SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ९८ • श्रुतमयज्ञानपदप्रयोगविचारः . द्वात्रिंशिका-२/१२ यद्वा तत्र 'स्वतन्त्रसंज्ञाव्यवच्छेद एवेष्यते इति न दोषः ।।११।। महावाक्यार्थजं सूक्ष्मयुक्त्या स्याद्वादसङ्गतम् । चिन्तामयं विसर्पि स्यात्तैलबिन्दुरिवाम्भसि ।।१२।। ___ कल्पान्तरमाह- यद्वेति । तत्र = वाक्यार्थ-महावाक्याथैदम्पर्यार्थाऽसम्बद्धे वक्ष्यमाणचिन्ता-भावनाज्ञाननिरपेक्षे शब्दार्थमात्रविषयके ज्ञाने स्वतन्त्रसंज्ञाव्यवच्छेद एवेष्यते = 'श्रुतमयज्ञानमिति स्वतन्त्रसंज्ञायाः = तान्त्रिकपरिभाषाया एव व्यवच्छेद इष्यते; न तु तत्र मत्यादिज्ञानपञ्चकान्तर्गतश्रुतज्ञानत्वं व्यवच्छिद्यते રૂતિ ન તોષ: પાર/૧૧T ઐદંપર્યાર્થવિષયક નિશ્ચયના ઘટકસ્વરૂપ જે માત્ર શબ્દાર્થવિષયક બોધ હોય છે તેની શ્રુતજ્ઞાનમાંથી બાદબાકી કરવી અભિમત નથી. કેમ કે તેવો બોધ શ્રુતજ્ઞાનમાં હોય છે તેમ ઉપદેશપદમાં જણાવેલ છે. (આશય એ છે કે શાસ્ત્રને સૌપ્રથમ વખત સાંભળતી વખતે સૂત્રાર્થનો બોધ થાય પછી જ તેના વિશે ઉહાપોહ કરીને સૂત્રના તાત્પર્યાર્થ સુધી પહોંચી શકાય છે. જો સૂત્રના યથાશ્રુત અર્થનો બોધ જ શ્રોતાને થયો ન હોય તો શ્રોતાને સૂત્ર ઉપર ઉહાપોહ કરવાની તક જ મળતી નથી. તેથી તાત્પર્યાર્થ પામવો તેના માટે દુર્લભ બને છે. આથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનની પૂર્વે સૂત્રના કેવલ અર્થનું = શબ્દાર્થનું = પદાર્થનું જ અવગાહન કરનારું જ્ઞાન માનવું આવશ્યક છે અને તે જ શ્રુતજ્ઞાન તરીકે અભિમત છે. પરંતુ કોઈક સૂત્રના યથાશ્રુત એવા માત્ર શબ્દાર્થનો જ બોધ કરીને જે શ્રોતા અટકી જાય છે, ચિંતાજ્ઞાન સુધી પણ પહોંચવાનો પુરુષાર્થ કરતો નથી, તેનો બોધ પ્રસ્તુત શ્રમયજ્ઞાનમાં સમાવેશ પામતો નથી. આ પ્રમાણે ઉપરોક્ત વિદ્વાનોનો અભિપ્રાય માનવો જરૂરી બની જાય છે.) આ વાતને ધ્યાનમાં લેવી. યા. / અથવા તો એમ પણ કહી શકાય કે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનથી નિરપેક્ષ એવા કેવલ શબ્દાર્થના બોધમાં “શ્રુતમય જ્ઞાન - આવી સ્વતંત્ર સંજ્ઞા = પારિભાષિક સંકેતની જ બાદબાકી કરવી અહીં અભિપ્રેત છે. આવું માનવાથી કોઈ પણ પ્રકારના દોષને અવકાશ રહેતો નથી. (કહેવાનો આશય એ છે કે અહીં બતાવેલ શ્રુતજ્ઞાન શબ્દનો પ્રયોગ પારિભાષિક અર્થમાં છે. જે પદાર્થજ્ઞાન આગળ જઈ ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનમાં પરિણમવાનું છે તે પદાર્થજ્ઞાન પારિભાષિક શ્રુતજ્ઞાનનો અર્થ છે. આથી શબ્દાર્થ બોધ કરીને જે શ્રોતા અટકી જાય છે તે બોધ શ્રતને આશ્રયીને ઉત્પન્ન થવાના લીધે શ્રુતજ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ શ્રુત-ચિંતા-ભાવનાજ્ઞાન આ પ્રમાણે જે પારિભાષિક સંજ્ઞા છે તેમાંથી શ્રુતમયજ્ઞાન એવા પારિભાષિક સંકેતનો તેમાં વ્યવહાર ન થઈ શકે.) (૨/૧૧). વિશેષાર્થ :- જેમ કોઠારમાં રહેલું બીજ સડી ગયું ન હોય, બળી ગયું ન હોય, નષ્ટ થયું ન હોય તો જ તેમાંથી અંકુરો ઉગવાની શક્યતા છે, તેમ જે શ્રુતજ્ઞાન ભણ્યા પછી ભૂલાઈ ગયું ન હોય, કદાગ્રહથી દૂષિત થયું ન હોય, કે વિપરીત અર્થઘટનવાળું ન બન્યું હોય તે જ શ્રુતજ્ઞાન ભાવમાં ચિંતાજ્ઞાન વગેરેને ઉત્પન્ન કરી શકે, અન્યથા નહિ. આ વાતની સૂચના આપવા માટે શ્રુતજ્ઞાનને અવિનષ્ટ બીજની ઉપમા આપવામાં આવી છે. બાકીની વિગત ટીકાર્યમાં જ સ્પષ્ટ કરેલ છે. (૨/૧૧) ગાથાર્થ :- મહાવાક્ષાર્થથી ઉત્પન્ન થયેલ તેમજ સૂક્ષ્મ યુક્તિ દ્વારા સ્યાદ્વાદથી યુક્ત હોય એવું જ્ઞાન ચિન્તાજ્ઞાન કહેવાય છે. પાણીમાં જેમ તેલનું બિંદુ ફ્લાય છે તેમ ચિન્તામયજ્ઞાન વિસ્તારશીલ = પ્રસરણશીલ હોય છે. (૨/૧૨) ૨. મુદ્રિતકત “સ્વતન્ત’ પર્વ નાસિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy