SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • આ અમૃત છે. લો, ચાખો • • પ્રકાશમય સૂર્યને વિશે સંયમ કરવાથી સાત લોકનું જ્ઞાન થાય છે. ચન્દ્રને વિશે સંયમ કરવાથી તારાના યૂહનું જ્ઞાન થાય છે. ધ્રુવતારાને વિશે સંયમ કરવાથી તારાઓની નિયત સમયે નિયત સ્થળમાં થનારી ગતિનું જ્ઞાન થાય છે. નાભિને વિશે સંયમ કરવાથી રસવાહિની-મલવાહિની વગેરે નાડીઓના સ્થાનનું જ્ઞાન થાય છે. કંઠકૂપને વિશે સંયમ કરવાથી ભૂખ-તરસ રવાના થાય છે. (ગાથા.૮-૯) # () ભિક્ષુ-બત્રીસી : ટૂંકસાર # ૨૬મી બત્રીસીમાં વર્ણવેલ યોગવૈભવ ભાવભિક્ષુને જ મળે છે. માટે ૨૭મી બત્રીસીમાં ભાવભિક્ષુનું વિસ્તારથી વર્ણન પૂ.ઉપાધ્યાયજી મ. કરે છે. દશવૈકાલિક-સૂત્રના દશમા અધ્યયન મુજબ ગ્રન્થકારશ્રીએ વિસ્તારથી ભિક્ષુના (સાધુના) લક્ષણો આ બત્રીસીમાં વર્ણવ્યા છે. તેમાંથી “કાંઈક' આપણે અહીં જોઈએ. ભિક્ષુ હોય તે અખંડ-નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તેના ઉપાય રૂપે ગુરુવચન પારતન્ય સતત આરાધે છે. તે પાંચ મહાવ્રતોમાં સદા રક્ત રહે છે. સાધુ માટે બનાવેલો દોષિત આહાર તે વાપરતા નથી. તે કષાયમુક્ત હોય છે. પરિગ્રહથી અને ગૃહસ્થસંબંધથી પણ મુક્ત રહે છે. તે દેહના મમત્વથી રહિત, હાથ-પગ-વાણી ઉપર સંયમ ધરાવનારા અને ઈન્દ્રિયવિજેતા હોય છે. તથા લાલસાથી = આસક્તિથી રહિત અને સત્કાર-પૂજાની ઈચ્છા વગરના હોય છે. (ગાથા.૧ થી ૧૬). રત્નત્રયના પોષણ માટે સર્વસંપન્કરી ભિક્ષાને ગ્રહણ કરનારા સાધુ ભાવભિક્ષુ કહેવાય. ભાવસાધુને અંતરથી વંદના કરજો. અને આવું “ભાવભિક્ષુપણું” આપણને પણ પ્રાપ્ત થાય તેવી પ્રબળ ભાવના કરજો. # (૨૮) દીક્ષા-બત્રીસી : ટૂંકસાર ૨૭મી બત્રીસીમાં વર્ણવેલ ભિક્ષુ (સાધુ) દીક્ષાથી સંપન્ન જ હોય. માટે પૂ. ઉપાધ્યાયજી મ. ૨૮મી બત્રીસીમાં દીક્ષાનું વિસ્તારથી વર્ણન કરે છે. “દીક્ષા” શબ્દની વ્યુત્પત્તિ, દીક્ષાના અધિકારી, દીક્ષાના પ્રકાર, દીક્ષાકાલીન અનુષ્ઠાનના અને ક્ષમાના પ્રકારો, દીક્ષા પરિણમનનું ફળ, દીક્ષિતની અંતરંગ પરિણતિ, શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષા, દીક્ષા અંગે દિગમ્બર મત-સમીક્ષા વગેરેનું વર્ણન આ બત્રીસીમાં કરવામાં આવેલ છે. • હાઈ લાઈટ્સ છે • દીક્ષા એટલે જેનાથી કલ્યાણનું “દાન અને અકલ્યાણનો “ક્ષય થાય છે તે. આવી દીક્ષા જ્ઞાનીને હોય. તથા જ્ઞાની એવા ગુરુને સમર્પિત થયેલા જીવન હોય. દેખતા માણસનો હાથ પકડીને ચાલતો અંધ માણસ જેમ જંગલ પસાર કરીને નગરમાં પહોંચી જાય છે તેમ જ્ઞાનીનો હાથ પકડીને ચાલનારો અજ્ઞાની શિષ્ય પણ ભવાટવીને પસાર કરીને મુક્તિનગરમાં પહોંચી જાય છે. દીક્ષાપાલનસામર્થ્ય જેમ ભાવનાજ્ઞાનના પ્રતાપે આવે છે, તેમ સદ્ગુરુ પ્રત્યેના રાગ-સમર્પણ વગેરેના કારણે પણ આવે છે. માર્ગાભિમુખ વગેરે ભદ્ર પરિણામી મિથ્યાષ્ટિ જીવો પણ જો સદ્ગુરુ પ્રત્યે કાયમ સમર્પણભાવ રાખે તો દીક્ષા લેવાના અધિકારી છે. (ગાથા.૧ થી ૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy