SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 154 • ૧ થી ૪ બત્રીસીનો ટૂંકસાર • द्वात्रिंशिका ૪. જિનમહત્ત્વદ્વાચિંશિક : ટૂંક્યાર અન્ય લૌકિક દેવો કરતાં તારક તીર્થંકર ભગવંત કઈ રીતે મહાન છે ? આ વિષયની સ્વ-પર શાસ્ત્રસંવાદ અને યુક્તિ દ્વારા વિસ્તૃત છણાવટ ચોથી બીત્રીસીમાં કરવામાં આવેલ છે. તાર્તિક શિરોમણિ સમન્તભદ્રાચાર્યની આખમીમાંસાની પ્રથમ કારિકાને જ આ બત્રીસીના પ્રારંભમાં સંવાદી શ્લોક રૂપે ટાંકીને ગ્રન્થકારશ્રી દર્શાવે છે કે માયાવીમાં પણ સંભવિત એવા બાહ્યવૈભવ (જેવા કે ત્રણ ગઢ, ઈન્દ્રધ્વજ, ત્રણ છત્ર ચામર વગેરે) દ્વારા અરિહંત પરમાત્માની મહત્તા નથી પણ સંવાદી, ન્યાયયુક્ત ત્રિકાળ અબાધિત વચનથી જ પ્રભુનું મહત્ત્વ છે. (ગા.૧) શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા પણ “વીતરાગનું વચન યુક્તિસંગત હોવાથી પોતે તેને સ્વીકાર્યું છે” એમ લોકતત્ત્વનિર્ણય ગ્રન્થમાં જણાવે છે. (ગા.૨ -૩) કેવળજ્ઞાન વગેરે ક્ષાયિક ગુણોથી યુક્ત એવા વિશિષ્ટ સંઘયણ વગેરે ઔદયિક ભાવો દ્વારા પણ પરમાત્માનું મહત્ત્વ આગમવેત્તાઓ દ્વારા મનાયેલ છે. (ગા.૪) આગમિક પુરુષોની આ વાતનું સમર્થન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે વસ્ત્રમાં રહેલો મણિ પ્રભા દ્વારા પ્રગટ થાય છે તેમ આંતરિક અસાધારણ ગુણોના કારણે વિશિષ્ટ રૂપ વગેરે અભ્યદય પરમાત્મામાં સંભવે છે. તર્ક અને આગમનું આ રીતે સંતુલન કરવાની ગ્રંથકારશ્રીની કળા દાદ માગી લે તેવી છે. (ગા.૫) નૈયાયિક-વૈશેષિક-પાતંજલ વગેરે વિદ્વાનોની માન્યતાના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે મિથ્યાત્વ વગેરે અવસ્થામાં પણ અરિહંત પરમાત્મા બીજા જીવો કરતાં વિશિષ્ટ કક્ષાના હોય છે. પણ પૂર્વાવસ્થામાં મિથ્યાત્વાદિને લીધે વર્તમાનમાં પણ અરિહંત તીર્થકર મહાન નથી' એમ કહી ન શકાય. (ગા. ૬ અને ૭) “કાયમ શુદ્ધ હોય તે જ સોનું કહેવાય. પરંતુ જમીનમાં રહેલ ધૂળમિશ્રિત સોનુ તેને શુદ્ધ કર્યાબાદ પણ સોનુ ન કહેવાય' - આ વાત જેમ ખોટી છે તેમ “મિથ્યાત્વાદિ દોષો જેને ભૂતકાળમાં વળગેલા હોય તે દોષોનો સાધના દ્વારા મૂળમાંથી ઉચ્છેદ કરીને વીતરાગ અતીન્દ્રિયાર્થદર્શી થવાથી અત્યારે પરમાત્મા રૂપે જણાય છતાં પરમાત્મા ન કહેવાય' આ વાત બરાબર નથી. વળી સોનાના મેલની જેમ જીવમાં પણ અનાદિકાલીન દોષના નાશમાં તરતમતા હોઈ શકે છે તથા તેનો સંપૂર્ણ નાશ પણ થઈ શકે છે. આ રીતે સર્વજ્ઞ વીતરાગની પણ ગ્રંથકારશ્રીએ સિદ્ધિ કરેલ છે. (ગા.૮ અને ૯) પ્રાસંગિક રૂપે દિનાગમતમાં પ્રવેશ થવાની સમસ્યાનું નિરાકરણ કરતી વખતે ગ્રંથકારશ્રીએ નવ્યન્યાયની પરિભાષાનો પરચો દેખાડેલ છે. આગળ વધતાં નબન્યાયની પરિભાષાને જ માધ્યમ બનાવીને ઈશ્વરકર્તુત્વવાદમાં ઉદયનાચાર્ય તથા ગંગેશ ઉપાધ્યાયના મતનું નિરાકરણ કરેલ છે. ભારેખમ હોવા છતાં સૂર્ય, ચન્દ્ર, બ્રહ્માંડ વગેરે ઈશ્વરના પ્રયત્નથી નહિ પણ ધર્મના પ્રભાવથી જ નીચે પડી જતાં નથી. આ વાતનું નિરૂપણ કરતી વેળાએ કલિકાલસર્વજ્ઞરચિત યોગશાસ્ત્રના શ્લોકને (૪/૧૮) ગ્રંથકારશ્રી આધારરૂપે ટાંકે છે. જે વાતનું પ્રતિપાદન ચાલતું હોય તે અંગે નવી યુક્તિ અને પ્રાચીન શાસ્ત્રપાઠ શોધીને રજૂ કરવાની કળાને ગ્રંથકારશ્રીમદજીએ સારી રીતે આત્મસાત્ કરી છે. મહોપાધ્યાયજીની આ આગવી વિશેષતા આંખે ઉડીને વળગે તેવી છે. (ગા.૧૦ થી ૧૨) ગૌતમબુદ્ધના અનુયાયીઓ કહે છે કે “તીર્થકરો મર્યાદિત દાન આપે છે. માટે તે મહાન નથી. જ્યારે ગૌતમબુદ્ધનું અસીમ દાન સંભળાય છે. માટે તે મહાન છે.” પરંતુ ગ્રંથકારશ્રી કહે છે કે આ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy