SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧ થી ૪ બત્રીસીનો ટૂંકસાર द्वात्रिंशिका આગળ વધતાં, ધર્મદેશના વિભિન્ન ભૂમિકાવાળા શ્રોતાને કઈ રીતે આપવી ? તે અંગે ગ્રંથકારશ્રી સુંદર માર્ગદર્શન આપે છે. જેમ કે બાહ્ય ક્રિયા જેમાં પ્રધાન હોય તેવી દેશના બાળજીવને આપવી. તથા તેની સમક્ષ તે આચાર પાળવો. લોચ, ભૂમિશયન, વિવિધ તપ, અલ્પ ઉપકરણ વગેરે બાહ્ય આચાર બાલ જીવને સારી રીતે કહેવા. (ગા.૨૦-૨૧) મધ્યમ બુધ્ધિ વાળા જીવને અષ્ટપ્રવચનમાતા વિશે તથા હનન-પચન-ક્રયણરૂપ ત્રિકોટીથી વિશુદ્ધ ભોજનસંબંધિ વાત કરવી. નાનપણમાં સૂત્ર ગોખવા, મધ્યમ વયમાં અર્થનો અભ્યાસ કરવો, પાછલી વયમાં ધ્યાનથી ભાવિત થવું- આ સાધ્વાચાર છે. તથા ‘આ ગુરૂ મારા સંસારનો નાશ કરવામાં હેતુ છે' એવા પરિણામથી ગુરૂનું શરણ સ્વીકારવું એ પણ સાધ્વાચાર છે. એમ મધ્યમબુદ્ધિવાળાને જણાવવું. (ગા.૨૨-૨૩) પંડિત શ્રોતાને જણાવવું કે જિનવચનની આરાધનાથી ધર્મ થાય છે અને એની વિરાધનાથી અધર્મ થાય છે. પરમાર્થથી તમામ ધર્મક્રિયા ગૌણ છે. જિનવચન જ મુખ્ય છે. કારણ કે ધર્મક્રિયાઓ પણ અંતે તો જિનવચનને જ આધીન છે. Controler જિનાજ્ઞા છે, ધર્મક્રિયા નથી. માટે જિનાજ્ઞાને જ સર્વત્ર કેન્દ્રસ્થાને સ્થાપિત કરવી. (ગા.૨૪) આમ સતત ક્રિયામાં જિનાજ્ઞાને ઘૂંટવાથી મન પ્રભુમય બને છે. અંતે પ્રભુના ગુણમય-શક્તિમય-શુદ્ધિમય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. (ગા.૨૫) બાલજીવોને વ્યવહારનયપ્રધાન ધર્મદેશના આપવી ઉચિત છે. કારણકે નિશ્ચયનયને સમજવાની ભૂમિકા તેમનામાં હોતી નથી. આનો અર્થ એ ફલિત થાય છે કે જિનવચન સ્યાદ્વાદમય = અનેકનયગર્ભિત હોવા છતાં બાળશ્રોતા માટે એકનયિક દેશના પણ આવકાર્ય છે. આમ જીવની યોગ્યતા જોઈને અપાતી દેશના પ્રમાણદેશના કહેવાય. પણ જેનાથી વિપર્યાસ ઉભો થાય તેવી પ્રમાણદેશના પણ અપ્રમાણ છે. (ગા.૨૬-૨૭) 152 • ધર્મદેશનાની પદ્ધતતિનિ ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે પ્રારંભમાં શ્રોતાને યથારુચિ ધર્મ જણાવવો. દરેક નયની વાતને શ્રોતા બરાબર સમજી લે પછી અન્ય નયને દેખાડ્યો. પાસસ્થા વગેરેથી ભાવિત થયેલા શ્રોતાને કેવી વાત જણાવી ? ઇત્યાદિ બાબત ઉપર સારો પ્રકાશ પાથરી બીજી બત્રીસીનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે ધર્મદેશના આપવાની કળા જે ગીતાર્થ પાસે છે તેના જ પ્રભાવથી કલિકાલમાં જિનશાસન જાજવલ્યમાન છે. કોટી કોટી વંદન હો પરોપકારી ગીતાર્થ ધર્મદેશકને. ૩. માર્ગદ્વાત્રિંશિક્સઃ ટૂંક્સાર (૧) ભગવાનનું વચન અને (૨) અશઠ સંવિગ્ન ગીતાર્થોનું આચરણ - એમ બે પ્રકારે મોક્ષ માર્ગ છે. (ગા.૧) શિષ્ટાચાર પણ જિનવચનની જેમજ અનુકરણીય છે. જીતવ્યવહાર તેનું જવલંત ઉદાહરણ છે. (ગા.૨) દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને આશ્રયીને સંવિગ્ન-ગીતાર્થ સંયમી મહાત્માઓએ અપનાવેલ આચાર = જીતવ્યવહાર વિશે ‘“આચરણા પણ આશા જ છે” આવા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના શબ્દો ઉપદેશપદમાં મળે છે. (ગા.૩) ઉત્સર્ગથી વિપરીત એવા અપવાદ પણ સકારણ સ્વીકાર્ય છે તો જિનાગમથી વિરુદ્ધ ન હોય તેવા શિષ્ટાચાર પ્રમાણભૂત કેમ ન બને ? (ગા.૪) જેમ નફો ધંધાનું મુખ્ય ધ્યેય છે તેમ કર્મનિર્જરા-દોષડ્રાસ ધર્મનું મુખ્ય ધ્યેય છે. માટે અપવાદ પણ પોતાના સ્થાનમાં બળવાન છે. (ગા.૫) તેથી ધર્મરત્નપ્રકરણમાં જણાવેલ છે કે ‘‘લાંબા સમયથી રૂઢ આચરણાને સ્વમતિકલ્પિત દોષથી ગીતાર્થો દૂષિત કરતા નથી. (ગા.૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy