SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 14 . • આ અમૃત છે. લો, ચાખો • द्वात्रिंशिका છે કે હું અહં શ્રી ધરણેન્દ્રપદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ | | ૐ હું અહં નમઃ | આ અમૃત છે. લો, ચાખો) - પંડિત શ્રી ધનંજયભાઈ જે. જેને પ્રેમકેતુ' વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને પોતાના જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અસંખ્ય ધર્મપુરુષો થઈ ગયા. તેમાં ય અંતિમ પ્રભુ મહાવીરદેવના શાસનને અતિઉત્તમ રીતે અજવાળનારા ધર્મપુરુષોની શ્રેણિમાં અગ્રસ્થાને વિરાજમાન પૂ.આ.શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મ., પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી મ., પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યજી અને છેલ્લા ૩૫૦ વર્ષ પૂર્વે થયેલા પૂ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ જૈન ઇતિહાસના પૃષ્ઠો ઉપર સુવર્ણાક્ષરે સમલંકૃત બન્યા છે. જ મૂળ ગ્રન્થકારશ્રી મહોપાધ્યાયજી મ. નો ટૂંકો પરિચય # જૈન ઇતિહાસમાં “લઘુ-હરિભદ્ર' તરીકે સુપ્રસિદ્ધ, ન્યાયવિશારદ અને ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ ખરેખર સ્વ-પરદર્શનનિષ્ણાત પ્રકાંડ વિદ્વાન અને સમર્થ સાહિત્યસર્જક હતા. તેઓશ્રી ગંગાનદીના તીરે સાક્ષાત્ માતા શારદાની કૃપાનું વરદાન પામ્યા હતા. તેઓશ્રી વિદ્વજનોમાં કૂર્ચાલી સરસ્વતી' નું બિરુદ પણ પામ્યા હતા. પોતાના ગુરુદેવ પૂ.ઉપાધ્યાય શ્રીનયવિજયજી મ. ની સાથે, ૩ વર્ષ સુધી કાશીમાં રહીને તથા ૪ વર્ષ આગ્રામાં રહીને વ્યાકરણ-ન્યાયાદિનો શાસ્ત્રાભ્યાસ આદિ કરેલ. શાસ્ત્રાર્થાદિ કરીને તેઓશ્રીએ કાશીના બ્રાહ્મણ પંડિતો દ્વારા “ન્યાયવિશારદ' અને “ન્યાયાચાર્ય પદવી પ્રાપ્ત કરી હતી. ૧૧ વર્ષના ‘જસવંતના હીરને ઓળખીને, પૂ. નયવિજયજી મહારાજે, તેની માતા પાસેથી જસવંતને મેળવીને દીક્ષા આપી “મુનિ યશોવિજય’ બનાવ્યા... અને અધ્યયન-કાળ બાદ જ્ઞાન-સાધનામાં પારંગત બનેલા અને પાછળથી ઉપાધ્યાય-પદાલંકૃત બનેલા શ્રીમદ્ યશોવિજયજી મહારાજે નાનકડી નિજ જિંદગીના વર્ષોની અણમોલ પળ-પળને સાર્થક કરીને સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં સાહિત્યનું વિસ્તૃત સર્જન કર્યું... અને જૈન શાસનના જ્ઞાન-ખજાનાને માલામાલ કરી દીધો... એમણે રચેલા સુવિશાળ સાહિત્યની નોંધ કરવા માટે પણ પાનાઓ ભરવા પડે; માટે અનન્ ! પરંતુ આ અંગે જાણવાની વિશેષ રુચિ ધરાવનાર જિજ્ઞાસુઓ ‘દ્વત્રિશદ્ ધાર્નાિશિકા' ત્રીજા ભાગની પ્રસ્તાવના (લેખક : વિદ્વદર્ય પૂ.મુનિવર્ય શ્રીભાગ્યશવિજયજી મ.) નું અવશ્ય અવગાહન કરે. પ્રસ્તુત કૃતિ “દ્વત્રિશાત્રિશિકા” એક અણમોલ, અનુપમ અને અભુત ધર્મગ્રન્થ છે. અમુક શબ્દ મર્યાદામાં ચોક્કસ વિષય ઉપર નિબંધો લખવાની વર્તમાનમાં જે પદ્ધતિઓ જોવા મળે છે, તે રીતે ચોક્કસ શ્લોક-સંખ્યામાં તે તે વિષયનું નિરૂપણ કરવાની પદ્ધતિ પ્રાચીનકાળમાં પ્રચલિત હતી. તે રીતે ૩ર-૩ર શ્લોકોમાં એક-એક વિષયની ચર્ચા કરતો ૩૨-પ્રકરણમય ગ્રન્થ એટલે જ “કાત્રિશ દ્વાáિશિકા” ! જેને ગુજરાતી ભાષામાં “બત્રીસ-બત્રીસી' તરીકે ઓળખાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy