SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • ૧ થી ૪ બત્રીસીનો ટૂંકસાર • 153 આગળ જતાં સંવિગ્ન આચરણ અને શિથિલાચરણની વિચારણા, તેમાં ભેદરેખા તથા શિથિલાચાર વિશે ઉદાહરણ દર્શાવેલ છે. (ગા.૭ થી ૧૧) ગ્રંથકારશ્રી મુક્ત મનથી જણાવે છે કે ઉત્સર્ગ-અપવાદમય શાસ્ત્રીય તાત્પર્યાર્થ-રહસ્યાર્થ યથાયોગ્ય રીતે શ્રાવકને પણ જણાવવામાં કોઈ બાધ નથી. (ગા.૧૨) સંવિગ્ન એવા સાધુની નિંદા મિથ્યાત્વને ખેંચી લાવે છે. દુનિયામાં ઘણા લોકો કરે તે પ્રમાણ’ આ રીતે શિથિલ બનવાનું નથી કે “રત્નના વેપારી થોડા જ હોય’ આ રીતે પોતાની જાતને જણાવીને સ્વચ્છન્દ બનવાનું નથી. (ગા.૧૩) હુંડા કલિકાલમાં અસંવિગ્ન સાધુ = કડવા લીમડા ઉપર કારેલાની વેલ. (ગા.૧૪) સમુદાયમાં રહેવામાં લાગતા નજીવા દોષને આગળ કરી સમુદાયને છોડવો તે સ્વચ્છંદતા છે. તેવા સાધુ સંવિગ્ન દેખાતા હોવા છતાં પરમાર્થથી અસંવિગ્ન જ છે. (ગા.૧૫) ગ્રન્થકારશ્રી હિતબુદ્ધિથી નિરૂપણ કરતા જણાવે છે કે જન્માંધ વ્યક્તિ સમાન અગીતાર્થને મોક્ષમાર્ગે ચાલવા જ્ઞાનદષ્ટિવાળા ગીતાર્થનું આલંબન જરૂરી છે. (ગા.૧૭) સ્વચ્છેદ સાધુને આચારશુદ્ધિ પણ ડૂબાડનારી બને છે. તેઓ કદાચ તપસ્વી હોય તો પણ અભિન્નગ્રન્થિવાળા (= મિથ્યાત્વી) હોય છે. પોતાના વેશ અને ઉપલક આચારથી ભોળા લોકોને ઠગવાના લીધે તેઓ મહાપાપના ભાગીદાર બને છે. (ગા.૧૮-૧૦-૨૦). વર્યાન્તરાય કર્મના ઉદયના લીધે શક્તિ ન હોવાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ શ્રદ્ધાથી યુક્ત એવા સાધુ સંવિગ્નપાક્ષિક કહેવાય છે. શુદ્ધ રીતે આચારને પાળનારા સંવિગ્ન કહેવાય. આ બે મોક્ષમાર્ગ કહી શકાય. પણ સ્વેચ્છાચારીપણું તો કનિષ્ઠ ભૂમિકા છે. (ગા.૨૧) પોતાની ઢીલાશનો બચાવપક્ષપાત કરવાના બદલે સાચી-શુદ્ધ પ્રરૂપણા કરવી તે સંવિગ્નપાક્ષિકનો મૂળ ગુણ છે. સુસાધુને ઔષધાદિ આપવા, સહાય કરવી તે તેનો ઉત્તરગુણ છે. સંવિગ્નપાક્ષિક કોઈને પોતાનો શિષ્ય ન બનાવે. આ વાત ઉપદેશમાળા (ગા.૫૧૬) વગેરે ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. પરંતુ તેનો તાત્પર્યાર્થ બતાવીને મહોપાધ્યાયજી મહારાજશ્રી જણાવે છે કે સંવિગ્નપાક્ષિક પણ જ્ઞાન આદિ પ્રયોજનથી બીજાને દીક્ષા આપી પોતાનો શિષ્ય બનાવી શકે છે. શાસ્ત્રોક્ત આચારોને સંપૂર્ણ પાળવા સ્વરૂપ શાસ્ત્રયોગ સંવિગ્નપાણિક પાસે નથી પણ તેમાંથી યથાશક્તિ પાલન અને બાકીનાની અનુમોદના સ્વરૂપ ઈચ્છાયોગ તેમની પાસ અવશ્ય હોય છે. માટે તેમના પ્રતિક્રમણાદિ આવશ્યક્યોગો પણ સફળ છે. આ યોગો ભાવ ( તાત્ત્વિક) આવશ્યકનું કારણ બને છે. માટે પ્રધાન દ્રવ્ય આવશ્યક કહી શકાય. (ગા.૨૨ થી ૨૫) આગળ ઉપર લાલબત્તી ધરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે ગીતાર્થ-અશઠ-ભવભી; સાધુ ભગવંતોએ સ્થાપેલ-પ્રરૂપેલ માર્ગને છોડી સ્વતંત્ર બુદ્ધિથી નવા માર્ગની સ્થાપના કરવાની ભૂલ કદાપિ ન કરવી. (ગા.૨૬) બે પ્રકારની બાલિશતા દર્શાવી આચારાંગજી અને ઠાણાંગજીસૂત્રના મંતવ્યને આધારે ગ્રંથકારશ્રીને સંવિપાક્ષિકપણું શાસ્ત્રમાન્ય છે. તેની પુષ્ટિ કરેલ છે. (ગા.૨૭) પારિશેષ ન્યાયથી સંવિગ્નપાક્ષિક પણ મોક્ષમાર્ગે છે. માટે તેમના વચનમાં નિઃશંક પણે “તહત્તિ કરવું એમ આવશ્યકનિર્યુક્તિ અને સ્વરચિત સામાચારીપ્રકરણ ગ્રંથનું મંતવ્ય દર્શાવેલ છે. (ગા.૨૮) સાધુ સંવિગ્નપાક્ષિક અને શ્રાવક આ ત્રણ મોક્ષમાર્ગ છે. ગુણી કે ગુણાનુરાગી બનીને જિનવચન કે જિતવ્યવહારસ્વરૂપ મોક્ષમાર્ગને અનુસરનારાને મોક્ષની સંપત્તિ પ્રાપ્ત થાય છે. (ગા.૨૯ થી ૩૨). આવું દર્શાવીને ત્રીજી બત્રીસીનું સમાપન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy