SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ • जीवघातपरिणामस्य निर्जराकारणतापादनम् • भावप्रयुक्तस्य विशिष्टाभावस्य शुद्धविशेष्यस्वरूपत्वे विशेष्याभावप्रयुक्तस्य तस्य शुद्धविशेषणरूपस्यापि सम्भवाज्जीवघातपरिणामोऽपि देवानांप्रियस्य निर्जराहेतुः प्रसज्येत । निर्जराऽवश्यम्भाविनीति फलितम् । स च विरहो द्विधा लभ्येत, विशेषणाभावप्रयुक्तो विशेष्याभावप्रयुक्तश्च । विशेषणाभावप्रयुक्तस्य = जीवघातपरिणामलक्षणविशेषणविरहप्रयुक्तस्य विशिष्टाभावस्य = जीवघातपरिणामविशिष्टजीवविराधनाविरहस्य शुद्धविशेष्यस्वरूपत्वे = जीवविराधनास्वरूपत्वे निश्चिते सति विशेष्याभावप्रयुक्तस्य = जीवविराधनाविरहप्रयुक्तस्य तस्य = विशिष्टाभावस्य = जीवघातपरिणामविशिष्टजीवविराधनाविरहस्य शुद्धविशेषणरूपस्यापि = जीवघातपरिणामस्वरूपस्यापि सम्भवात जीवघातपरिणामोऽपि जीवघातपरिणामविरहविशिष्टजीवविराधनावत् देवानांप्रियस्य = मूर्खस्य निर्जराहेतुः प्रसज्येत = प्रतिबन्धकाभावत्वेन रूपेण कर्मनिर्जराकारणं स्यात् । अतो जीवघातपरिणामे सत्यपि निर्जरा स्यात्, यतो विशिष्टस्य બનશે. અહીં વિશેષણ છે - જીવઘાતપરિણામ અને વિશેષ્ય છે વિરાધના. જો સ્વનિરૂપિતજન્યતાસંબંધથી જીવઘાતપરિણામવિશિષ્ટ રૂપે જીવવિરાધનાને કર્મનિર્જરા પ્રત્યે પ્રતિબંધક માનવામાં આવે તો જ્યારે વિશેષણની = જીવઘાતપરિણામની ગેરહાજરીથી જીવઘાતપરિણામવિશિષ્ટ વિરાધનાનો જે અભાવ પ્રાપ્ત થશે તે શુદ્ધવિશેષ્ય સ્વરૂપ = નિર્વિશેષણ જીવવિરાધનાસ્વરૂપ બને, કેમ કે માત્ર જીવઘાતપરિણામની ગેરહાજરીથી જ્યાં જીવઘાતપરિણામવિશિષ્ટવિરાધનાનો અભાવ હોય ત્યાં કેવળ વિરાધના ઉપસ્થિત હોય છે. (જેમ કે દંડવિશિષ્ટ માણસની ગેરહાજરી ત્રણ રીતે સંભવ છે - કાં તો દંડ ન હોય તો, કાં તો માણસ ન હોય તો અને કાં તો દંડ તથા માણસ બન્ને ન હોય તો. દંડ ન હોય અને માણસ હોય તો પણ દંડવિશિષ્ટ માણસનો અભાવ જ કહેવાય. તેમાં પ્રયોજક છે દંડની = વિશેષણની ગેરહાજરી. દંડાભાવપ્રયુક્ત દંડીઅભાવ કેવળ માણસ સ્વરૂપ બને છે. કેમ કે જ્યાં આવો દંડી અભાવ હોય ત્યાં માણસ હાજર હોવાથી તે અભાવ કેવળ માણસ સ્વરૂપ બને. તેમ જ દંડ હોવા છતાં પણ માણસ હાજર ન હોય તો પણ દંડવિશિષ્ટમાણસ ન જ હોય. આવા સ્થળમાં માનવવિરપ્રયુક્ત દંડવિશિષ્ટમાનવવિરહ એ દંડાત્મક વિશેષણ સ્વરૂપ બને છે. અર્થાતુ માત્ર માણસની ગેરહાજરીના લીધે જ્યાં દંડી માનવનો અભાવ હોય ત્યાં દંડ હાજર હોવાથી તે વિશિષ્ટઅભાવ દંડસ્વરૂપ બનશે. આમ માત્ર વિશેષ્યની ગેરહાજરીથી પ્રયુક્ત વિશિષ્ટાભાવ એ શુદ્ધ વિશેષણ સ્વરૂપ બને છે. તેથી, જ્યાં જીવવિરાધનાની હાજરી ન હોવાના લીધે જીવઘાતપરિણામવિશિષ્ટ વિરાધના ગેરહાજર હોય છે ત્યાં તે ગેરહાજરી જીવઘાતપરિણામસ્વરૂપ (શુદ્ધ વિશેષણાત્મક) બનશે. (દા.ત. કોઈ શિકારી હરણને મારવાના અભિપ્રાયથી બાણ ફેંકે પણ હરણ ભાગી જાય અને મૃગવિરાધના ન થાય તો ત્યાં જે જીવઘાતપરિણામવિશિષ્ટ વિરાધનાની ગેરહાજરી છે તે મૃગઘાત પરિણામ સ્વરૂપ બનશે; કેમ કે ત્યાં કેવળ વિશેષ્યાભાવસનિયત વિશેષણ = જીવઘાતપરિણામ હાજર છે.) જો. જીવઘાતપરિણામવિશિષ્ટ વિરાધનાને જ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક માનવામાં આવે તો પ્રતિબંધકાભાવ નિર્જરાજનક હોવાથી ઉપરોક્ત દ્વિતીયસ્થળમાં જણાવ્યા મુજબ (= કેવળ વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ એ વિશેષણ સ્વરૂપ હોવાથી જ્યાં જીવઘાત પરિણામ હોવા છતાં વિરાધના થતી નથી ત્યાં જીવઘાતપરિણામવિશિષ્ટ વિરાધનાનો અભાવ = પ્રતિબંધકાભાવ સ્વરૂપ) જીવઘાતપરિણામ પણ દેવાનાપ્રિય એટલે કે મૂર્ખ એવા વિવેચકને નિર્જરાકારણ બનશે. નીચેનો કોઠો જોવાથી વિગત સ્પષ્ટ થઈ જશે. વિશેષણ | વિશેષ્ય વિશિષ્ટ જીવઘાતપરિણામ | વિરાધના પ્રતિબંધક નિર્જરા X X X - આપત્તિસ્થળ ૪ | X Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy