SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका - 11 નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે / યશોજલધિપ્રવેશે નાવા - પરમપૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા. વર્તમાન શ્રીસંઘમાં સર્વત્ર ભક્તિમાર્ગ પૂરબહારમાં ખીલેલો જોવા-સાંભળવા મળે છે. ભક્તિ માર્ગ ઉત્તમ છે પણ તેમાં પ્રાણ પૂરનાર જ્ઞાનમાર્ગ છે. જ્ઞાન-વિવેકમૂલક ભક્તિ ભવનિસ્તારિણી છે. એ જ્ઞાનમાર્ગ પછી યોગમાર્ગ અને પછી ધ્યાનમાર્ગ- એમ ઉત્તરોત્તર આરોહણ કરવાનું છે. વર્તન ભલે ભક્તિમાર્ગનું હોય પણ વલણ ઠેઠ ધ્યાનમાર્ગ સુધીનું હોવું જોઈએ. જ્ઞાનધારાથી અનુપ્રાણિત ભક્તિધારા પ્રાણવંતી જણાય છે. અન્યથા ભક્તિમાત્ર ક્યારેક જ્ઞાન અને વિવેકના અભાવમાં ભવભ્રમણહેતુ પણ બની શકે છે. આ જ્ઞાનધારા-ધ્યાનધારાના દરવાજા ખોલવાનું શુભ મુહૂર્ત આવી લાગ્યું છે. એ જ્ઞાનધારાનું મંગલાચરણ પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના ગ્રન્થના પઠન-પાઠન દ્વારા જ થઈ શકે. પ્રભુના મંગલમય તારક માર્ગનો અવિકલ બોધ કરવા માટે આ ગ્રન્થો રાજમાર્ગ જેવા છે. હા, એ ગ્રન્થોના શબ્દોમાં છૂપાયેલા સારને બોધને પામવા માટે એવી જ નિર્મલ પ્રજ્ઞા જોઈએ. તેના વડે જ તેના રહસ્યને પામી શકાય. અન્યથા એ શબ્દો નાળીયેરની બહારની ઉપરની સપાટી જેવા જ લાગે. એ અંદરના તત્ત્વને સત્યને બહાર આણવાનું પુણ્યકાર્ય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજે કર્યું છે. વિદ્રવ્રુન્દવૃન્દારક મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજે ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થસાગર સુધી પહોંચવા માટે વિશદ શૈલીમાં સુગમ સંસ્કૃત ભાષામાં વિવરણ રચીને અને મૂળવૃત્તિનો સ્પષ્ટ ગુજરાતી અનુવાદ આપીને નાની નાની નાવડીઓનું સર્જન કર્યું છે આપણા માટે, જેનાથી આપણે આ નાવડીના માધ્યમથી મૂળ સાગરને મળી શકીએ છીએ. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વગેરેએ રચેલા ગ્રન્થો માટે “શ્રુતજલધિપ્રવેશે નાવા” આ ઉપમા આપી છે. આ ગ્રન્થો તો શ્રત-આગમ ગ્રંથોના સાગર સુધી પહોંચાડનારી નાની નાવડીઓ છે. આજે આ મુનિરાજશ્રી યશોવિજયજીએ ઉ. યશોવિજયજી મહારાજના દુર્બોધ ગ્રન્થો ઉપર વિશદ વ્યાપક સંસ્કૃત વિવરણ અને સુગમ ગુજરાતી અનુવાદના કામને જોઈને એ પ્રકારે ઉપમા યાદ આવે છે. “યશોજલધિપ્રવેશે નાવા'. આ ગ્રન્થોના અભ્યાસનો એક મોટો મહત્ત્વનો લાભ એ છે કે એનાથી આપણું જે શ્રુતજ્ઞાન છે તે ચિંતાજ્ઞાનમાં પરિણામ પામે છે. શ્રુતજ્ઞાનને આપણે ત્યાં પાણી જેવું કહ્યું છે અને ચિંતાજ્ઞાનને દૂધ જેવું કહ્યું છે અને તે પછી પ્રાપ્ત કરવા લાયક ભાવનાશાનને અમૃત જેવું કહ્યું છે. પાણીને દૂધમાં રૂપાન્તરિત કરવાની પ્રક્રિયા હાથ લાગે અને દૂધને પણ અમૃત બનાવવાની રીત આપણને મળે તે આપણું કેટલું મોટું સૌભાગ્ય કહેવાય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy