SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ • યશોજલધિપ્રવેશે નાવા • द्वात्रिंशिका અહીં મુનિશ્રી યશોવિજયજીનું જે સંસ્કૃત વિવરણ મળે છે તે તો એક પ્રકારનો જ્ઞાનકોશ છે. તુલનાત્મક અભ્યાસ કરવાની રુચિવાળા માટે તો મનગમતો ખજાનો છે. જેને એક જ વિષયનો સર્વતઃ બોધ કરવો હોય અને વિષયને દઢ કરવો હોય તો તેને આ વિવરણ વારંવાર અભ્યાસ કરવા લાયક લાગશે અને તે વાચક વિદ્વદર્ય મુનિરાજનો એ રીતે ઉપકાર માનશે કે “આટલી બધી ભિન્ન-ભિન્ન જ્ઞાનશાખાના આટલા બધા ગ્રન્થો જોવાનું મારા માટે કેટલું બધું મુશ્કેલ બનત ? તે અહીં એક જ સ્થાને બધું મળી ગયું.” જાણે સમ્યમ્ જ્ઞાનની કુત્રિકા પણ જ જોઈ લ્યો. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થોનું હવે તો સામૂહિક પારાયણ થવું જોઈએ. તે ગ્રન્થોમાં કથિત ભાવોની મુક્ત મને ચર્ચા-વિચારણા થવી જોઈએ તો વર્તમાન શ્રીસંઘના ધર્માચરણમાં ઘણું ઘણું જ પ્રભુના મૂળ માર્ગથી વિરુદ્ધ દાખલ થઈ ગયું છે તે દૂર કરવાનું બળ સાંપડે. શાસ્ત્રસંપર્ક વિના આચરણા અને પ્રરૂપણામાં, મતિદોષથી, કાળદોષથી અને અન્ય સંસર્ગદોષથી ઘણું પેસી શકે છે. તે જુદું તારવી શકાય અને તેને અળગું કરવાનું સામર્થ્ય પણ આ રીતે મેળવી શકાય. કૃતિ(પ્રયત્ન) વિનાનો વિચાર(શાસ્ત્રજ્ઞાન) નિરર્થક છે એ વાત સાચી. પણ વિચાર વિનાની કૃતિ તો અત્યન્ત નિરર્થક છે. આજકાલ મોક્ષમાર્ગની સાધક આચરણા કરતાં બાધક આચરણા અને પ્રરૂપણાનું જોર વધેલું જોવા મળે છે. કયારેક તો તેનો અતિરેક, જેને “ઘાતક વિશેષણ લગાડી શકાય, તેટલી હદ સુધી વકરી ગયો છે. એટલે મોક્ષમાર્ગની સાધક આચરણા અને પ્રરૂપણા શ્રીસંઘમાં પ્રકટાવવી હોય તો આવા ગ્રંથો ઠેર ઠેર ભણવાના અને વાચનાના વિષય બનવા જોઈએ. આ કાત્રિશત્ કાત્રિશિકાનો ગ્રન્થ, સંગ્રહગ્રન્થ સ્વરૂપ છે. ઉપાધ્યાયજી મહારાજે કેટલાં કેટલાં ગ્રન્થોનું સાર-દોહન સંક્ષેપમાં અહીં સળંગ મૂળ ગ્રન્થ સ્વરૂપે આપણાં ઉપકાર અર્થે આપણી સમક્ષ રજૂ કર્યું છે ! અને મૂળ ગ્રન્થ રચ્યા પછી એ બત્રીસ બત્રીસીમાં નિહિત ભાવોને પોતે જ ખોલી આપ્યા છે. પણ તર્કના પરિપૂર્ણ પંડિત પોતે સરળ શૈલીમાં લખવા જાય તો પણ અમુક તો દુર્બોધતા. આવી જ જાય એટલે વર્તમાન કાળના આપણા જેવા જીવો માટે તો તેનો અર્થવિસ્તાર જોઈએ જ. એક સમયે શ્રી શ્રમણસંઘમાં આ ગ્રંથના પઠનની ખૂબ જ આદરપૂર્વક પૃચ્છા થતી હતી. “તમે બત્રીસી વાંચી છે?” ત્યારે એના જવાબમાં કયારેક “એ ગ્રન્થના દર્શન પણ કરવાના બાકી છે તેવું સાંભળવા મળતું હતું. વર્ષો પહેલાં ભાવનગરની જૈન ધર્મપ્રસારક સભા દ્વારા પ્રકાશિત થયેલા આ ગ્રન્થની ૧૦/૧૫ વર્ષ પહેલાં બીજી આવૃતિ પ્રતાકારે પ્રકાશિત થઈ હતી. પણ તેમાં મૂળ ગ્રન્થની અશુદ્ધિ દૂર કરવાની બાકી હતી. અને તેના વિવરણ-અનુવાદની અપેક્ષા તો વણપૂરાયેલી જ રહી હતી. અમારા ગુરુમહારાજ વ્યાકરણાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે પહેલી બત્રીસી ઉપર વિવરણ અને તેનો હિન્દી અનુવાદ તૈયાર કર્યો હતો. અને પછી તે પ્રકાશિત પણ થયો હતો. પંડિત શ્રી દુર્ગાનાથ મહોદયની સહાય લઈને તે કામ થયું હતું. બીજાઓ દ્વારા પછી છૂટક છૂટક એક એક બત્રીસીનું પણ પ્રકાશન કાર્ય થતું જોવા જાણવા મળે છે. પણ આજે એક સાથે આ રીતનું શુદ્ધિપૂર્વકનું વિસ્તૃત વિવરણ સાથેનું એક ભગીરથ કાર્ય આપણને જોવા મળે છે જે સંઘમાં જ્ઞાનમાર્ગને સુગમ બનાવવા માટે પર્યાપ્ત બની રહેશે. આપણે તો મુનિરાજશ્રી યશોવિજયજીના ઓવારણાં લેવા જોઈએ. તેમનું નીરોગી દીર્ધાયુ ઈચ્છવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy