SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 19 द्वात्रिंशिका • આ અમૃત છે. લો, ચાખો • • દાન બત્રીસીના ઉપસંહારમાં પૂ.ઉપાધ્યાયજી મ. કહે છે કે આ રીતે દાનની વિધિનો જાણકાર, ધીર એવો દાતા પરમાનંદનું ભાન બને છે. (ગાથા-૩૨) # (૨) દેશના-બત્રીસી : ટૂંકસાર # દેશના = ધર્મોપદેશ કોને, ક્યારે, કેવી રીતે અપાય? તે બાબતનો તથા પાત્ર-અપાત્રનો ઊંડાણપૂર્વક વિચાર આ “દેશના બત્રીસી” માં સુંદર રીતે રજૂ કરવામાં આવેલ છે. શ્રોતા ત્રિવિધ છે. બાલ, મધ્યમ અને પંડિત. તેની વિસ્તૃત છણાવટ બીજી બત્રીસીમાં કરવામાં આવેલ છે. • કેટલાક વિચાર મૌક્તિકો • • પાત્રને અનુસરીને મુનિએ ધર્મદેશના આપવી જોઈએ. જેમ વૈદ્ય દર્દીને અનુસરીને દવા આપે તે રીતે ગુણની ઉત્પત્તિ અને ક્લેશનો નાશ થાય તેવી દેશના ધર્મોપદેશકે આપવી જોઈએ.(ગાથા-૧) ઉપદેશક માટે વાણીનો વિવેક મુખ્ય છે. જેને બોલવામાં વિવેક ન રહેતો હોય એવા અભિમાની માણસની વાણી ઝેર સમાન છે. માટે તેમણે મૌન રહેવું જ સારું. (ગાથા-૫) • બાળ-જીવની દૃષ્ટિમાં ધર્મ તો કેવળ બાહ્ય વેશમાં જ સમાયેલ છે. તેનામાં વિવેકદૃષ્ટિ હોતી નથી. ધર્મના નિર્ણય માટે બાહ્ય વેશને અનુરૂપ આચારની પણ જે તુલના કરે છે તે મધ્યમ આચારવાળા છે. ધર્મના માપદંડ રૂપે સર્વ પ્રયત્નથી સૈદ્ધાત્તિક તત્ત્વની જે પરીક્ષા કરે તે પંડિત જીવ છે. (ગાથા-૬) વિવેકહીન વ્યક્તિના ઉગ્ર આચારો પણ ત્યાજ્ય છે. જેમ કે : ગુરુ મહારાજને પોતાનો પગ ન લાગે તેની કાળજી રાખવી અને તેમના આદેશની = વચનની તદન ઉપેક્ષા કરવી. આવા આચારવાળાને ઠંડીથી બચવા આગમાં પડનારા મૂર્ખ સાથે સરખાવેલ છે. (ગાથા-૮) એકાસણાનું ફળ ચડે કે ઉપવાસનું? તો તાત્કાલિક જવાબ મળે કે ઉપવાસનું. પરંતુ શ્રી દશવૈકાલિકસૂત્રમાં સાધુને માટે એકાસણું નિત્ય તારૂપે બતાવેલ છે. તે એટલા માટે કે નિત્ય એકાસણામાં સ્વાધ્યાયસેવાદિ મુખ્ય યોગો સીદાતા નથી. નિરંતર કે એકાંતર દીર્ઘકાલીન ઉપવાસમાં સ્વાધ્યાયાદિ યોગ સદાવાની ઘણી શક્યતા રહેલી છે. તે દૃષ્ટિએ એકાસણાનું ફળ ચડે. (ગાથા-૧૬) ભાવનાજ્ઞાન વિનાના જીવની ધર્મબુદ્ધિ પણ તેને લાભ કરાવનારી બનતી નથી. પરંતુ નુકસાનકારી બને છે. જેમ કે “મારે ગ્લાન સાધુની દવાથી ભક્તિ કરવી” આવો અભિગ્રહ લેનાર મુગ્ધ જીવને ચોમાસામાં કોઈ સાધુ માંદા ન પડવાથી અફસોસ થાય કે “મને ભક્તિનો લાભ ન મળ્યો.” એના જેવી આ વાત જાણવી. (ગાથા-૧૭-૧૮) (૩) માર્ગ-બત્રીસી : ટૂંકસાર & માર્ગ એટલે રસ્તો. મોક્ષનો માર્ગ બે પ્રકારે છે. (૧) ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરદેવનું વચન. અને (૨) અશઠ સંવિગ્ન ગીતાર્થોનું આચરણ. આ અંગેની તલસ્પર્શી વિચારણા એટલે માર્ગ-બત્રીસી. • ઉત્તમ વિચાર-રત્નો • શિષ્ટાચાર પણ જિનવચનની જેમ જ અનુકરણીય છે. જીતવ્યવહાર તેનું જ્વલંત ઉદાહરણ છે. (ગાથા-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy