SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • ૧ થી ૪ બત્રીસીનો ટૂંકસાર 155 વાત સાચી નથી. કારણ કે તીર્થંકરોએ પરિમિત દાન, ધન ઓછું હોવાથી નહિ પણ યાચકો ઓછા હોવાથી આપ્યું હતું. તીર્થંકરોના પ્રભાવે સંતોષ પ્રગટવાથી યાચકો ઓછા હોય, યાચકોની તૃષ્ણા અલ્પ હોય એવુ સંભવી શકે છે. યાચકો થોડું મેળવીને જ સંતુષ્ટ થતા હતા. માટે તીર્થંકરોનું દાન પણ પરિમિત હતું. (ગા.૧૩ થી ૧૫) ‘‘તીર્થંકરો કૃતાર્થ નહોતા. તેથી દાન આપતા હતા, માટે તે મહાન ન હતા' આ વાત પણ ખોટી છે. કારણ કે તેઓ કંઈક મેળવવાની અપેક્ષાથી દાન નહોતા આપતા. પણ સાંવત્સરિક દાન તેમનો આચાર છે. તેમનું એવું પુણ્યાનુબંધિ પુણ્ય છે કે જેનાથી જીવોનું પણ કલ્યાણ થાય. (ગા.૧૬) ગર્ભથી માંડીને ભગવાનની પ્રવૃત્તિ ઉચિત હોય છે. જેમ કે શ્રી વર્ધમાન સ્વામીનો અતિસ્નેહાળ માતાપિતાની હાજરીમાં દીક્ષા ન લેવાનો અભિગ્રહ. (ગા.૧૭-૧૮) ગ્રંથકારશ્રીએ આગળ જણાવેલ છે કે માતા-પિતાની સેવા-ભક્તિ, તેમને દુઃખી ન કરવા એ પ્રારંભિક મંગલ છે. માટે જ પંચસૂત્રમાં કહેલ છે કે ‘મુમુક્ષુ માતા-પિતાને સંતુષ્ટ કરીને, રજાપૂર્વક દીક્ષા લે. શાસ્ત્રોક્ત માર્ગે પ્રયત્ન કરવા છતાં પણ દીક્ષા માટે મા-બાપની સંમતિ ન જ મળે તો છેલ્લા વિકલ્પરૂપે ગ્લાન ઔષધાર્થી ઉદાહરણથી વિવેકપૂર્વક તેમનો ત્યાગ કરે.' (ગા.૧૯) ગ્રન્થકારશ્રી કહે છે કે ‘રાજ્ય આપવું, શિલ્પ ભણાવવું વગેરે સાવઘ પ્રવૃત્તિના લીધે અરિહંત મહાન નથી’ એવી દલીલ પણ અયોગ્ય છે. કારણ કે ભવિષ્યમાં આવનારા લૂંટફાટ વગેરે મોટા દોષોથી અટકાવવા તેમણે આ પ્રવૃત્તિ કરી હતી. આનું સમર્થન અષ્ટકજીમાં પણ મળે છે. (ગા.૨૦ થી ૨૨) બૌદ્ધો જૈન સામે આક્ષેપ કરે છે કે ‘તીર્થંકરોમાં સર્વોત્તમ કુશલચિત્ત ન હોવાથી તે મહાન નથી.’ પરંતુ આ વાત ચિત નથી. કારણ કે તીર્થંકરો પાસે રહેલ સર્વ સાવધ પ્રવૃત્તિના ત્યાગ સ્વરૂપ સામાયિક બૌદ્ધકલ્પિત કુશલ ચિત્ત કરતાં ચઢિયાતું છે. બૌદ્ધકલ્પિત કુશલ ચિત્તમાં મનાયેલ (૧) પોતાના ધર્મથી બીજાનો મોક્ષ અને (૨) બીજાના પાપોની સહિષ્ણુતા-બન્ને વાસ્તવમાં અસંભવિત છે. વળી આવું કુશલચિત્ત તો મોહનું સૂચક છે. તીર્થંકરોમાં મોહ ન હોવાથી આવો પણ વિકલ્પાત્મક વ્યવહાર મનોયોગ સંભવતો નથી. વળી, પોતાનો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવાની ગૌતમ બુદ્ધની બુદ્ધિ સ્વાર્થસૂચક છે. કારણ તે બુદ્ધિ બીજાને થનારા નુકસાનથી નિરપેક્ષ છે. આ રીતે જગતકર્તા ઈશ્વર કે ગૌતમબુદ્ધ વગેરેની અપેક્ષાએ વીતરાગ તીર્થંકર ભગવંતમાં ઉચ્ચતમ મહાનતાની સિદ્ધિ કરવાની ગ્રંથકારશ્રીની શૈલી જોતાં સહજતઃ સહુને પ્રતીતિ થાય તેમ છે કે ગ્રંથકારશ્રીની દલીલની સામે અપીલ કરવાનું અન્યદર્શનકારોનું વિલ વિના અપીલે ચીલઝડપે સીલ કરીને કોઈક હિલસ્ટેશન ઉપર મૂકી આવવા જેવું છે. (ગાં.૨૩ થી ૨૬) · આ રીતે માત્ર પરોપકારમાં રસિક તથા અમૂઢ લક્ષ વાળા હોવાથી વીતરાગ જ મહાન છે. સદા સ્ફુરાયમાન થતા અહં શબ્દના માધ્યમથી જીવ પરબ્રહ્મને મેળવે છે. અને તેની ઉપાસના વિના મોક્ષ મેળવાતો નથી. અરિહંતના ધ્યાનથી આત્મા પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. માટે તે જ પૂજવા જેવા છે, તેમના જ શાસનની ભક્તિ કરવા જેવી છે. અને ‘ભગવાનની ભક્તિ જ મોક્ષની સંપત્તિનું બીજ છે. આવું જણાવીને ગ્રંથકારશ્રીએ ચોથી બત્રીસી પૂર્ણ કરેલ છે. (ગા.૨૭ થી ૩૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy