SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 150 • ૧ થી ૪ બત્રીસીનો ટૂંકસાર • द्वात्रिंशिका દાનમા છળ ભોગપ્રાપ્તિનો પરિણામ ન હોવાથી સંસારવર્ધક ભોગ મળતા જ નથી. (ગા.૧૮) આ બધું જણાવનાર શ્રીહરિભદ્રસૂરિ મહારાજ સંવિગ્નપાક્ષિક હોવાથી તેમના વચનમાં અશ્રદ્ધા વ્યાજબી નથી (ગા.૧૯) ભક્તિથી આપેલું સુપાત્રદાન પુષ્કળ કર્મના નાશ માટે સમર્થ બને છે. (ગા.૨૦) તે દાનની ચતુર્ભગીમાં “સંયતને શુધ્ધદાન” શ્રેષ્ઠ ભાંગો છે. (ગા.૨૧) શુધ્ધ દાનથી મળતું સાનુબંધ શુભ પુણ્ય આદરણીય છે. (ગા.૨૨) સંયોગવશાત્ સંયતને કરાયેલ અશુધ્ધ દાન પણ લાભદાયી છે. (ગા.૨૩) “અશુદ્ધ દાનથી અલ્પ પાપબંધ થાય તેવી ભગવતીસૂત્રની વાતનું સ્પષ્ટીકરણ (ગા.૨૪) અશુદ્ધ દાનને વિશે ઠાણાંગજી સૂત્રની વિચારણા (ગા.૨૫) “આધાકર્મી' ગોચરી વાપરનાર સાધુ કર્મથી લેપાય જ એવું માનવું જરૂરી નથી, ભગવતીજી અને સૂયગડાંગ સૂત્રની પરસ્પર વિચારણા (ગા.૨૬) અસાધુમાં સાધુપણાની બુધ્ધિથી થતું દાન કર્મબંધ કરાવે, અનુકંપાથી કરાતું દાન કર્મબંધ કરાવતું નથી. (ગા.૨૭) આગળ ગ્રંથકારશ્રી ચેતવણી આપતા કહે છે કે અસંયતને સાધુપણાની બુદ્ધિથી આપેલું દાન એટલે ચંદનને બાળીને અંગારાનો ધંધો. (ગા.૨૮) માટે દાનવીરે જાતેજ પાત્રની પરીક્ષા કરવી. તે રીતે અપાયેલ દાન સર્વસંપન્કર બને (ગા.૨૯-૩૦) શુભ યોગમાં થતો દ્રવ્ય-દોષ કૂપદષ્ટાંતથી અનિષ્ટ નથી. (ગા.૩૧) ૩૧મી ગાથામાં ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનો મત દર્શાવી તેનું વિસ્તારથી નિરાકરણ કરેલ છે. ૩૧મી ગાથાની સ્વોપજ્ઞ વૃત્તિમાં ગ્રંથકારશ્રીની કસાયેલી કલમમાં નવ્ય ન્યાયની પરિભાષાનો તેજસ્વી ચમકારો જોવા મળે છે. આ તેમની આગવી વિશેષતા છે. ધર્મપરીક્ષા ગ્રંથમાં પણ ગ્રંથકારશ્રીએ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મ. ના મંતવ્યનું નિરાકરણ કરેલ છે. દાન બત્રીસીનો ઉપસંહાર કરતા મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે કે આ રીતે દાનની વિધિનો જાણકાર, ધીર, એવો દાતા પરમાનંદનું ભાજન બને છે. (ગા.૩૨) ૨. દેશનાદ્વાચિંશિક - ટૂંક્યાર ધર્મદેશક પ્રવચનકારશ્રીએ ધર્મદેશના કઈ રીતે આપવી જોઈએ? તે અંગે તથા શ્રોતાની ત્રિવિધ ભૂમિકાને વિશે વિસ્તૃત છણાવટ બીજી બત્રીશીમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. અહીં મુખ્ય મુદ્દો એ છે કે પાત્રને અનુસરીને મુનિએ દેશના આપવી જોઈએ. જેમ વૈદ્ય દર્દીને અનુસરીને દવા આપે તે રીતે ગુણની ઉત્પત્તિ અને ક્લેશનો નાશ થાય તેવી દેશના ધર્મદેશકે આપવી જોઈએ. (ગા.૧) શ્રોતાની ભૂમિકાથી વિપરીત દેશના શ્રોતાને ભવાટવીમાં ઢસડી જાય છે. અને તેના નિમિત્તે ધર્મદેશકને કુશીલતાનો દોષ વળગે છે. તેવા ધર્મદેશક ગાઢ મિથ્યાત્વ બાંધે છે. માટે તત્ત્વાર્થસૂત્રની કારિકામાં શ્રીઉમાસ્વાતિ મહારાજે જે કહેલ છે કે “ધર્મવચન સાંભળવાથી બધા જ શ્રોતાને એકાત્તે ધર્મપ્રાપ્તિ થાય તેવું નથી, પરંતુ ધમદશકને તો એકાંતે કર્મનિર્જરા સ્વરૂપ લાભ થાય છે,” તે વચન દેશ-કાળ-પુરુષ વગેરેને ઓળખવામાં નિપુણ ધર્મદશકને આશ્રયીને જણાવેલ છે. આચારાંગસૂત્રમાં ઉપદેશકને ઉદેશીને કહેલ છે કે “જે રીતે ગરીબને ઉપદેશ અપાય તે રીતે પુણ્યશાળી રાજાઓને ઉપદેશ આપવો' આનો અર્થ એમ સમજવો કે ઉપદેશક રાજાને નિસ્પૃહ રીતે ઉપદેશ આપે અને તે જ રીતે ગરીબને પણ ઉપદેશ આપે. પરંતુ તેનું વલણ પક્ષપાતી ન હોય. આમાં ઉપદેશક નિપુણ રીતે વિવેક-પૂર્વક ઉપદેશ આપે એ વાત તો ઉભી જ રહે છે. (ગા.૨ થી ૪) ઉપદેશક માટે વાણીનો વિવેક મુખ્ય છે. જેને બોલવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy