલે નિમ્નકક્ષાએ હોય પરંતુ કર્મનિર્જરાની અપેક્ષાએ તો શ્રાવક કરતાં સંવિગ્નપાક્ષિક હીન ન જ કહેવાય. છકાયની હિંસા કરનાર, અબ્રહ્મનું સેવન કરનાર શ્રાવક કરતાં બ્રહ્મચર્ય-જયણા-શુદ્ધપ્રરૂપણા-તાત્ત્વિક આગમબોધ-સુસાધુસેવા-શિષ્યનિસ્પૃહતા-સંઘસેવા આદિ ગુણોથી સંપન્ન સંવિશ્વપાક્ષિક નીચેની કક્ષાએ કેમ કહી શકાય ? અને જો શ્રાવક કરતાં સંવિગ્નપાક્ષિક નિમ્નભૂમિકાએ હોય તો પોતાની જાતને સંવિશ્વપાક્ષિક ગણાવતા શ્રીહરિભદ્રસૂરિજી મ., ઉપા. શ્રી १. मुद्रितप्रतौ प्रतिश्लोकं 'साधुरिति व्यक्तः । गुणीति व्यक्तः । ते चेति व्यक्तः । इत्थमिति व्यक्त: ।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy