SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • આ અમૃત છે. લો, ચાખો આ મૂળ ગ્રન્થ (= ૩૨-૩૨ શ્લોક સ્વરૂપ) ઉપર પૂ. ઉપાધ્યાયજી મહારાજે ‘‘તત્ત્વાર્થદીપિકા’ નામક સ્વોપજ્ઞ ટીકા રચી છે. (મૂળગ્રંથ ઉપર મૂળગ્રન્થકારે સ્વયં જ ટીકા રચી હોય તેને ‘સ્વોપન્ન’ કહેવાય છે.) સ્વોપન્ન ટીકા સહિત આ ગ્રન્થનું પરિમાણ ૫૦૫૦ શ્લોક પ્રમાણ છે. • 15 આ ‘બત્રીસ-બત્રીસી' ગ્રન્થ ઉપર વર્તમાનકાલીન વિદ્વવિભૂષણ પૂ.મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજે ‘નયલતા’ નામક સંસ્કૃત ટીકા (૫૦ હજા૨ શ્લોક પ્રમાણ) અને તેના ઉપર દ્વાત્રિંશિકા પ્રકાશ નામક ગુજરાતી વિવેચના અથાગ પરિશ્રમ બાદ તૈયાર કરી છે. આ સર્વ-મૂળ ગ્રન્થ... ટીકાઓ... વિવેચના સહિત સંપૂર્ણ સર્જન આજે આઠ-આઠ પુસ્તક રૂપે/મહાન ગ્રન્થો સ્વરૂપે પ્રગટ થઈ રહ્યું છે.... તે સમગ્ર જૈન સંઘ માટે રોમહર્ષ આનંદની ઘટના છે..... તે નિઃશંક છે. # નયલતાકાર અને ગુજરાતી-વિવેચનાકાર મુનિવરશ્રીનો ટૂંક પરિચય પૂ.મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજ... વર્તમાન જૈન શ્રમણસંઘના શણગાર સમા અણગાર છે. ૧૮ વર્ષની લઘુ-વયમાં પૂ.ન્યાય-વિશારદ... વર્ધમાનતપોનિધિ સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય આચાર્યશ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે દીક્ષા પામેલા અને પદ્મમણિ તીર્થોદ્ધારક પુણ્યવંતા પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી મ. ના શિષ્યરત્ન આ મુનિરાજશ્રી સમ્યજ્ઞાનના નિરંતર વહેતા નિર્મળ નિર્ઝર સમા છે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મ., પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વરજી મ., પૂ.વિદ્વશિરોમણિ આચાર્યદેવ શ્રીજયસુંદરસૂરીશ્વરજી મ., પૂ. વિદ્વરેણ્ય આચાર્ય શ્રીઅભયશેખરસૂરીશ્વરજી મ., આદિની પાસે શિક્ષાકાળમાં જ્ઞાનોપાસના કરીને ત્યાર બાદ પણ મુનિરાજશ્રીએ પોતાની જ્ઞાન સાધના અખંડ-અવ્યાબાધ રાખીને નિજ આતમને જ નહિ, જૈન શાસનના મહાન જ્ઞાનનિધિને પણ ભરપૂરપણે અજવાળ્યો છે, ઉજાળ્યો છે. પૂ. મુનિરાજશ્રીનો હું કાંઈક વિશેષ પરિચય આપું, તે કરતાં તેમના માટે અન્ય વિદ્વાન આચાર્ય વગેરેએ આ જ ગ્રન્થના આઠ ભાગોની જુદી જુદી પ્રસ્તાવનામાં લખેલા અવતરણો ટાંકીને, મુનિરાજશ્રીનો કિંચિત્-પરિચય આપવો સમુચિત સમજું છું. ૧ થી ૪ બત્રીસીના પ્રથમ-ભાગની પ્રસ્તાવનામાં પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ લખે છે કે ‘‘મુનિરાજશ્રી યશોવિજયજીએ, ઉપા.શ્રીયશોવિજયજી મહારાજના દુર્બોધ ગ્રન્થો ઉપર રચેલ વિશદ સંસ્કૃતવિવરણ અને સુગમ ગુજરાતી અનુવાદ જોઈને એ ઉપમા યાદ આવે છે ‘યશોજલધિપ્રવેશે નાવા ...’ અહીં મુનિશ્રી યશોવિજયજીનું જે સંસ્કૃત-વિવરણ મળે છે, તે તો એક પ્રકારનો જ્ઞાનકોશ છે. તુલનાત્મક અભ્યાસ કરવાની રુચિવાળા માટે તો મનગમતો ખજાનો છે. જેને એક જ વિષયનો સર્વતઃ બોધ ક૨વો હોય અને દઢ કરવો હોય તો તેને આ વિવરણ વારંવાર અભ્યાસ કરવા લાયક લાગશે. અને તે વિદ્વર્ય મુનિરાજનો એ રીતે ઉપકાર માનશે કે “આટલી બધી ભિન્ન-ભિન્ન જ્ઞાન-શાખાના આટલા બધા ગ્રન્થો જોવાનું મારે માટે કેટલું બધું મુશ્કેલ બનત, તે અહીં એક જ સ્થાને બધું મળી ગયું. જાણે સમ્યગ્ જ્ઞાનની કુત્રિકાપણ જ જોઈ લ્યો.” વળી તેઓશ્રી જ છેલ્લા ફકરામાં લખે છે કે ‘“ઉપાધ્યાયજી મહારાજના નામમાં પણ કોઈ શક્તિ લાગે છે. તેમના જ નામધારી મુનિરાજશ્રીએ નાની વયમાં આવું પ્રગલ્ભ પાંડિત્ય ગુરુકૃપા વડે હાંસલ કર્યું છે અને હવે તે છૂટે હાથે, મોકળા મને તેની લહાણી શ્રીસંઘને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy