SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ • અધિવરલાઈઝશનમ્ • २७ प्रयोगश्चात्र - ‘दशाविशेषे यतेरसंयताय दानमदुष्टं, अनुकम्पानिमित्तत्वात्, भगवद्द्विजन्मदानवद्' રૂત્યાહું ! न चाधिकरणं ह्येतद्विशुद्धाशयतो मतम् । अपि त्वन्यद्गुणस्थानं गुणान्तरनिबन्धनम् ।।११।। न चेति । न चैतत् = कारणिकं यतिदानं(हि) अधिकरणं मतं, अधिक्रियते आत्माऽनेनाऽसंयतसायावद् बोध्यम् । उदाहरणविधयाऽभिमतं ब्राह्मणसम्प्रदानक-निर्ग्रन्थश्रीमहावीरकर्तृक-वस्त्रदानन्तु आवश्यकनियुक्तिवृत्ति-कल्पसूत्रसुबोधिकादावपि सुप्रसिद्धम् ।।१/१०।। ___ न च कारणिकं = पुष्टालम्बनत्वेनाऽऽपवादिकं यतिदानं असंयतसम्प्रदानक-यतिकर्तृकं दानं अधिकरणं साधोरधिकरणनिमित्तं इति विदुषां मतम् । अधिकरणव्युत्पत्तिमाह- अधिक्रियते आत्मा दुर्गतौ अनेन असंयतसामर्थ्यपोषणत इति अधिकरणम् । असंयतसामर्थ्यपोषणप्रयुक्त-पापारम्भप्रवर्तनादिदमधि' વિશેષાર્થ :- ભગવાને દેવદૂષ્ય આપ્યું તે વાત કલ્પસૂત્રસુબોધિકા ટીકા વગેરેમાં સુપ્રસિદ્ધ હોવાથી અહીં તે ઉદાહરણ વિસ્તારથી અમે જણાવતા નથી. તેમ જ સંપ્રતિરાજાના જીવ ભિખારીને વિશિષ્ટજ્ઞાનના સ્વામી આર્યસુહસ્તિ મહારાજે ભોજન માટે દીક્ષા આપી. તે વાત પણ નિશીથ વગેરે આગમો અને અનેક ચરિત્રગ્રંથોમાં સુપ્રસિદ્ધ હોવાથી તેની અમે અહીં વિશદ છણાવટ કરી નથી. પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે સાધુ મહારાજ વિહાર કરતા હોય અને રસ્તામાં કોઈક એકાકી ગૃહસ્થ અકસ્માતના લીધે છેલ્લી અવસ્થામાં તરફડતો હોય, તેને પાણી પીવડાવનાર કોઈ ન હોય, તે પાણીની બૂમ મારતો હોય અને સાધુ મહારાજના હાથમાં રહેલો ઠંડા પાણીથી ભરેલો ઘડો જોઈને કરગરવાપૂર્વક સાધુ પાસે પાણી માંગે તો તેવા સમયે સાધુભગવંત તેને પાણી આપ્યા વિના રહી ન શકે. કેમ કે સાધુનું અંતઃકરણ માખણ કરતાં પણ અતિ મુલાયમ હોય છે, અનુકંપાથી વ્યાપ્ત હોય છે. પરંતુ આ સંયોગમાં અસંયતને દાન કરવાથી સાધુને કોઈ દોષ લાગતો નથી, કારણ કે તેવું દાન વિશુદ્ધ અનુકંપાથી થયેલ છે. આ દાન આપવાદિક = કારણિક સમજવું. (૧/૧૦) અહીં એવી શંકા થઈ શકે છે કે "સાધુએ કરેલ ઉપરોક્ત કારણિક દાન અધિકરણ બની જાય. આનું કારણ એ છે કે સાધુ સંયત છે અને ગૃહસ્થ અસંયત છે. ભોજન વગેરેના દાન દ્વારા સાધુ જો ગૃહસ્થનું પોષણ કરે તો તેની શક્તિ વધવાથી તે ગૃહસ્થ અસંયમમાં વધુ પ્રવૃત્તિ કરશે અને તેમાં નિમિત્ત બનશે સાધુનું દાન. આમ સ્વયં વિરાધના ન કરવા છતાં પણ બીજાને વિરાધના કરાવવામાં નિમિત્ત બનવાને લીધે દાતાર સાધુ પાપમાં ભાગીદાર બનશે, પાપના ફળને ભોગવવાનો અધિકારી બનશે. આમ ગૃહસ્થને સાધુએ કરેલું અનુકંપાદાન સાધુ માટે અધિકરણ બનશે." આ શંકાનું નિરાકરણ કરતા ગ્રંથકારશ્રી કહે છે કે - હ આપવાદિક અનુકંપાદાન ર્મબંધારણ નથી ફ ગાથાર્થ - ઉપરોક્ત દાન અધિકરણ તરીકે માન્ય નથી. કારણ કે તે વિશુદ્ધ આશયથી થયેલ છે. પરંતુ અન્ય ગુણોનું નિમિત્ત બને તેવા ઉપરના ગુણસ્થાનકનું કારણ છે. (૧/૧૧) ટીકાર્થ:- પ્રસ્તુત યતિએ અસંયતને કરેલું કારણિક દાન અધિકરણ બનશે તેવું માન્ય નથી. અર્થાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy