SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका 149 (| ૧ થી ૪ બત્રીસીનો ટૂંક્યાર) ૧. દાન દ્વાત્રિશિક્ષ બત્રીસ-બત્રીસી ગ્રંથની શરૂઆત કરતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા સૌ પ્રથમ શારદા માતાનું સ્મરણ કરે છે. તે માટે તેમણે પોતાના ઈષ્ટ-સિધ્ધ સારસ્વત મંત્રના પ્રધાન બીજ છે નો નિર્દેશ કરેલ છે. કાત્રિશિકા ગ્રંથનો શુભારંભ કરતા દાનધર્મ કાત્રિશિકાને પ્રારંભમાં જણાવેલ છે. કારણકે દાનધર્મ પરમમંગલરૂપ છે. અનુકંપાપૂર્વકનું દાન સાંસારિક સુખને આપે છે અને સુપાત્રદાન મોક્ષ આપે છે. (ગા.૧) આમાં વિપર્યાસબુધ્ધિ અતિચાર લગાડે છે પરંતુ માંદા સાધુ પ્રત્યેની અનુકંપા વખતે પણ સાધુ કરતા પોતાનામાં મોટાઈ ન જુવે તેવી બુદ્ધિ દાનમાં અતિચાર લગાડતી નથી. (ગા.૨) જે કાર્ય કરતાં અનિવાર્ય રીતે અલ્પ જીવોની હિંસા થાય (= નુકસાન ઓછું થાય) અને ઘણા જીવોને સુખ મળે તેનો અનુકંપા-ક્ષેત્રમાં સમાવેશ થઈ શકે. (ગા.૩) ઘણા જીવોના નાશથી અલ્પ જીવોને ઉપકાર થાય ત્યાં અનુકંપા મનાયેલી નથી. જેમકે યજ્ઞમાં અપાતો બલિ અને કૂવા, તળાવ વગેરે. (ગા.૪) પરંતુ પ્રદેશ રાજા વગેરેએ દાનશાળાદિ કાર્યો કરાવેલા. તેનાથી જૈનેતરો પણ જૈનધર્મની પ્રશંસા કરે છે અને ભવાંતરમાં તેમને જૈનધર્મ સુલભ બને છે માટે આપવાદિક દાનશાળાદિમાં અનુકંપાનું લક્ષણ સંભવે છે. (ગા.૫-૬) “વિશિષ્ટ શુભ આલંબનથી ભાવો વિશિષ્ટ બને છે. આમ વ્યવહારનય જણાવે છે અને તે બાહ્યસામગ્રીના ભેદથી ફળભેદ માને છે. નિશ્ચયનયથી મનના પરિણામ બદલાવાથી ફળ બદલે છે, નહિ કે દ્રવ્ય, પાત્ર વગેરે બદલાવાથી (ગા.૭) યોગ્ય કાળે અલ્પ(દાન)ક્રિયા પણ ઉપકારી છે. જેમકે વરસાદમાં અલ્પદાણાની વાવણીથી પણ અનાજની વૃદ્ધિ થાય છે. (ગા.૮) માટે જ ભગવાને દીક્ષા વખતે એક વર્ષ સુધી દાન આપ્યું. તેથી સામાન્ય લોકોએ પણ ધર્મના અવસરે અનુકંપાદાન કરવું જોઈએ. (ગા.૯) મહાવીર સ્વામી ભગવાને કરેલ દેવદૂષ્યનું દાન આર્યસુહસ્તિનું ભીખારીને અન્નદાન વગેરે દષ્ટાંતથી નિશીથસૂત્રમાં સાધુને પણ અપવાદ રૂપે અનુકંપાદાનની રજા અપાયેલ છે. (ગા.૧૦) સાધુદ્વારા થતાં આપવાદિક અનુકંપાદાનમાં શાસ્ત્રવિધિપ્રયુક્ત ચિત્તવિશુદ્ધિ હોવાથી તેનું દાન કર્મબંધનું કારણ નથી. (ગા.૧૧) દશવૈકાલિકમાં સાધુને ગૃહસ્થની વૈયાવચ્ચનો નિષેધ કરેલ છે તે ઉત્સર્ગથી જાણવું. સકારણ તેમાં લીધેલ છૂટ અપવાદ માટે ઉત્સર્ગ બાધક ન બને. (ગા.૧૨) દાનવિષે વિરોધાભાસી જણાતા સૂયગડાંગના વચનોનું સુંદર નિરાકરણ કરવા દ્વારા ઔદંપર્યન્ત સુધી પહોંચી લોકોત્તર એવું દાનનું સ્વરૂપ દેખાડી ગ્રન્થકારશ્રીએ જણાવ્યું કે “સાધુએ અસંયતને આપેલું કારણિક અનુકંપાદાન નિર્દોષ છે.” (ગા.૧૩) અનુકંપાદાનજન્ય પુણ્ય સાધુને ઈષ્ટ નથી. તેથી જ સાધુઓ ગુપ્તભોજન કરે છે. તેથી પુણ્યબંધ અને પરપીડારૂપ બે વિકલ્પોનું નિરાકરણ થાય છે. (ગા.૧૪-૧૫) પૂર્વપક્ષ શંકા કરે છે કે ‘દાનથી પુણ્ય-ભોગસુખ-મોહવૃધ્ધિ-ભવની પરંપરા મળે માટે દાન મુમુક્ષુને ઈષ્ટ નથી.” (ગા.૧૬). ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરતા જણાવે છે કે પ્રસ્તુત અનુકંપાદાન જન્ય પુણ્યાનુબંધી પુણ્ય તો પાપનો નાશ કરીને સ્વતઃ નાશ પામવાના સ્વભાવવાળું છે, સંસારમાં રખડાવનાર નથી. (ગા.૧૭) અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy