SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 20 • આ અમૃત છે. લો, ચાખો • द्वात्रिंशिका • દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને આશ્રયીને સંવિગ્ન-ગીતાર્થ સંયમી મહાત્માઓએ અપનાવેલ આચાર = જીતવ્યવહાર વિશે “આચારણા એ પણ આજ્ઞા જ છે” આવા શ્રીહરિભદ્રસૂરિજી મ. ના શબ્દો ઉપદેશપદમાં મળે છે. (ગાથા-૩) જેમ નફો ધંધાનું મુખ્ય ધ્યેય છે તેમ કર્મનિર્જરા-દોષહાસ ધર્મનું મુખ્ય ધ્યેય છે. માટે અપવાદ પણ પોતાના સ્થાનમાં બળવાન છે. (ગાથા-૫) જન્માંધ વ્યક્તિ સમાન અગીતાર્થને મોક્ષમાર્ગે ચાલવા માટે જ્ઞાનદષ્ટિવાળા ગીતાર્થનું આલંબન જરૂરી છે. (ગાથા-૧૭) વીર્યાન્તરાય કર્મના ઉદયને લીધે શક્તિ ન હોવાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ શ્રદ્ધાથી યુક્ત એવા સાધુને “સંવિગ્ન-પાક્ષિક” કહેવાય છે. શુદ્ધ રીતે આચાર પાળનાર “સંવિગ્ન” કહેવાય. આ બે મોક્ષમાર્ગ કહી શકાય. પણ સ્વેચ્છાચારીપણું તો કનિષ્ઠ છે. (ગાથા-૨૧) # (૪) જિનમહત્ત્વ-બત્રીસી : ટૂંકસાર , અન્ય લૌકિક દેવો કરતાં તારક તીર્થકર શ્રી જિનેશ્વરદેવો કઈ રીતે મહાન છે ? આ વિષયની સ્વ-પરદર્શનના શાસ્ત્ર-સંવાદ અને યુક્તિ દ્વારા વિસ્તૃત છણાવટ એટલે જ આ ચોથી જિનમહત્ત્વ બત્રીસી!! ૦ સુંદર વિચાર - મૌક્તિકો • યથાર્થ માર્ગદશક હોવાથી અરિહંત પરમાત્મા મહાન છે. (ગાથા-૨) • કેવળજ્ઞાન વગેરે ક્ષાયિક ગુણોથી યુક્ત એવા વિશિષ્ટ સંઘયણ વગેરે ઔદયિક ભાવો દ્વારા પણ પરમાત્માનું મહત્ત્વ માન્ય છે. (ગાથા-૪) વસ્ત્રમાં રહેલો નાગમણિ પ્રભા દ્વારા પ્રગટ થાય છે તેમ આંતરિક અસાધારણ ગુણોના કારણે બાહ્ય વિશિષ્ટ રૂપનો અભ્યદય પરમાત્મામાં સંભવે છે. (તર્ક અને આગમનું આ રીતે સંકલન કરવાની ગ્રંથકારશ્રીની કળા દાદ માંગી લે તેવી છે.) (ગાથા-૫) મિથ્યાત્વાદિ અવસ્થામાં પણ અરિહંત પ્રભુ બીજા જીવો કરતાં વિશિષ્ટ કક્ષાના હોય છે. પણ પૂર્વાવસ્થામાં મિથ્યાત્વાદિના કારણે વર્તમાનમાં પણ શ્રીઅરિહંત તીર્થંકર મહાન નથી એમ કહી ન શકાય. (ગાથા-૬-૭). કાયમ શુદ્ધ હોય તે જ સોનું કહેવાય. પરંતુ જમીનમાં રહેલ ધૂળમિશ્રિત સોનાને શુદ્ધ કર્યા બાદ પણ સોનું ન કહેવાય.” આ વાત જેમ ખોટી છે; તેમ “દોષો જેને ભૂતકાળમાં વળગેલા હોય અને સાધના દ્વારા દોષોનો મૂળમાંથી ઉચ્છેદ કરીને વીતરાગ અતીન્દ્રિયાર્થદર્શી થવાથી અત્યારે પરમાત્મા રૂપે જણાય છતાં તેને પરમાત્મા ન કહેવાય” આ વાત ખોટી છે.(ગાથા-૮). 8 (૫) ભક્તિ-ત્રીસી ટૂંકસાર જ “વીતરાગ તીર્થકર મહાન છે. માટે જ તેમની સર્વોત્કૃષ્ટ ભક્તિની પ્રેરણાત્મક વાત પૂ. ઉપાધ્યાયજી મ. આ બત્રીસીમાં વર્ણવે છે. • અન્તરાય મનનીય વિચાર-રત્નો છે. • અરિહંત પ્રભુને વિષે ભક્તિ સર્વવિરતિધરોને સંપૂર્ણ હોય છે. તથા ગૃહસ્થોને આંશિક હોય છે. (ગાથા-૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy