SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 18 • આ અમૃત છે. લો, ચાખો • द्वात्रिंशिका & “બત્રીસ-બત્રીસી' ગ્રન્થનો પરિચય અને ટૂંકસાર , પૂ.ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ “હત્રિશદૂતાન્ત્રિશિકા” નામના અદ્ભુત અને અનુપમ ગ્રન્થમાં ૩૨-૩૨ શ્લોકોની બત્રીસ બત્રીસીઓ સંસ્કૃત ભાષામાં રચેલી છે. જેમાંની ૩૧ બત્રીસી “અનુષ્ટપુ” છંદમાં છે. અને છેલ્લી એક બત્રીસી “રથોદ્ધતા' છંદમાં છે. જુદા જુદા બત્રીસ વિષયોનો સાંગોપાંગ અને સૂક્ષ્મ બોધ કરાવી આપનારો આ મહાન ગ્રન્થ છે. ગ્રન્થની વિશેષતારૂપે બધી બત્રીસીઓમાં છેલ્લે “પરમાનન્દ્ર' શબ્દ આવે છે. આ મૂળ ગ્રન્થ ઉપર પૂ.ઉપાધ્યાયજી મહારાજે સ્વયં સ્વપજ્ઞવૃત્તિ - તત્ત્વાર્થદીપિકા નામકરચેલી છે. જે અદ્ભુત, અર્થગંભીર અને અધ્યયનીય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજને, પૂ. સમર્થશાસ્ત્રજ્ઞ આચાર્ય ભગવંત શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રત્યે અનહદ ભક્તિ અને આદર હતો. તેમજ તેઓશ્રીના શાસ્ત્રગ્રંથોનો તલસ્પર્શી બોધ પણ હતો. આ બત્રીસી ગ્રંથમાં પોતાની આગવી સૂઝ અને શૈલીથી પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મ. ના અનેક ગ્રંથરત્નોનો અર્થ તેઓશ્રીએ સંગૃહીત કર્યો છે. મુખ્યત્વે “યોગદષ્ટિસમુચ્ચય” ગ્રંથના અર્થનો અનુપમ સંગ્રહ, વિશદીકરણ અને વિવેચન આ ગ્રંથમાં જોવા મળે છે. અન્ય શબ્દોમાં કહીએ તો... “યોગ, આગમ અને ન્યાય એ ત્રણેયનો આ શિરમોર સમો ગ્રંથ છે.” આવો. આપણે “બત્રીસ-બત્રીસી” ગ્રંથરત્નની બત્રીસે બત્રીસીઓના અતિસંક્ષિપ્ત સારને અવગાહીએ. (૧) દાન-બત્રીસી : ટૂંકસાર પૂ.ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સૌ પ્રથમ શારદા માતાનું સ્મરણ કરે છે. તે માટે તેઓ ઈષ્ટ-સિદ્ધ સારસ્વત મન્ત્રના પ્રધાન-બીજ “ નો નિર્દેશ કરે છે. ગ્રંથનો શુભારંભ “દાન-બત્રીસી' થી કરવાનું કારણ એ છે કે દાનધર્મ પરમમંગલરૂપ છે. દાન ક્યારે અપાય ? ક્યારે ન અપાય ? એમાં ઉત્સર્ગ-અપવાદ, વ્યવહારનયથી અને નિશ્ચયનયથી દાન... લૌકિક દાન-લોકોત્તર દાનનું સ્વરૂપ વગેરે સંબંધી ઊંડાણપૂર્વક વિશ્લેષણ-વિવેચન આ દાન બત્રીસીમાં છે. • કેટલાક જાણવા યોગ્ય અવતરણો - • અનુકંપાદાન સાંસારિક સુખને અને સુપાત્રદાન મોક્ષને આપે છે. (ગાથા-૧) • યોગ્ય કાળે અલ્પદાન પણ ઉપકારી છે... જેમ કે વરસાદમાં અલ્પ દાણાની વાવણીથી પણ અનાજની વૃદ્ધિ થાય છે. (ગાથા-૮) ભગવાને દીક્ષા વખતે એક વર્ષ સુધી દાન આપ્યું. તેથી સામાન્ય લોકોએ પણ ધર્મના અવસરે અનુકંપાદાન કરવું જોઈએ. (ગાથા-૯) દશવૈકાલિકમાં સાધુને ગૃહસ્થની વૈયાવચ્ચ (સેવા)નો નિષેધ કરેલ છે. તે ઉત્સર્ગથી જાણવું. સકારણ તેમાં લીધેલ છૂટ અપવાદ માટે ઉત્સર્ગ બાધક ન બને. (ગાથા-૧૨) • અસંયતને સાધુપણાની બુદ્ધિથી આપેલું દાન એટલે ચંદનને બાળીને અંગારાનો ધંધો. (ગાથા-૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy