SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ • ધર્મસારમતસમીક્ષા • द्वात्रिंशिका-१/३१ केवलायास्तस्याः प्रतिबन्धकत्वाभावात्, जीवघातपरिणामविशिष्टत्वेन प्रतिबन्धकत्वे च विशेषणाऽअपूर्वमेव चागमतर्ककौशलम् । कटाक्षरूपेणेदमवगन्तव्यम्, यतः निर्विशेषणाया जीवविराधनाया निर्जराप्रतिबन्धकत्वमिष्यते भवद्भिः यदुत सविशेषणायाः ? इति विमलविकल्पयुगली कलमरालविहङ्गमयुगलीव समुपतिष्ठतेऽत्र । तत्र नाद्योऽनवद्यः, केवलायाः = निर्विशेषणायाः तस्या जीवविराधनायाः प्रतिबन्धकत्वाभावात् = निर्जराप्रतिबन्धकत्वस्याऽसम्भवात्, अन्यथा साधुनद्युत्तारादावपि निर्जरा न स्यात्, जीवविराधनात्वेन रूपेण निर्जराप्रतिबन्धकीभूताया जीवविराधनायाः तत्र सत्त्वात् । द्वितीयविकल्पमप्यपाकर्तुमुपन्यस्यति - जीवघातपरिणामविशिष्टत्वेन = स्वनिरूपितजन्यतासम्बन्धेन जीवघातपरिणामस्वरूपविशेषणविशिष्टत्वेन रूपेणैव जीवविराधनाया निर्जरां प्रति प्रतिबन्धकत्वे अभ्युपगम्यमाने च = हि केवले विशेषणे केवले वा विशेष्ये सति विशिष्टस्य प्रतिबन्धकस्य विरहात् निर्जरालक्षणं कार्यं स्यात् । तथाहि - प्रकृते जीवघातपरिणामस्य विशेषणत्वं जीवविराधनायाश्च विशेष्यत्वम् । जीवघातपरिणामविशिष्टविराधनाया एव निर्जराप्रतिबन्धकत्वम् । जीवघातपरिणामस्योत्तेजकाभावत्वं निर्जरां प्रति, निर्जरोत्तेजकत्वञ्च जीवघातपरिणामविरहस्य जीवघातपरिणामविशिष्टजीवविराधनाविरहो यदा तदा હ ધર્મસાગરજી મત મીમાંસા છે ગ્રંથકારશ્રી ઉપરોક્ત મતની મીમાંસા કરતા કહે છે કે આગમનિરપેક્ષ પ્રતિપાદન કરવા રૂપ સાહસ શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાયજીએ કરેલ છે. તેમની ઉપરોક્ત વ્યાખ્યા અપૂર્વ જ છે. તથા તેમની આગમ અને તર્ક વિશે કુશળતા પણ અપૂર્વે જ છે. (અર્થાતુ ઉપરોક્ત પ્રતિપાદન અને તર્કકુશળતા અનુચિત છે. અપૂર્વ શબ્દ અહીં કટાક્ષરૂપે ગ્રંથકારશ્રીએ પ્રયોજેલો છે.) કેવળ જીવવિરાધનાને તો નિર્જરાનું પ્રતિબંધક માની ન શકાય. (અર્થાત કોઈ પણ પ્રકારની જીવવિરાધના નિર્જરાની પ્રતિબંધક જ છે- એવું માની ન શકાય. બાકી સાધુ ભગવંત અપવાદપદથી નદી ઉતરે ત્યારે પણ કર્મનિર્જરા થઈ નહીં શકે. કારણ કે જીવવિરાધનારૂપે નિર્જરાની પ્રતિબંધક બનનાર જીવવિરાધના ત્યાં હાજર છે જ. આથી માનવું પડશે કે જીવવિરાધનારૂપે જીવવિરાધના નિર્જરાની પ્રતિબંધક નથી. તેથી અહીં એવું સ્વીકારવું પડશે કે જીવઘાતપરિણામજન્યત્વવિશિષ્ટ જીવવિરાધના એ કર્મનિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે. અર્થાત્ જે જીવવિરાધના જીવઘાતપરિણામજન્ય હોય તે વિરાધનાની હાજરીમાં કર્મનિર્જરા ન થાય. કર્મનિર્જરા પ્રતિબંધક જીવવિરાધના એ જીવઘાતપરિણામથી જન્ય છે. તેથી તેની વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વરૂપ ગુણધર્મ રહેશે. અહીં જીવઘાતપરિણામ એ કારણ છે અને વિરાધના એ કાર્ય = જન્ય છે. જીવઘાતપરિણામની અપેક્ષાએ જીવવિરાધનામાં કાર્યતા = જન્યતા રહેલ છે. અર્થાત જીવઘાતપરિણામથી નિરૂપિત એવી જન્યતાથી વિશિષ્ટ જીવવિરાધના બને છે. ન્યાયદર્શનમાં એવો એક સિદ્ધાંત છે કે જેની (A) અપેક્ષાએ જેમાં (B) જે ગુણધર્મ (C) આવે તે ગુણધર્મ (C) તેને (A) ત્યાં (B) રહેવા માટે સંબંધનું કાર્ય કરે. પ્રસ્તુતમાં જીવઘાતપરિણામજન્યત્વ = જીવઘાતપરિણામનિરૂપિત જન્યત્વ = જીવઘાત પરિણામની અપેક્ષાએ સ્વનિરૂપિતજન્યત્વ નામનો ગુણધર્મ જીવવિરાધનામાં આવે છે. તેથી સ્વનિરૂપિતજન્યત્વ નામનો ગુણધર્મ જીવઘાતપરિણામને જીવવિરાધનામાં રહેવાને માટે સંબંધનું કાર્ય કરશે. આથી સ્વનિરૂપિતજન્યતા સંબંધથી જીવઘાતપરિણામવિશિષ્ટ જીવવિરાધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy