SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ • આ અમૃત છે. લો, ચાખો * (૨૫) ક્લેશહાનોપાય - બત્રીસી : ટૂંકસાર મોક્ષમાં જવાની ભારે ઈચ્છા હોવા છતાં તેમાં કંઈક નડે છે. આ નડતર રૂપ તત્ત્વને ‘કર્મ’ ‘અવિદ્યા’ ‘અદૃષ્ટ’ અને ‘પાશ’ એમ વિભિન્ન નામે વિભિન્ન દર્શનો ઓળખાવે છે. પણ તે તત્ત્વ જીવને સંસારમાં સંક્લેશ પેદા કરાવે છે તે નક્કી. = આથી પૂ.ઉપાધ્યાયજી મ. ક્લેશ અને તેના ઉચ્છેદના હેતુને આ બત્રીસીમાં રજૂ કરે છે. વિવિધ દર્શનોમાં પ્રવર્તતી જુદી જુદી માન્યતાઓ જણાવીને તેની સમીક્ષા આ બત્રીસીમાં કરવામાં આવી છે. જૈન સિદ્ધાન્ત પ્રમાણે સમ્યજ્ઞાન અને સદનુષ્ઠાન ક્રિયા કર્મરૂપી ક્લેશને દૂર કરવાનો સચોટ ઉપાય છે, જેમ જંગલમાં બે મુસાફરોમાં એક આંધળો અને બીજો લંગડો હોય, અને અચાનક આગ લાગતા તેમાંથી બચવા માટે બન્ને પરસ્પર સહયોગ સાધીને, સફળતાને વરે છે. લંગડા છતાં ચક્ષુષ્માન બીજા મુસાફરને અંધ મનુષ્ય પોતાના ખભે બેસાડીને ચક્ષુષ્માન મનુષ્યની સૂચના પ્રમાણે ચાલતા રહીને આગથી બચીને સુરક્ષિત સ્થળે પહોંચી જાય છે, તે રીતે જ્ઞાન અને ક્રિયાના સુમેળથી કર્મરૂપી આગથી છૂટીને સુરક્ષિતપણે મુક્તિનગરમાં પહોંચી જવાય છે. (ગાથા.૧) 32 આ બત્રીસીમાં બૌદ્ધમતના નૈરાત્મ્યવાદની, જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર-બૌદ્ધની, પાંતજલ દર્શનની અને તાર્કિક નૈયાયિકો વગેરેની ચોટદાર સમીક્ષા કરવામાં આવી છે. ઉપર્યુક્ત મતોમાં રહેલા એકાંતવાદના કારણે આવતા દોષોને જણાવીને અનેકાંતદૃષ્ટિનો સ્વીકાર કરવાથી દોષોનું નિવારણ કેવી રીતે થાય છે ? તેનું હૃદયંગમ વર્ણન પૂ.ઉપાધ્યાયજી મહારાજ આ બત્રીસીમાં કરે છે. * (૨૬) યોગમાહાત્મ્ય-બત્રીસી : ટૂંકસાર પૂ.ઉપાધ્યાયજી મ. ૨૬ મી બત્રીસીમાં યોગનો મહિમા વર્ણવે છે. શાસ્ત્રનું રહસ્ય યોગ છે. મોક્ષની કેડી યોગ છે. વિઘ્નોને શાંત કરનાર અને કલ્યાણનું કારણ યોગ છે. ધનવાન માણસને પત્ની-પુત્રાદિ વડે જેમ સંસારવૃદ્ધિ થાય છે તેમ શાસ્ત્રો પણ યોગના અભાવે પંડિતોને સંસારવૃદ્ધિ કરાવનાર થાય છે. (ગાથા.૧ અને ૨) · યોગરૂપી કલ્પવૃક્ષથી આ લોકમાં લબ્ધિઓ મળે છે. પરલોકમાં અભ્યુદય અને અંતે પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. (ગાથા.૩) · द्वात्रिंशिका આવા યોગનું ફળ પતંજલિ ઋષિના ‘“યોગસૂત્ર” ગ્રન્થાધારે પાંચથી એકવીશ ગાથા સુધી વર્ણવીને પછી જૈનદર્શનના આધારે યોગફળનું નિરૂપણ ગ્રન્થકારશ્રી કરે છે. • કેટલીક ઝલક જોઈએ - Jain Education International કાનને બંધ કરતાં જો અવાજ ન સંભળાય તો મૃત્યુકાળ નજીક છે તેમ જાણવું. આ આધ્યાત્મિક અરિષ્ટ છે. આકાશમાં વિકૃત છાયા-પુરુષનું દર્શન મૃત્યુનું સૂચક છે. આ આધિભૌતિક અરિષ્ટ જાણવું. તથા સ્વર્ગનું અચાનક દર્શન વગેરેથી આસન્ન પરલોકગમન સૂચવાય તે આધિદૈવિક અરિષ્ટ જાણવું. તે રીતે મૈત્રી વગેરે ભાવના પ્રકૃષ્ટ બને તો તેવા સંયમથી તે ભાવનાનું બળ મળે છે. હાથીના બળનું સંયમ (ધારણા + ધ્યાન + સમાધિનો સમન્વય) કરવાથી હાથી જેવી તાકાત યોગીમાં પ્રગટે છે. (ગાથા.૫-૭) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy